Home /News /national-international /કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસ બાદ ફેફસાંની આ સમસ્યા વધી, ડૉક્ટરો ચિંતિત
કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસ બાદ ફેફસાંની આ સમસ્યા વધી, ડૉક્ટરો ચિંતિત
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાના અત્યારે 5 લાખ 86 હજાર 403 સક્રિય કેસ છે, જ્યારે 2 કરોડ 92 લાખ 51 હજાર 29 લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે. તે જ સમયે, કોરોનાને કારણે અત્યાર સુધીમાં 3 લાખ 95 હજાર 751 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં 32,17,60,077 લોકોને રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં, 64,25,893 લોકોને કોરોના રસી આપવામાં આવી છે.
અનિતા મેથ્યુએ કહ્યું કે, કોવિડ ક્લિનિકમાં આવતા દરેક 100 દર્દીઓમાંથી ઓછામાં ઓછા 70માં લાંબા સમયથી કોવિડના કેટલાક લક્ષણો જોવા મળે છે.
મુંબઇમાં (Mumbai) કોરોના વાયરસથી (Coronavirus) સાજા થયેલા દર્દીઓને ફરીથી હૉસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં વધારો થવાથી ડોકટરોની ચિંતા વધી ગઈ છે. રાજ્ય આ દર્દીઓનાં નામ રોતાના રેકોર્ડ પર રાખતું નથી, નિષ્ણાતો કહે છે કે, જે દર્દીઓએ હૉસ્પિટલમાં 15 દિવસથી વધુ સમય વિતાવ્યો હોય અથવા કોરોના વાયરસનાં ગંભીર લક્ષણો હોય તેવા દર્દીઓને ફરીથી હૉસ્પિટલમાં (hospitalised after covid 19 recovery) દાખલ થવાનું જોખમ વધારે છે.
કેઇએમ હૉસ્પિટલના ભૂતપૂર્વ ડીન અને રાજ્ય સરકાર કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ.અવિનાશ સુપેએ જણાવ્યું હતું કે, 'કોરોનાવાયરસના નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ આ રોગમાંથી સાજા થયેલા દર્દીઓ ફરીથી હૉસ્પિટસમાં સારવાર લેવા આવે તેવા કેસો લધી રહ્યાં છે. એક ડૉક્ટરે યાદ કરીને જણાવ્યું કે, કેવી રીતે 76 વર્ષીય દર્દીને, જે પહેલી વાર ચેપ લાગ્યાં પછી 15 દિવસથી વધુ સમય માટે હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા, તેઓ તેલંગાણામાં પોતાના ઘરે પાછા ફર્યા બાદ તેમને શ્વાસ લેવાની તીવ્ર સમસ્યાનો સામનો કરવો પડ્યો. તેમણે જણાવ્યું હતું કે, તેમને તાત્કાલિક સ્થાનિક હૉસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ થોડા દિવસ પછી ફેફસાંમાં વધારે સોજાને કારણે થોડા દિવસો પછી તેમનું મોત નીપજ્યું હતું.
આવા દર્દીઓ સૌથી કમજોર અથવા અતિસંવેદનશીલ હોય છે, જેને કોરોનામાંથી સ્વસ્થ થયા પછી ઘરે મહિનાઓ સુધી ઓક્સિજનની જરૂર પડે છે. મે મહિનામાં, મુલુંડની ફોર્ટિસ હોસ્પિટલના પોસ્ટ કોવિડ ક્લિનિકમાં આવા નવા 170 દર્દીઓ દાખલ છે.
ફોર્ટિસ હોસ્પિટલના ચેપી રોગ વિશેષજ્ ડૉ. અનિતા મેથ્યુએ જણાવ્યું હતું કે, 'સાર્સ-સીઓવી -2 વાયરસ શરીરના વિશાળ પેશીઓમાં ચેપ લગાડવા માટે સક્ષમ છે. આની અસર એવી છે કે, તેમના પ્રારંભિક સંક્રમણનાં મહિનાઓ પછી, કેટલાક કોવિડ દર્દીઓમાં લક્ષણોની ચિંતાજનક સંખ્યા જોવા મળે છે.' અનિતા મેથ્યુએ કહ્યું કે, કોવિડ ક્લિનિકમાં આવતા દરેક 100 દર્દીઓમાંથી ઓછામાં ઓછા 70માં લાંબા સમયથી કોવિડના કેટલાક લક્ષણો જોવા મળે છે. આ સાથે, તેમણે કહ્યું, 'આમાંના લગભગ 20% ગંભીર લક્ષણો છે જેને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર