Home /News /national-international /સતત તાકાતવાન થઈ રહ્યો છે કોરોના, RT-PCR ટેસ્ટ પણ થઈ રહ્યા છે Fail- રિપોર્ટ

સતત તાકાતવાન થઈ રહ્યો છે કોરોના, RT-PCR ટેસ્ટ પણ થઈ રહ્યા છે Fail- રિપોર્ટ

રાજ્યમાં હવે 122 એક્ટિવ કેસ છે, કુલ 01 દર્દી વેન્ટિલેટર પર છે. તમામ 121 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 12,13,293 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 10943 મોત સરકારી ચોપડે થયા છે. પ્રતિકાત્મક તસવીર

ડૉક્ટરોનું કહેવું છે કે અનેક કેસોમાં દર્દીમાં કોરોના સંક્રમિત થવાના અનેક વિશિષ્ટ લક્ષણ છે, પરંતુ બે-ત્રણ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ પણ તેમના રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે

Coronavirus Second Wave in India: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. આ દરમિયાન વધુ ચિંતા ઊભી કરે તેવી વાત સામે આવી છે. ક રિપોર્ટ મુજબ નોવેલ કોરોના વાયરસનું નવું વેરિયન્ટ (Novel Coronavirus Variant) પહેલાથી વધુ ખતરનાક અને સંક્રમક હોવાની સાથોસાથ ગુપ્ત થતું જઈ રહ્યું છે. મૂળે, સિટી હૉસ્પિટલોના ડૉક્ટરોનું કહેવું છે કે એવા અનેક કેસ સામે આવ્યા છે જેમાં દર્દીમાં કોરોના સંક્રમિત થવાના અનેક વિશિષ્ટ લક્ષણ છે, પરંતુ બે-ત્રણ વાર આરટી-પીસીઆર ટેસ્ટ (RT-PCR Test) કરાવ્યા બાદ પણ તેમના રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ છે કે નહીં, તે જાણવા માટે આરટી-પીસીઆર ટેસ્ટને અત્યાર સુધી સૌથી સચોટ માનવામાં આવ્યા છે, પરંતુ આ રિપોર્ટે ચિંતા વધારી દીધી છે.

અંગ્રેજી અખબાર ‘ધ ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’એ પોતાના એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે. રિપોર્ટ મુજબ, આકાશ હેલ્થકેરના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. આશીષ ચૌધરીએ કહ્યું કે, અમે છેલ્લા કેટલાક દિવસોમાં એવા અનેક દર્દી મળ્યા છે જેમને તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસામાં સંક્રમણ હતું. સીટી સ્કેન કરાવતાં તેમના ફેફસામાં હળવા ભૂરા રંગના પેચ જોવા મળ્યા. તેને મેડિકલ ભાષામાં પૈચી ગ્રાઉન્ડ ગ્લાસ ઓપેસિટી (patchy ground glass opacity) કહેવામાં આવે છે. તે કોવિડ-19નું એક વિશિષ્ટ લક્ષણ છે.

તેઓએ જણાવ્યું કે દર્દી બ્રોકોએલેવોલર લેવેજ (બીએએલ)થી પીડિત છે, જે એક ડાયગ્નોસ્ટિક ટેકનીક છે, તેમાં સંક્રમિતના મોં તથા નાકના માધ્યમથી ફેફસામાં એક લિક્વીડ આપવામાં આવે છે જે અંદર જઈને દ્રવનું પરીક્ષણ કરે છે. તેનાથી વિશ્લેષણની પુષ્ટિ થાય છે. ડૉ. ચૌધરીએ કહ્યું કે, આવી તમામ વ્યક્તિ જેમના આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ હતા, તે બધાના લેવેજ ટેસ્ટ કરવામાં આવ્યા. આ ટેસ્ટમાં આ તમામ કોરોના લક્ષણમાં પોઝિટિવ આવ્યા.

આ પણ વાંચો, Explained: શું છે ચહેરાનું એ સંક્રમણ જે માસ્કના કારણે થઈ થઈ રહ્યું છે?

તેનાથી શું નુકસાન થઈ શકે છે? તે સવાલનો જવાબ આપતાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ લાઇબ્રેરી સાયન્સમાં મેડિકલ માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડૉ. પ્રતિભા કાલે કહે છે કે, આ શક્ય છે કે આ રોગીઓમાં વાયરસે નાક કે ગળાની કેવિટીને નુકસાન નથી પહોંચાડ્યું, કારણ કે આ દવાઓથી લેવામાં આવેલા સ્વેબ સેમ્પલનું રિઝલ્ટ પોઝિટિવ નથી આવ્યું. તેઓએ વધુમાં જણાવ્યું કે શક્ય છે કે વાયરસે પોતાને એસીઇ રિસેપ્ટર્સથી કનેક્ટ કરી લીધું છે. આ એક પ્રોટીન હોય જે ફેફસાની અંદર અનેક કોશિકાના રૂપમાં હોય છે. તેથી જ્યારે ત્યાંથી સેમ્પલ લેવામાં આવે તો તેમાં કોવિડ-19ના સંક્રમણની પુષ્ટિ થઈ.

આ પણ વાંચો, Bank Holidays: આજથી આવનારા 5 દિવસ સુધી બંધ રહેશે બેંક, ચેક કરો આ સમગ્ર યાદી!



સર ગંગા રામ હૉસ્પિટલના ચેસ્ટ મેડિસિન ડિવિઝનના સીનિયર માર્કેટિંગ કન્સ્લટન્ટ ડૉ. અરૂપ બસુએ કહ્યું કે, હાલના સમયમાં કોરોનાથી પીડિત દર્દીઓમાં આંખોમાં બળતરા અને ઇન્ફેક્શન જેવા લક્ષણ જોવા મળ્યા છે, જે પહેલા નહોતા જોવા મળતા. તેઓએ કહ્યું કે, અનેક દર્દીઓને ખાંસી કે શ્વાસ લેવામાં તકલીફ .નથી થતી અને તેમના ફેફસાનું સીટી સ્કેન પણ નોર્મલ આવે છે. જોકે તેમને સતત આઠથી નવ દિવસ સુધી ખૂબ જ તાવ આવે છે. જો આવું થાય તો દર્દીને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવા જોઈએ.
First published:

Tags: Corona Negative, Corona Positive, Corona testing, Coronavirus, COVID-19, CT Scan, RT PCR, મેડિકલ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો