પુણે. ભારતમાં કોરોના વાયરસના એક નવા વેરિયન્ટ (New Variant of Coronavirus) મળી આવ્યો છે. પુણે સ્થિત એનઆઇવી સંસ્થાન (National Institute of Virology)એ વાયરસની જિનોમ સિક્વન્સિંગ કરી આ નવા વેરિયન્ટ B.1.1.28.2ને ડિટેક્ટ કર્યો છે. વાયરસનો આ નવો વેરિયન્ટ ભારતમાં મળી આવેલા ડેલ્ટા વેરિયન્ટની જેમ ગંભીર છે. આ વેરિયન્ટ યૂનાઇટેડ કિંગડમ (United Kingdom) અને બ્રાઝીલ (Brazil)થી ભારત આવેલા લોકોમાં મળ્યો છે, જે સંક્રમિત લોકોમાં ગંભીર લક્ષણો તરફ ધકેલી શકે છે.
NIVના પૈથોજેનિસિટીની તપાસ કરીને જણાવ્યું કે આ વેરિયન્ટ ગંભીર રીતે બીમાર કરી શકે છે. સ્ટડીમાં વેરિયન્ટની વિરુદ્ધ વેક્સીન અસરદાર છે કે નહીં, તેના માટે સ્ક્રીનિંગની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે. NIVની આ સ્ટડી ઓનલાઇન bioRxivમાં પ્રકાશિત થઈ છે. બીજી તરફ, NIV પુણેની આ સ્ટડી કહે છે કે Covaxin આ વેરિયન્ટ સામે કારગર છે. સ્ટડી મુજબ, વેક્સીનના બે ડોઝથી જે એન્ટીબોડીઝ બને છે, તેનાથી આ વેરિયન્ટને ન્યૂટ્રિલાઇઝ કરી શકાય છે.
‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ના રિપોર્ટ મુજબ, સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે આ વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ જેવો જ ખતરનાક છે. B.1.1.28.2 વેરિયન્ટથી સંક્રમિત થતાં વ્યક્તિનું વજન ઓછું થવા લાગે છે. તેના કારણે સંક્રમણ ઝડપથી ફેલાવાથી દર્દીના ફેફસાં ડેમેજ થઈ જાય છે. સ્ટડી અનુસાર, B.1.1.28.2 વેરિયન્ટના સંક્રમિત સીરિયન ઉંદરો પર અનેક પ્રતિકૂળ પ્રભાવ જોવા મળ્યા છે. સ્ટડીમાં SARS-CoV-2ના જીનોમ સર્વેલન્સની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ઇમ્યૂન સિસ્ટમથી બચી નીકળેલા વેરિયન્ટને લઈને જીનોમ સિક્વન્સિંગ લેબ્સમાં તૈયારી કરી શકાય.
આ પણ વાંચો, કોરોનાની સારવાર માટે સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન્સ, આવઇરમેક્ટિન સહિત અનેક દવાઓ બંધ
જીનોમ લેબ્સે 30 હજાર સેમ્પલ્સ સિક્વન્સ કર્યા
જીનોમ સિક્વન્સિંગ લેબ્સે આવા મ્યૂટન્ટની ઓળખ કરી રહી છે જે બીમારીના સંક્રમણમાં વધુ યોગદાન આપી રહ્યા છે. હાલ INSACOG (Indian SARS-CoV-2 Genome Sequencing Consortia) હેઠળ 10 નેશનલ લેબ્સે લગભગ 30 હજાર સેમ્પલ્સ સિક્વન્સ કર્યા છે. સરકાર જીનોમ સિક્વન્સિંગને પ્રોત્સાહન આપવા માંગે છે અને કન્સોર્ટિયમમાં વધુ 18 લેબ્સ હાલમાં જોડવામાં આવી છે.
‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ના રિપોર્ટ મુજબ, સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે આ વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ જેવો જ ખતરનાક છે. B.1.1.28.2 વેરિયન્ટથી સંક્રમિત થતાં વ્યક્તિનું વજન ઓછું થવા લાગે છે. તેના કારણે સંક્રમણ ઝડપથી ફેલાવાથી દર્દીના ફેફસાં ડેમેજ થઈ જાય છે. સ્ટડી અનુસાર, B.1.1.28.2 વેરિયન્ટના સંક્રમિત સીરિયન ઉંદરો પર અનેક પ્રતિકૂળ પ્રભાવ જોવા મળ્યા છે. સ્ટડીમાં SARS-CoV-2ના જીનોમ સર્વેલન્સની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ઇમ્યૂન સિસ્ટમથી બચી નીકળેલા વેરિયન્ટને લઈને જીનોમ સિક્વન્સિંગ લેબ્સમાં તૈયારી કરી શકાય.
આ પણ વાંચો, કોરોનાની સારવાર માટે સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન્સ, આવઇરમેક્ટિન સહિત અનેક દવાઓ બંધ
જીનોમ લેબ્સે 30 હજાર સેમ્પલ્સ સિક્વન્સ કર્યા
જીનોમ સિક્વન્સિંગ લેબ્સે આવા મ્યૂટન્ટની ઓળખ કરી રહી છે જે બીમારીના સંક્રમણમાં વધુ યોગદાન આપી રહ્યા છે. હાલ INSACOG (Indian SARS-CoV-2 Genome Sequencing Consortia) હેઠળ 10 નેશનલ લેબ્સે લગભગ 30 હજાર સેમ્પલ્સ સિક્વન્સ કર્યા છે. સરકાર જીનોમ સિક્વન્સિંગને પ્રોત્સાહન આપવા માંગે છે અને કન્સોર્ટિયમમાં વધુ 18 લેબ્સ હાલમાં જોડવામાં આવી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર