liveLIVE NOW

Coronavirus Live Updates: દિલ્હીમાં અત્યાર સુધી 2186 લોકો સંક્રમિત, 28 ટકા દર્દી સાજા થયા

  • News18 Gujarati
  • | April 22, 2020, 12:16 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 3 YEARS AGO
    14:26 (IST)
      રાજસ્થાનનાં સ્વાસ્થ્ય મંત્રી  રધુ શર્માએ કહ્યું છે કે, દિલ્હી અને મહારાષ્ટ્રમાં ઘણાંબધા પત્રકારો સંક્રમિત થયા છે. એટલે અમે પત્રકારોનો પણ ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો છે.

    13:42 (IST)
       કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનાં ડૉક્ટરો સાથે વાત કરી અને સાંકેતિક પ્રદર્શન ન કરવા અપીલ કરી  છે. તેમણે ડૉક્ટરોને વિશ્વાસ અપાવ્યો છે કે તે હંમેશા તેમની સાથે છે.


    12:47 (IST)
      આંધ્ર પ્રદેશમાં 24 કલાકમાં કોરોનાનાં 56 નવા કેસ મળ્યાં છે અને બે સંક્રમિતોનાં મોત નીપજ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 813 થઇ ગઇ છે. જ્યારે 24 લોકોનાં મોત થયા છે. 

    12:15 (IST)
      દિલ્હીનાં સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જાણકારી આપતા જણાવ્યું કે, દિલ્હીમાં કોરોનાનાં અત્યાર સુધી 2186 સંક્રમિતો છે. તેમાંથી 28 ટકા લોકો એટલે 611 લોકો ઠીક થયા છે. 27 દર્દીઓ આઇસીયુમાં છે.

    11:1 (IST)
      રાજ્યમાં 24 કલાકમાં નવા 206 કેસ નોંધાયા છે. જ્યારે 5 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે આજે રાજ્યમાં કોરોનાનાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 2272 થઇ ગઇ છે. અત્યાર સુધી કુલ 95 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે રાજ્યમાં સ્ટેબલ દર્દીઓની સંખ્યા 2020 છે અને 13 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. 

    દેશમાં કોરોના વાયરસ સામે જંગ જારી છે. દેશભરમાં કોરોનાનાં દર્દીઓની કુલ સંખ્યા 20 હજારની નજીક પહોંચી ગઇ છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય વિભાગે જારી કરેલા આંકડા પ્રમાણે, ભારતમાં અત્યાર સુધી કોરોનાનાં 19 હજાર 984 મામલા સામે આવ્યાં છે. જેમાંથી 3870 લોકો સાજા થયા છે. જ્યારે આ મહામારીને કારણે અત્યાર સુધી 640 લોકોનાં મોત નીપજ્યાં છે.

    આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી મરનારાઓની સંખ્યામાં રાજસ્થાનમાં 11, ગુજરાતમાં 10, મહારાષ્ટ્રમાં નવ, યુપીમાં અને આંધ્રપ્રદેશમાં ત્રણ, આંધ્ર પ્રદેશ, તેલંગાના, દિલ્હી, મધ્યપ્રદેશ તથા તમિલનાડુમમાં બે બે તથા કર્ણાટકમાં એક દર્દીનું મોત નીપજ્યું છે.

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો