Corona Cases in India, 30 July 2021: સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 44,230 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 555 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,15,72,344 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 45,60,33,754 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) સામે લડીને 3 કરોડ 7 લાખ 43 હજાર 972 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 42,360 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,05,155 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,23,217 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 29 જુલાઈ, 2021 સુધીમાં ભારતમાં કુલ 46,46,50,723 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના 24 કલાકમાં 18,16,277 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાત (Corona Cases in Gujarat)માં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 27 કેસ નોંધાયા છે. જેની સામે 33 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10076 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકા છે. અત્યાર સુધીમાં 3,26,14,461 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. ગુરૂવારે કુલ 4,39,045 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
બીજી તરફ અમદાવાદમાં 8, સુરતમાં 5, વડોદરામાં 6, ભાવનગરમાં 4, દાહોદ, જૂનાગઢમાં 3-3, વલસાડ, જામનગરમાં 2-2, નવસારી, અમરેલી, ખેડામાં 1-1 સહિત કુલ 33 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. ગુજરાતમાં અત્યારે કુલ 268 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 263 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 814485 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર