Corona Cases in India, 15 September 2021: ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી વધુ 27 હજાર લોકો સંક્રમિત થયા છે. જોકે, કેરળમાં કેસોની સંખ્યા (Pandemic in Kerala) ઘટીને 15 હજારે પહોંચી ગઈ છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં (Maharashra Covid-19 Cases) 3500 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના મૃત્યુઆંકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સંક્રમણના કેસોમાં (Gujarat Corona Cases) ઘટાડો જોવા મળી રહ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે.
ભારતમાં એક દિવસમાં 61 લાખ લોકોને રસી અપાઈ
કેન્દ્રીય આરોગ્ય વિભાગે બુધવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 27,176 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 284 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,33,16,755 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 75,89,12,277 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 61,15,690 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
14 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 54,60,55,796 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટી
કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 25 લાખ 22 હજાર 171 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 38,012 દર્દીઓ સાજા થયા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.60 ટકા છે. હાલમાં 3,51,087 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,43,497 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 14 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 54,60,55,796 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના 24 કલાકમાં 16,10,829 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં (Gujarat Corona virus updates) ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 11 કેસ નોંધાયા છે. જેની સામે 19 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 5.25 કરોડથી વઘુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં 14મી સપ્ટેમ્બર 2021ની સાંજે રાજ્યના 30 જિલ્લા અને 5 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. કચ્છમાં 3, વડોદરા શહેરમાં 3, અમદાવાદ શહેરમાં 2, ભાવનગરમાં 1, જામનગરમાં 1, સુરત શહેરમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં ફક્ત 153 એક્ટિવ કેસ છે આ પૈકીના 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 149 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15,386 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર