બાંસવાડા : બાંસવાડાની મધ્યરાત્રિમાં એક એવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેને જોઈને લોકોના રૂવાંટા ઉભા થઈ ગયા હતા. મંદિરમાં, ફ્લોર પર ચાદર ઓઢીને સૂતા યુવક પર હવામાં ઉછળીને કોબ્રા સાપે હુમલો કર્યો હતો. સદનસીબે યુવાન બચી ગયો. સાપથી અંતર થઈ જવાના કારણે યુવકને બચવાની તક મળી ગઈ. આ પછી સાપ પણ ત્યાંથી ભાગી ગયો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
મંદારેશ્વર મંદિર રતલામ રોડ પર અરવલ્લી પર્વતમાળાઓની મધ્યમાં આવેલું છે. દીપડા જેવા જંગલી પ્રાણીઓ રાત્રે અહીં આવે છે. લોકો પણ તેમનાથી ડરતા રહે છે. શહેરના એક છેડે આવેલા આ મંદિરની ધાર પર મોટાભાગના કોબ્રા જાતિના સાપ જોવા મળે છે.
ભગવાન શિવમાં ઊંડી શ્રદ્ધા, યુવાન મંદિરમાં સૂતો હતો
કોબ્રાની ઘટના બાંસવાડાના રહેવાસી જય ઉપાધ્યાયના પુત્ર માધો ઉપાધ્યાય સાથે બની હતી. જય ભગવાન શિવમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. તે 44 દિવસથી મંદિર પરિસરમાં સૂઈ રહ્યો છે. રાબેતા મુજબ, રાત્રે લગભગ 10 વાગ્યે, જય મંદિરમાં શિવલિંગની સામે ફ્લોર પર કાર્પેટ બિછાવીને અને ચાદર ઓઢીને સૂઈ ગયો. પછી રાત્રે 12 વાગ્યાની આસપાસ કોબ્રા સાપ તેના બિસ્તરમાં ઘૂસી ગયો. થોડા સમય પછી તેને પથારીમાં કઈંક હોવાનો અહેસાસ થયો, તેથી તે તરત જ ઉભો થયો અને દુર જતો રહ્યો. આ દરમિયાન સાપે હવામાં કૂદીને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
કોબ્રા યુવકની જાંઘની આસપાસ ત્રણ મિનિટ સુધી લપેટાયો રહ્યો
જયે કહ્યું કે સાપ તેની જાંઘ પર 2-3 મિનિટ સુધી લપેટાયો હતો. આ પછી, જ્યારે તે ઊંઘમાં ફર્યો ત્યારે સાપ પણ હલવા લાગ્યો. આ દરમિયાન, પથારીમાં દેડકું આવી ગયું હોવાનું વિચારીને, તેણે તેને તેના પગથી દૂર કરવાનો પ્રયાસ કર્યો. પછી તેને લાગ્યું કે તે દેડકો નહીં પણ અન્ય કોઈ પ્રાણી છે. તે તરત જ ચાદર લઈ ઉભો થઈ ગયો. અને જોયું તો ખબર પડી કે પથારીમાં કોબ્રા સાપ છે. સદનસીબે તે સાપની પકડથી દૂર થઈ ગયો. આ પછી કોબ્રા સાપ પણ બીજી બાજુ દોડ્યો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર