નાગરિકતા પર સંગ્રામ : UPના 21 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ, 13 લોકોનાં મોત
તંત્રએ અફવાઓ અને દેખાવકારોને ભડકાવવા માટે સંદેશા ફેલાતા રોકવા માટે 21 જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. સાથે સાથે શનિવારે રાજ્યમાં સ્કૂલ, કૉલેજો અને યુનિવર્સિટીઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
તંત્રએ અફવાઓ અને દેખાવકારોને ભડકાવવા માટે સંદેશા ફેલાતા રોકવા માટે 21 જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. સાથે સાથે શનિવારે રાજ્યમાં સ્કૂલ, કૉલેજો અને યુનિવર્સિટીઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
લખનઉ : નાગરિકતા કાયદો (CAA) અને નેશનલ રજિસ્ટર ફૉર સિટિઝનશિપ (NRC)ના વિરોધમાં ઉત્તર પ્રદેશમાં હિંસા ફાટી નીકળી છે. રાજધાની લખનઉ સહિત જિલ્લાઓમાં દેખાવકારો રસ્તા પર ઉતરીને તોડફોડ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન મૃતકોની સંખ્યા વધીને 13 પર પહોંચી છે. બિઝનોર, સંભલ, ફિરોઝાબાદમાં બે-બે લોકોનાં મોત થયા છે. જ્યારે મેરઠ, કાનપુર અને વારાણસીમાં એક-એક લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત ત્રણ ડઝન જેટલા લોકો ઘાયલ થયા છે. તંત્રએ અફવાઓ અને દેખાવકારોને ભડકાવવા માટે સંદેશા ફેલાતા રોકવા માટે 21 જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. સાથે સાથે શનિવારે રાજ્યમાં સ્કૂલ, કૉલેજો અને યુનિવર્સિટીઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. (આ પણ વાંચો : શાહઆલમ હિંસા : આ બે ચહેરાએ લોકોને ઉશ્કેર્યા, સોશિયલ મીડિયાએ બળતામાં ઘી હોમ્યું)
રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ત્રણ દિવસથી હિંસક પ્રદર્શનો થઈ રહ્યા હોવાથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને સંયમ રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે કોઈને પણ કાયદો અને વ્યવસ્થા સાથે છેડછાડ કરવાનો અધિકાર નથી. સાથે જ તેમણે હિંસા ફેલાવી રહેલા લોકો સામે કડક હાથે કામ લેવામાં આવશે તેવી ચમકી ઉચ્ચારી હતી.
આ પહેલા શુક્રવારે રાજ્યમાં અધિક મુખ્ય સચિવ અવનીશ કુમાર અવસ્થી અને ડીજીપી ઓપી સિંહે લખનઉના રસ્તાઓ પર ફ્લેગ માર્ચ કરી હતી. આ વિસ્તારોમાં બે દિવસ પહેલા હિંસા થઈ હતી. હિંસા અને વિરોધ પ્રદર્શનને જોતા આખા ઉત્તર પ્રદેશમાં 31મી જાન્યુઆરી, 2020 સુધી કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. સાથે જ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસનો વધારાનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. સાથે જ પોલીસ પણ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી રહી છે.
Uttar Pradesh CM Yogi Adityanath appeals to people to maintain peace and to not believe any rumours. No one should take law into their hands. (file pic) #CitizenshipActpic.twitter.com/DiujMTuQkS
બીજી તરફ દિલ્હી પોલીસે ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદની શુક્રવારે મોડી રાત્રે ધરપકડ કરી છે. આ પહેલા ચંદ્રશેખરે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે તેઓ દિલ્હી ગેટથી ધરપકડ કરવામાં આવેલા તમામ લોકોને મુક્ત કરી દેવામાં આવે તો પોતાની ધરપકડ વહોરવા માટે તૈયાર છે. નોંધનીય છે કે સંશોધિત નાગરિકતા કાયદા (Citizenship Amendment Act)ના વિરોધમાં ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદ શુક્રવારે બપોરે દિલ્હીની જામા મસ્જિદ ખાતે થયેલા પ્રદર્શનમાં સામેલ થવા પહોંચ્યા હતા.
અટકાયત પહેલા ચંદ્રશેખરે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતં કે, "જો દિલ્હી પોલીસ વાતચીત કરવા માંગે છે તો પહેલા દિલ્હી ગેટથી પકડવામાં આવેલા લોકોને મુક્ત કરે." અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, "તમામ લોકોને મુક્ત કરવામાં આવે, હું ધરપકડ માટે તૈયાર છું. મિત્રો સંઘર્ષ કરતા રહેજો અને સંવિધાનના રક્ષણ માટે એકસાથે રહેજો. જય ભીમ, જય સંવિધાન."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર