Buddhadeb Bhattacharjeeએ પદ્મ પુરસ્કાર કેમ નકારી કાઢ્યો, શું છે તેની પાછળનું કારણ?
પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ બુદ્ધદેવ ભટ્ટાચારજી (Buddhadeb Bhattacharjee)એ પદ્મ ભૂષણ પુરસ્કાર સ્વીકારવા (Padma Bhushan)નો ઇનકાર કરી દીધો છે
Buddhadeb Rejects Padma Bhushan: પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ બુદ્ધદેવ ભટ્ટાચારજી (Buddhadeb Bhattacharjee)એ પદ્મભૂષણ પુરસ્કાર (Padma Bhushan) સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. વાસ્તવમાં ગણતંત્ર દિવસ (Republic Day)ની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે તેમને આ નાગરિક સન્માન આપવાની જાહેરાત કરી છે, જેને તેમણે ફગાવી દીધી છે.
નવી દિલ્હી. પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ બુદ્ધદેવ ભટ્ટાચારજી (Buddhadeb Bhattacharjee)એ પદ્મ ભૂષણ પુરસ્કાર સ્વીકારવા (Padma Bhushan)નો ઇનકાર કરી દીધો છે. વાસ્તવમાં ગણતંત્ર દિવસ (Republic Day)ની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે તેમને આ નાગરિક સન્માન આપવાની જાહેરાત કરી છે, જેને તેમણે ફગાવી દીધી છે. બુદ્ધદેવ ભટ્ટાચારજી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટબ્યુરોના પૂર્વ સભ્ય અને 2002થી 2011 સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતા.હવે સવાલ એ છે કે બુદ્ધદેવ ભટ્ટાચારજીએ સરકાર તરફથી મળેલા સન્માનનો સ્વીકાર કેમ ન કર્યો. ખરેખર, સામ્યવાદી પક્ષના નિયમો કોઈપણ સરકાર તરફથી કોઈપણ પ્રકારનું સન્માન પ્રાપ્ત કરવા પર પ્રતિબંધ મૂકે છે. પાર્ટીના નિયમ અનુસાર કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલ કોઈ પણ સભ્ય સરકાર તરફથી એવોર્ડ મેળવી શકે નહીં.
રાજનીતિ અને વિચારધારામાં વિરોધાભાસ સીપીઆઈએમએ ટ્વિટ કરીને કહ્યુ, "કોમરેડ બુદ્ધદેવ ભટ્ટાચારજીએ સરકાર દ્વારા આપવામાં આવનાર પદ્મ પુરસ્કારને ફગાવી દીધો છે. સીપીઆઈએમની નીતિ આવી કોઈ સરકારી સન્માન મેળવવાની નથી. અમારું કામ એવોર્ડ માટે નહીં પણ જનતા માટે છે. આ પહેલા કેરળના પૂર્વ મુખ્યમંત્રી કોમરેડ ઈએમએસ નમ્બુદરિપાદ પણ આ પ્રકારના એવોર્ડને ઠુકરાવી ચૂક્યા છે.
જો કે, રેકોર્ડ્સ સૂચવે છે કે પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ જ્યોતિ બાસુને મધર ટેરેસા સન્માન મળ્યું હતું. આ તબક્કે એવો સવાલ ઊઠી રહ્યો છે કે સામ્યવાદીઓ જ્યારે અન્ય એવોર્ડ લે છે ત્યારે સરકારી સન્માન કેમ નહીં. ખરેખર, સામ્યવાદીઓએ જે વિચારધારા અપનાવી છે તે રાજ્યનો વિરોધ કરે છે. આમ છતાં તેઓ રાજકારણમાં છે. આમાં સામ્યવાદીઓનો વિરોધાભાસ જોઈ શકાય છે." કમ્યુનિસ્ટ નેતાએ કહ્યું કે, અમે વિધાનસભામાં ભાગ લઈએ છીએ પરંતુ અમે સરકારી એવોર્ડમાં માનતા નથી.
રાજ્યમાંથી એવોર્ડ લેવાના સિદ્ધાંતની વિરુદ્ધ ભાજપના આઇટી સેલના કન્વીનર અમિત માલવિયએ જણાવ્યું હતું કે, સામ્યવાદીઓ હંમેશાં ભારતીય રાજ્ય (સરકાર)ને ધિક્કારતા આવ્યા છે. તેમને તેમની વિચારધારાનો એક ડોઝ માર્ક્સ અને લેનિન પાસેથી મળી છે, જેમણે હંમેશાં ભારત તરફ ખોટી સૂઝથી જોયું છે. સામ્યવાદી ચળવળોના ઘણા જૂથો છે જે ઘણીવાર ભારતીય રાજ્યોની શક્તિને હિંસક પ્રવૃત્તિઓ દ્વારા જડમૂળથી ઉખેડી નાખવાની શપથ લે છે. તેથી જ ભારતીય રાજકારણમાં સામ્યવાદીઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે.
જો કે કમ્યુનિસ્ટ પાર્ટીની અંદરના સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાંથી એવોર્ડ લેવો અમારા સિદ્ધાંતની વિરુદ્ધ છે. પરંતુ બીજી તરફ સામ્યવાદીનું રાજકીય જૂથ વિધાનસભામાં ભાગ લે છે પણ રાજ્ય તરફથી સન્માન મેળવવામાં માનતો નથી એ પણ સત્ય છે. તથ્યો દર્શાવે છે કે તેમને કોઈ પણ સંસ્થા અથવા બિન-રાજ્યો તરફથી આદર મેળવવામાં કોઈ સમસ્યા નથી. રાજ્યસભાના સાંસદ વિકાસ ભટ્ટાચાર્યએ કહ્યું, "મને યાદ નથી કે જ્યોતિ બાસુએ કોઈ સન્માન લીધું હતું કે નહીં પરંતુ અમે રાજ્યમાંથી એવોર્ડ લેતા નથી. તેમણે કહ્યું કે આ સરકારનું ચરિત્ર જુઓ. જ્યારે અમે તેઓ જે રીતે કામ કરે છે તે અમને ગમતું નથી, તો શા માટે અમે તેમની પાસેથી પુરસ્કારો લઈએ?
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર