Home /News /national-international /પાકિસ્તાનની નાપાક હરકત; BSFએ અમૃતસરમાં પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો, એક પંપ ગન પણ મળી આવી

પાકિસ્તાનની નાપાક હરકત; BSFએ અમૃતસરમાં પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો, એક પંપ ગન પણ મળી આવી

BSFએ ફરી એકવાર આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું

BSFએ ફરી એકવાર આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. અમૃતસરના અજનલા સેક્ટરમાં BSF જવાનોએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કરીને મોટી સફળતા મેળવી છે. હાલ આ વિસ્તારની શોધખોળ ચાલુ છે.

BSFએ ફરી એકવાર આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. અમૃતસરના અજનલા સેક્ટરમાં BSF જવાનોએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કરીને મોટી સફળતા મેળવી છે. હાલ આ વિસ્તારની શોધખોળ ચાલુ છે. આ ઘુસણખોરને રામદાસ વિસ્તાર નજીક બીઓપી ચન્ના પાસે માર્યો ગયો છે. બીએસએફના ડીઆઈજી પ્રભાકર જોશીએ આ જાણકારી આપી છે.

BSFએ પંજાબમાં ભારત-પાકિસ્તાન આતંરરાષ્ટ્રીય સરહદ પાસે ગુરદાસપુર સેક્ટરમાં મંગળવારે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો હતો. અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યુ કે, પાકિસ્તાની ઘૂસણખોર વિશે સવારે 8:00 વાગ્યા આસપાસ માહિતી મળી હતી. બીએસએફને માહિતી મળી હતી કે, ઘૂસણખોર હથિયારોથી સજ્જ છે. ત્યારબાદ તેને ઠાર કરવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું કે, હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.





આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, બારીના કાચ તોડ્યા; પીએમએ 4 દિવસ પહેલા જ લીલી ઝંડી આપી હતી

અગાઉ ચેતવણી આપવામાં આવી હતી


મંગળવારે એટલે કે આજે સવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ સરહદી ગામ દરિયા મંસૂર પાસે આવતા વિસ્તારમાં સરહદ પર વાડ લગાવતી વખતે એક પાકિસ્તાની બદમાશની શંકાસ્પદ ગતિવિધિ જોઈ. જવાનો તરફથી અગાઉ પણ ચેતવણી આપવામાં આવી હતી પરંતુ તે રોકાયો નહીં અને આગળ વધવા લાગ્યો. ખતરો જોઈને બીએસએફ જવાનોએ સ્વબચાવમાં બદમાશ પર ગોળીબાર કર્યો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

રવિવારે રાત્રે પાકિસ્તાની ડ્રોન બીઓપી કમાલપુર જટ્ટન ખાતે ભારત તરફ ઘૂસી રહ્યું હતું પરંતુ આ હિલચાલ જોતા BSF જવાનોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતુ ત્યારબાદ પાકિસ્તાની ડ્રોન પરત ફરી ગયુ હતું.
First published:

Tags: BSF, Pakistan news, Terrorists

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો