Home /News /national-international /...તો શરદ પવાર અને ચવ્હાણને બાદ કરતાં તેમની પાર્ટીમાં કોઈ નહીં બચે : અમિત શાહ

...તો શરદ પવાર અને ચવ્હાણને બાદ કરતાં તેમની પાર્ટીમાં કોઈ નહીં બચે : અમિત શાહ

ગૃહ મંત્રી અમિત શાહ (ફાઇલ તસવીર)

અમિત શાહે કહ્યું કે, જો ભાજપ પોતાના દરવાજા પૂરા ખોલી દેશે તો કોંગ્રેસ-એનસીપી ખાલી થઈ જશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓનું સત્તારૂઢ પાર્ટીમાં જોડાવા પર બંને પાર્ટીઓ પર કટાક્ષ કર્યો છે. અમિત શાહે કોંગ્રેસના સિનિયર નેતા સુશીલકુમાર શિંદેના વતન સોલાપુરમાં કહ્યું કે, જો ભાજપ પોતાના દરવાજા પૂરી રીતે ખોલી દે તો શરદ પવાર અને પૃથ્વીરાજ ચવ્હાણ સિવાય તેમની પાર્ટીમાં કોઈ નહીં બચે.

અમિત શાહ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તરફથી શરૂ કરવામાં આવેલી મહાજનાદેશ યાત્રાના બીજા ચરણના સમાપન પ્રસંગે દક્ષિણ મહારાષ્ટ્રના સોલાપુર શહેરમાં હતા. શરદ પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ છે, જ્યારે પૃથ્વીરાજ ચવ્હાણ કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી છે. બંને પાર્ટીઓ, ખાસ કરીને એનસીપીના અનેક નેતા ભાજપ અને શિવસેનામાં સામેલ થયા છે.

આ પણ વાંચો, આર્થિક મંદી પર બીજેપી નેતા સુશીલ કુમાર મોદીનું વિચિત્ર નિવેદન, 'શ્રાવણ-ભાદરવામાં મંદી રહે છે'

બીજી તરફ, એનસીપીની લોકસભા સાંસદ સુપ્રીયા સુલેએ જણાવ્યું કે, તેઓએ મજાકમાં પાર્ટી પ્રમુખ અને પિતા શરદ પવારને કહ્યું કે તેઓ ભાગ્યશાળી છે કે તેમની દીકરો નથી જે કારકિર્દી બનાવવા પિતાની સાથે પાર્ટી છોડી કોઈ અન્ય પાર્ટીમાં જતો રહે. એનસીપીના કેટલાક નેતા હાલમાં ભાજપ અને શિવસેનામાં સામેલ થઈ ગયા અને આવી દરેક ઘટનામાં એવા પ્રકારના આશંકા વ્યક્ત કરવામાં આવી કે તેમના પિતા પણ સત્તારૂઢ પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે.

સુપ્રીયા સુલેએ એમ પણ કહ્યું કે, તેમને એ જોઈને આશ્ચર્ય થાય છે કે એનસીપી નેતા પદ્મસિંહ પાટિલનું કથિત કરી ભાજપમાં જોડાવા વિશે એક પત્રકારના સવાલ પર તેમના પિતા ગુસ્સે થઈ ગયા. સુલેએ કહ્યું કે, દીકરા વિશે સમજી શકાય છે કે તે પરિવારનો વારસો સંભાળે છે. સુલેએ કહ્યું કે, તેઓએ પવારને હળવી પળોમાં કહ્યું કે તેઓ ભાગ્યશાળી છે કે તેમને કોઈ દીકરો નથી. તેઓએ કહ્યું, હું મહારાષ્ટ્રના રાજકારણમાં એક પ્રચલન જોઈ રહી છું કે દીકરા પોતાની કારકિર્દી માટે પોતાના પિતાને બીજી પાર્ટીમાં લઈ જઈ રહ્યા છે. આ પ્રકારનો વારસો સંભાળનારાઓમાં દીકરીઓ સારી છે.

આ પણ વાંચો, કેન્‍દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યુ, ગાય પેદા કરવાની ફેક્ટરી શરૂ કરીશું, સમજાવી ટેક્નીક
First published:

Tags: Amit shah, Devendra Fadnavis, Maharashtra Assembly Election 2019, NCP, Sharad Pawar, Shiv sena, કોંગ્રેસ, ભાજપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો