અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં રાખવામાં આવેલા મોહમંદ અલી જિન્નાહના તૈલચિત્ર સામે ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્યએ વાંધો ઉઠાવ્યો છે અને તેને દૂર કરવા મટે યુનિવર્સિટીની કુલપતિને આ બાબતે પત્ર લખ્યો છે.
મોહમંદ અલી જિન્નાહનું આ તૈલચિત્ર આઝાદી પહેલા 1938માં અહીંયા મૂકવામાં આવ્યુ હતું. આ સમયે મુસ્લિમો માટે અલગ દેશની મુસ્લિમ લીગની માંગણી જોરશોરથી ચાલતી હતી.
મોહમંદ અલી જિન્નાહનું તૈલચિત્ર સ્ટુડન્ટ્સ યુનિયનની ઓફિસમાં લગાવેલું છે. આ બાબતે ભાજપના સંસદસભ્ય સતિશ ગૌતમે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખી આ તૈલચિત્ર હટાવવા માંગણી કરી છે.
તેમણે કહ્યુ કે, જિન્નાહને પાકિસ્તાનમાં લોકો પુજા કરે તો મને કોઇ વાંધો નથી. પણ તેમને તૈલચિત્ર અહીંયા ભારતમાં હોવુ ન જોઇએ.
સતિશ ગૌતમ અલીગઢથી ભાજપના સંસદસભ્ય છે. તેઓ આ મુદ્દે યુનિવર્સિટીના કુલપતિ તારીક મન્સૂર સાથે પણ વાત કરશે. સતિશ ગૌતમે જણાવ્યુ કે, જિન્નાહના તૈલચિત્રના બદલે યુનિવર્સિટીએ રાજા મહેન્દ્ર પ્રતાપ અને સર સૈયદ અહેમદ જેવા લોકોના જીવનને ઉજવવુ જોઇએ. આ લોકોએ આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ યુનિયને દાવો કર્યો હતો કે, બીજા અન્ય નેતાઓની જેમ જિન્નાહેને પણ આ યુનિવર્સિટીનું માનદ સભ્યપદ આપવામાં આવ્યુ હતુ અને એટલા માટે તેમનુ તૈલચિત્ર અહીં મૂકવામાં આવ્યુ હતુ.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પબ્લીક રિલેશન ઓફિસર ઓમર પિરઝાડાએ ન્યૂઝ18ને જણાવ્યુ કે, 1920થી યુનિવર્સિટીની એ પરંપરા રહી છે કે, જાહેર જીવનના લોકોને યુનિવર્સિટીનું આજીવન સભ્યપદ આપવું. આ યુનિવર્સિટીએ 1920માં મહાત્મા ગાંધીને આ સભ્યપદ આપ્યુ હતું અને 1938માં આ સભ્યપદ જિન્નાહને આપવામાં આવ્યુ હતું. આ એક ઇતિહાસને ભાગ છે. એનો મતલબ એવો નથી અમે તેમના રાજકરાણનો પણ એક ભાગ છીએ. સી.વી રામન અને વી.વી ગીરીને પણ આ સન્માન આપવામાં આવ્યુ હતુ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર