Home /News /national-international /બિહારમાં લઠ્ઠાકાંડ: જે પીશે તે મરવાના જ છે! 39 જણાના મોત બાદ નીતિશ કુમાર લાજવાને બદલે ગાજવા લાગ્યાં

બિહારમાં લઠ્ઠાકાંડ: જે પીશે તે મરવાના જ છે! 39 જણાના મોત બાદ નીતિશ કુમાર લાજવાને બદલે ગાજવા લાગ્યાં

bihar chief minister nitish kumar

છપરા સદર હોસ્પિટલમાં 6 તો અલગ ખાનગી હોસ્પિટલોમાં 20થી વધારે લોકો ભરતી છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.

પટના: બિહારના છપરામાં ઝેરી દારુ પીવાથી મોત પર મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું છે કે, ઝેરી દારુથી લોકો પહેલાથી જ મરી રહ્યા છે, ઝેરી દારુ પીવાથી અન્ય રાજ્યોમાં પણ લોકો મરે છે, લોકોએ સાવચેત રહેવું જોઈએ, કેમ કે જ્યારે દારુ બંધી છે, તો ખરાબ દારુ જ મળશે. જે દારુ પીશે, તે મરવાના જ છે. તેના પર પુરેપુરી એક્શન લેવાશે. છપરામાં ઝેરી દારુથી મરનારા લોકોનો આંકડો હવે 39 પાર થઈ ગયો છે.

છપરા સદર હોસ્પિટલમાં 6 તો અલગ ખાનગી હોસ્પિટલોમાં 20થી વધારે લોકો ભરતી છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.



આ અગાઉ પણ નીતિશ કુમારે બુધવારે બિહાર વિધાનસભામાં છપરા લઠ્ઠાકાંડને લઈને ભાજપના ધારાસભ્યો પર ખૂબ પ્રહારો કર્યા હતા. વિધાનસભામાં નીતિશ કુમારનો પિત્તો ગયો હતો. જ્યારે ભાજપના ધારાસભ્યે છપરામાં મોટી સંખ્યામાં કથિત રીતે ઝેરી દારુ પીવાથી લોકોના મોત થવા પર સરકારનો ઘેરાવ કર્યો હતો. તો વળી નીતિશ કુમારે ભાજપ પર હુમલો કરતા કહ્યું કે, આપ લોકો જ પહેલા દારુબંધીના પક્ષમાં હતા, તો હવે શું થયું અને તેમણે કહ્યું કે, દારુબંધીવાળા બિહારમાં જે દારુ પીશે તે મરશે.
First published:

Tags: Bihar News, Nitish Kumar

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો