Home /News /national-international /J&K: સુરક્ષા દળોનું મોટું ‘સફાઈ અભિયાન’, 2020માં ઠાર મરાયા 203 આતંકવાદી

J&K: સુરક્ષા દળોનું મોટું ‘સફાઈ અભિયાન’, 2020માં ઠાર મરાયા 203 આતંકવાદી

ફાઇલ તસવીર

જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા 203 આતંકી પૈકી 166 સ્થાનિક, 43 નાગરિકો પણ બન્યા ભોગ

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir)માં સુરક્ષા દળો (Security Forces) દ્વારા ઠાર મારવામાં આવેલા 203 આતંકવાદીઓમાંથી 166 સ્થાનિક આતંકવાદી સામેલ હતા. ઓફિશિયલ સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ દરમિયાન 43 નાગરિકોના પણ મોત થયા જ્યારે 92 અન્ય ઘાયલ થયા. તેઓએ જણાવ્યું કે સુરક્ષા દળોએ આ વર્ષે 49 આતંકવાદીઓની (Terrorists) ધરપકડ કરી છે, જ્યારે 9 આતંકવાદીઓએ આત્મસમર્પણ પણ સુનિશ્ચિત કર્યું.

37 પાકિસ્તાની કે પછી વિદેશી મૂળના આતંકવાદી

અધિકારીઓએ. જણાવ્યું કે આ સંયુક્ત સુરક્ષા ગ્રિડમાં૦ કામ કરી રહેલી આર્મી, પોલીસ અને કેરિપુબના સમન્વિત પ્રયાસોનું પરિણામ છે. તેઓએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે 203 આતંકવાદીઓ માર્યા ગયા અને તેમાંથી 166 સ્થાનિક હતા અને 37 પાકિસ્તાની કે પછી વિદેશી મૂળના હતા.

આ પણ વાંચો, મધ્ય પ્રદેશમાં પણ ‘લવ જેહાદ’ કાયદો- ધાર્મિક સ્વતંત્રતા અધ્યાદેશને કેબિનેટની મંજૂરી, 10 વર્ષ કેદની જોગવાઈ

2020માં આતંકવાદ સંબંધી 96 ઘટનાઓ

અધિકારીઓએ કહ્યું કે, 2020માં આતંકવાદ સંબંધી 96 ઘટનાઓ બની. તેઓએ જણાવ્યું કે આ ઘટનાઓમાં 43 નાગરિકોએ પણ જીવ ગુમાઝયો જ્યારે 92 અન્ય ઘાયલ થયા. તેઓએ જણાવ્યું કે હતાહત નાગરિકોની સંખ્યા 2019ની તુલનામાં ઓછી છે. ગયા વર્ષે 47 નાગરિકોનાં મોત થયા હતા અને 185 અન્ય ઘાયલ થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે 2020 દરમિયાન 14 આઇઆઇડી જપ્ત કરવામાં આવી જ્યારે 2019માં 36 આઇઆઇડી જપ્ત કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં 2019માં સુરક્ષા દળોએ 120 સ્થાનિક અને 32 પાકિસ્તાની મૂળના સહિત કુલ 152 આતંકવાદીઓને ઢાળી દીધા હતા જ્યારે 2018માં સુરક્ષા દળોના હાથે 215 આતંકવાદી ઠાર મરાયા હતા.

આ પણ વાંચો, IND vs AUS: અજિંક્ય રહાણેને મળ્યો ઐતિહાસિક મુલાગ મેડલ, 152 વર્ષ જૂનો છે ઈતિહાસ
" isDesktop="true" id="1059563" >

દક્ષિણ કાશ્મીરમાં સૌથી વધુ એન્કાઉન્ટર થયા

રિપોર્ટ મુજબ, 2018માં જમ્મુ-કાશ્મીરમાં 614 આતંકી ઘટનાઓમાં કુલ 257 આતંકવાદી, 91 સુરક્ષાકર્મી અને 39 નાગરિક માર્યા ગયા હતા. સૂત્રો મુજબ દક્ષિણ કાશ્મીરમાં સૌથી વધુ એન્કાઉન્ટર થયા જ્યાં સૌથી વધુ આતંકવાદી માર્યા ગયા. શોપિયાં, કુલગામ અને પુલવામા જેવા ક્ષેત્રોમાં આતંકી સમૂહો દ્વારા સ્થાનિક યુવકોની ભરતીના કેસ સામે આવ્યા અને અહીં જ સૌથી વધુ એન્કાઉન્ટર પણ થયા.
First published:

Tags: Bye Bye 2020, Jammu and kashmir, Security forces, Year ender 2020, આતંકવાદ, આતંકી, એન્કાઉન્ટર, પાકિસ્તાન, ભારત, ભારતીય સેના