15:32 (IST)
ગાઝીપુર બોર્ડર પ્રદર્શન કરી રહેલા ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, અમારું ભારત બંધ સફળ રહ્યું. અમને ખેડૂતોનું પૂરું સમર્થન મળ્યું. અમે બધું સીલ ન કરી શકીએ કારણ કે અમે લોકોની અવર-જવરને સુવિધાજનક બનાવી છે. અમે સરકાર સાથે વાતચીત કરવા તૈયાર છીએ, પરંતુ કોઈ વાતચીત નથી થઈ રહી. તેમણે (યોગી આદિત્યનાથ) ઘોષણાપત્રમાં શેરડીના ટેકાનો ભાવ વધારીને 375-450 કરવાનો વાયદો કર્યો હતો, તેમ છતાંય તેમણે માત્ર 25 રૂપિયા જ વધાર્યા. તેમણે થયેલા નુકસાનનો હિસાબ આપવો જોઈએ.