હૈદરાબાદ : બજરંગ દળ (Bajrang Dal)એ શનિવારે 'ગરબા અને ડાંડિયા' (Garba Dandiya) આયોજકોને કહ્યુ છે કે બિન-હિન્દુ સમુદાયો સાથે જોડાયેલા લોકોનાં ગરબા સ્થળે પ્રવેશ આપતાં પહેલા આધાર કાર્ડ (Aadhar Card) તપાસો. સંગઠને આયોજકોને કહ્યુ કે, બિન-હિન્દુઓ વિશે જાણવા માટે પ્રવેશ સ્થળે આધાર કાર્ડ અનિવાર્ય કરો.
બજરંગ દળે આયોજકોને લખેલા એક ખુલ્લા પત્રમાં દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન, બિન-હિન્દુ યુવા આ પ્રકારના સમારોહમાં પ્રવેશ કરીને મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરતા રહે છે. સાથોસાથથ આ પ્રકારના યુવા લોકોની સાથે મારપીટ પણ કરે છે, જે કથિત પીડિતોના બચાવ માટે આવે છે.
સંગઠને કહ્યુ કે, આ ઉપરાંત ઇવેન્ટ મેનેજર બિન હિન્દુ બાઉન્સરોને કામ પર ન રાખે, જે આ બદમાશોને ગરબા ઇવેન્ટમાં પ્રવેશ કરાવવા મુખ્ય કારણભૂત છે. આ ઉપરાંત ગરબા ઇવેન્ટમાં નજર રાખવા માટે જરૂરી સાધન-સામગ્રીનો અભાવ પણ ચિંતાનો વિષય છે.