Home /News /national-international /નવી પહેલ: ભાજપ શાસિત આ રાજ્યએ મંદિરના પૂજારીઓને 10-10 હજાર સેલરી આપી

નવી પહેલ: ભાજપ શાસિત આ રાજ્યએ મંદિરના પૂજારીઓને 10-10 હજાર સેલરી આપી

આસામ સરકારે મંદિરોના પૂજારીઓને આપી આર્થિક મદદ

મુખ્યમંત્રી શર્માએ કહ્યું કે, મહામારી દરમિયાન પૂજારીઓને પડેલી મુશ્કેલીઓને જોતા સરકારે આ પહેલ કરી છે.

ગુવાહટી: આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્વ શર્માએ રાજ્યના મંદિરો અને નામઘર (વૈષ્ણવ પ્રાર્થના સભાગાર)ના પૂજારીઓને મંગળવારે ઔપચારિક રીતે 10-10 હજાર રૂપિયાની સેલરી આપી છે.

આ પણ વાંચો: ઉજ્જૈન મહાકાલ મંદિરમાં મોબાઈલ અને બેગ લઈ જવા પર પ્રતિબંધ, શ્રદ્ધાળુઓ માટે લાગુ કરવામાં આવ્યા નવા નિયમ

સત્તાવાર નોટિફિકેશનમાં કહેવાયું છે કે, 6124 વૈષ્ણવ પૂજારી, 2148 મંદિરોના મહંત અને પૂજારીને અનુદાન આપવામાં આવ્યું છે. તેમાં કહેવાયું છે કે, આ મદદ કોવિડ પ્રભાવિત વસ્તીને નાણાકીય સહાય આપનારા રાજ્ય અંતર્ગત આપવામાં આવી છે.



મુખ્યમંત્રી શર્માએ કહ્યું કે, મહામારી દરમિયાન પૂજારીઓને પડેલી મુશ્કેલીઓને જોતા સરકારે આ પહેલ કરી છે.

અગાઉ ઓગસ્ટ 2021માં કોરોના મહામારીના કારણે મંદિરોમાં પૂજારીઓને 15000 રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયનું હિન્દુ જનજાગૃતિ સમિતિએ પણ સ્વાગત કર્યું હતું અને અન્ય રાજ્ય તેની પહેલ કરે તેવી પણ માગ કરી હતી.
First published:

Tags: આસામ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો