Home /News /national-international /પંજાબઃ મોગામાં ભારતીય વાયુસેનાનું મિગ-21 ક્રેશ, પાઇલટ અભિનવ ચૌધરીએ જીવ ગુમાવ્યો

પંજાબઃ મોગામાં ભારતીય વાયુસેનાનું મિગ-21 ક્રેશ, પાઇલટ અભિનવ ચૌધરીએ જીવ ગુમાવ્યો

ફાઇલ તસવીર

પાઇલટ અભિનવ ચૌધરી ફાઇટર જેટ મિગ-21 લઈને પરત આવી રહ્યા હતા ત્યારે બની દુર્ઘટના, તપાસના આદેશ

ચંદીગઢ. મોગાના કસ્બા બાઘાપુરાનાના ગામ લંગિયાના ખુર્દની પાસે ભારતીય વાયુસેના (Indian Air Force)નું ફાઇટર જેટ મિગ-21 (MiG-21 Fighter Aircraft) દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. મળતી જાણકારી મુજબ ટ્રેનિંગ દરમિયાન પાઇલટ અભિનવે મિગ-21થી રાજસ્થાનના સૂરતગઢથી હલવારા અને હલવારાથી સૂરતગઢ માટે ઉડાન ભરી હતી. આ દરમિયાન બાઘાપુરાના પાસે તેમનું ફાઇટર જેટ ક્રેશ થઈ ગયું. મળતા અહેવાલો મુજબ આ ક્રેશમાં પાઇલટ અભિનવ ચૌધરી (Sqn Ldr Abhinav Choudhary)નું મોત થયું છે.

મળતી જાણકારી મુજબ, પાઇલટ અભિનવે ટ્રેનિંગ દરમિયાન ફાઇટર જેટ મિગ-21થી ઉડાન ભરી હતી. અભિનવ મિગ-21થી રાજસ્થાનના સૂરતગઢથી હલવારા તરફ રવાના થયા હતા. પોતાની ઉડાન દરમિયાન જ્યારે અભિનવ ફાઇટર જેટને લઈને પરત આવી રહ્યા હતા ત્યારે તેમનું પ્લેન દુર્ઘટનાનું શિકાર થઈ ગયું. દુર્ઘટનાની જાણકારી મળતા જ વાયુસેનાની એક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

આ પણ વાંચો, કોરોનાની વેક્સીન લેતાં પહેલા ન કરો આ 6 કામ, સરકારે જાહેર કરી ગાઇડલાઇન્સ

" isDesktop="true" id="1098271" >

આ પણ વાંચો, Cyclone Yaas: અમ્ફાન જેવો વિનાશ વેરી શકે છે યાસ વાવાઝોડું- IMDના અધિકારીઓએ વ્યક્ત કરી આશંકા

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ પાઇલટ અભિનવનો મૃતદેહ મળી આવ્યો છે. વાયુસેનાના અધિકારીઓએ દુર્ઘટનાના કારણોની તપાસના આદેશ જાહેર કરી દીધા છે. હજુ સુધી એ વાતની જાણકારી નથી મળી કે દુર્ઘટના કયા કારણે થઈ.
First published:

Tags: Aircraft, IAF, Indian Air Force, Mig-21, Pilot, ક્રેશ, પંજાબ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો