Home /News /national-international /AN-32 ક્રેશ : માર્યા ગયેલા તમામ લોકોનાં મૃતદેહ મળ્યાં

AN-32 ક્રેશ : માર્યા ગયેલા તમામ લોકોનાં મૃતદેહ મળ્યાં

દુર્ઘટનામાં 13 લોકોનાં મોત થયા છે.

દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ 13 લોકોનાં મૃતદેહ મળ્યાં છે, વાયુસેના આ દુર્ઘટનાની તપાસ (કોર્ટ ઓફ ઇન્ક્વાયરી)નો આદેશ આપી ચુકી છે.

અરુણાચલ પ્રદેશના ગાઢ જંગલવાળા પર્વતીય વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા AN-32 વિમાનમાં સવાર તમામ 13 લોકોનાં મોત થઈ ચુક્યા છે. વાયુસેનાએ ગુરુવારે આ જાણકારી આપી હતી. અધિકારિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘટનાસ્થળેથી વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. બ્લેક બોક્સથી દુર્ઘટનાની કારણ જાણવામાં મદદ મળશે.

દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ 13 લોકોનાં મૃતદેહ મળ્યાં છે, વાયુસેના આ દુર્ઘટનાની તપાસ (કોર્ટ ઓફ ઇન્ક્વાયરી)નો આદેશ આપી ચુકી છે.

નોંધનીય છે કે રશિયા નિર્મિત એએન-32 વિમાન ત્રીજી જૂનના રોજ જોરહાટથી ચીન સીમા પાસે આવેલા મેચુકા એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ જઈ રહ્યું હતું. ઉડાન ભર્યાના 33 મિનિટ બાદ રડાર સાથે વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો.



આ લોકોનાં થયા મોત

IAFના જણાવ્યા પ્રમાણે AN-32માં જીએમ ચાર્લ્સ (વિંગ કમાન્ડર), એચ વિનોદ (સ્ક્વોડ્રન લીડર), આર થાપા (ફ્લાઇંગ લેફ્ટિનેન્ટ), એસ મોહંતી (ફ્લાઇંગ લેફ્ટિનેન્ટ), એમકે ગર્ગ (ફ્લાઇંગ લેફ્ટિનેન્ટ), કેકે મિશ્રા (વોરંટ ઓફિસર), અનૂપ કુમાર (સાર્જિયન્ટ ), શેરિન (કોર-પોરલ) એસકે સિંહ (લીડ એરક્રાફ્ટ મેન), પંકજ (લીડ એરક્રાફ્ટ મેન), પુતાલી (નોન કોમ્બેટેન્ટ કર્મી) અને રાજેશ કુમાર (નોનો કોમ્પેટ કર્મી) સવાર હતા.

12 હજાર ફૂટ નીચે પડ્યો હતો કાટમાળ

અરુણાચલ પ્રદેશ સરકાર તરફથી AN-32નો કાટમાળ મળ્યો છે તે વિસ્તારનો નકશો જાહેર કરવામાં આવ્યો છે. કાટમાળ 12 હજાર ફૂટ નીચે પડ્યો છે. રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નકશામાં AN-32 વિમાનની ક્રેશ સાઇટને સ્પષ્ટ જોઈ શકાય છે. ભારતીય વાયુ સેના તરફથી જણાવવામાં આવ્યું છે કે લાપતા વિમાનના બાકીના કાટમાળને શોધવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. AN-32 વિમાનના કાટમાળને શોધવા માટે MI17S જેવા એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટરને કામે લગાવવામાં આવ્યા હતા.
First published:

Tags: Aircraft, Border, IAF, Indian Air Force, આસામ, ચીન