Home /News /national-international /ભારતમાં ફરી વાર લાગશે લોકડાઉન અને આકરા પ્રતિબંધો? નિષ્ણાંતોએ કહી આ વાત, પણ તમારુ શું માનવું છે?

ભારતમાં ફરી વાર લાગશે લોકડાઉન અને આકરા પ્રતિબંધો? નિષ્ણાંતોએ કહી આ વાત, પણ તમારુ શું માનવું છે?

corona case in india

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એઈમ્સ), દિલ્હીના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, કુલ મળીને કોવિડના કેસોમાં વધારો થયો નથી અને ભારત હાલમાં સારી સ્થિતિમાં છે. હાલની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવવા અથવા લોકડાઉન લાગૂ કરવાની કોઈ જરુર નથી.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ભારતમાં કોવિડ- 19ની હાલત જોતા શું આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ અથવા લોકડાઉન લાગૂ કરવાની જરુર છે? આ સવાલ પર નિષ્ણાંતોનું સ્પષ્ટ કહેવું છે કે, દેશમાં એવી હાલત નથી. જો કે, તેની સાથે તેમનું કહેવું છે કે, અમુક દેશોમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે, તેના પર નજર અને સતર્કતા રાખવી જરુરી છે. તેમણે એવું પણ કહ્યું કે, કોવિડ 19ના ગંભીર કેસો આવતા અને દર્દીઓમાં હોસ્પિટલ ભરતી થવાની આશંકા નથી. કારણ કે, ભારતના લોકોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી વિકસિત થઈ ચુકી છે.

આ પણ વાંચો: દિવસની શરૂઆત આ ‘ચા’ થી કરો, કોરોનાની ઝપેટમાં જલદી નહીં આવો અને ઇમ્યુનિટી બુસ્ટ થશે

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એઈમ્સ), દિલ્હીના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, કુલ મળીને કોવિડના કેસોમાં વધારો થયો નથી અને ભારત હાલમાં સારી સ્થિતિમાં છે. હાલની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવવા અથવા લોકડાઉન લાગૂ કરવાની કોઈ જરુર નથી.

ડો. ગુલેરિયાએ કહ્યું કે, પહેલાના અનુભવ જોતા સંક્રમણના પ્રસારને રોકવા માટે ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવવા પ્રભાવી થી. તેમણે કહ્યું કે, આંકડા બતાવે છે કે, ચીનમાં સંક્રમણ ઝડપથી ફેલાવવા માટે જવાબદાર ઓમિક્રોન બીએફ.7 સબવેરિએન્ટ આપણા દેશમાં પહેલી પણ જોવા મળ્યો છે.

એવું પુછવામાં આવતા કે શું આવનારા દિવસોમાં લોકડાઉનની જરુર પડશે, તો ડો. ગુલેરિયાએ કહ્યું કે, કોવિડના ગંભીર કેસો અને દર્દીઓ હોસ્પિટલમાં ભરતી થવાની શક્યતા નથી, કારણ કે રસીકરણનો સારો એવો દર અને પ્રાકૃતિક રીતે સંક્રમણ થવાના કારણે ભારતીયોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી પહેલાથી વિકસિત થઈ ચુકી છે. તેમણે કહ્યું કે, હાલી સ્થિતિને ધ્યાનમાં રાખતા લોકોની વચ્ચે હાઈબ્રિડ ઈમ્યુનિટી સારી એવી વધવાના કારણે લોકડાઉનની જરુર જણાતી નથી.

તો વળી સફદરજંગ હોસ્પિટલના ફેફસા અને ઊંડી દેખરેખ વિભાગના પ્રોફેસર ડો.નીરજ ગુપ્તાએ કહે છે કે, ભારતને ચીન તથા અમુક અન્ય દેશોમાં કોવિડ 19ના કેસમાં વધારો જોતા વધારે સાવધાની રાખવાની જરુર છે. પણ ભારતમાં હાલની સ્થિતિ જોતા નજીકના ભવિષ્યમાં લોકડાઉન જેવી સ્થિતિ આવશે નહીં. તેમણે કહ્યું કે, હાઈબ્રિડ ઈમ્યુનિટી કોઈ વ્યક્તિના ભવિષ્યમાં થનારી સંક્રમણ વધારે વધારે સુરક્ષા આપે છે.

આ પણ વાંચો: ચીનમાં 25 કરોડ છે કોરોનાથી સંક્રમિત દર્દીઓનો આંકડો, લીક દસ્તાવેજોમાં થયો ખુલાસો

ડો. ગુપ્તાએ એવું પણ કહ્યું કે, ચીન હાલમાં વધારે નબળી સ્થિતિમાં છે, જેના કારણે તે પ્રાકૃતિક ઈમ્યુનિટી, ખરાબ રસીકરણ રણનીતિ હોઈ શકે છે. જેમાં વૃદ્ધ અને નબળી વસ્તીની સરખામણીમાં યુવા અને સ્વસ્થ લોકોને પ્રાથમિકતા આપવામા આવી છે. સાથે જ ચીની રસીનું સંક્રમણથી બચવામાં ઓછી પ્રભાવી હોવાનું પણ સામે આવ્યું છે.

આ ઉપરાંત રસીકરણ પર રાષ્ટ્રીય ટેકનિક સલાહકાર ગ્રુપના અધ્યક્ષ ડો. એન કે અરોડાએ કહ્યું છે કે, ભારતમાં કોવિડની હાલની સ્થિતી કાબૂમાં છે અને ગભરાવાની કોઈ વાત નથી. તેમણે કહ્યું કે, લોકોને કોવિડ અનુકૂળ વ્યવહાર અપનાવવા જોઈએ અને રસી લઈ લેવી જોઈએ.
First published:

Tags: Corona lockdown, Corona virus Update

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો