ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખાની પાસે સામાન્ય લોકો પર ક્લસ્ટર બોમ્બથી હુમલા સાથે જોડાયેલા પાકિસ્તાનના આરોપોને 'જૂઠ અને છળ' કરાર કર્યુ છે.
આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી અને ત્યાંના સૈન્ય પ્રવક્તા આસિફ ગફૂરે ભારતીય સેના પર નિયંત્રણ રેખાની પાસે રહેનારા લોકોને નિશાન બનાવતાં ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેની પર સેનાના જન સૂચના એડિશિનલ મહાનિદેશક (એડીજીપીઆઈ)ની આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી. એડીજીપીઆઈએ એક સંક્ષિપ્ત નિવેદનમાં કહ્યું કે ભારત દ્વારા ક્લસ્ટર બોમ્બ ફેંકવાનો આરોપ પાકિસ્તાનનું 'જૂઠ, છેતરપિંડી અને છળ છે.'
સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સેના નિયમિત રીતે ઘૂસણખોરી દ્વારા હથિયારોની સાથે આતંકવાદીઓને ઘૂસાડવાનો પ્રયાસ કરે છે. ભારતે સૈન્ય અભિયાનના નિયામક (ડીજીએમઓ) સ્તરની અનેક વાતચીત દરમિયાન જવાબ આપવાના અધિકાર વિશે જણાવ્યું છે.
આ પહેલા, કુરૈશીએ એક ટ્વિટમાં ભારતીય સુરક્ષા દળો પર ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે, નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા. તેઓએ કેટલીક તસવીરોનો કોલાજ પણ પોસ્ટ કર્યો, જેમાં વિસ્ફોટ અને પાટા બાંધેલા નાના બાળકો પણ જોવા મળ્યા હતા.
Strongly condemn the blatant use of cluster ammunition by Indian Security Forces targeting innocent civilians along the Line Of Control. This is clear violation of the Geneva Convention & International Laws. pic.twitter.com/yrBLRCWWg1
Use of cluster bombs by Indian Army violating international conventions is condemnable. No weapon can suppress determination of Kashmiris to get their right of self determination. Kashmir runs in blood of every Pakistani. Indigenous freedom struggle of Kashmiris shall succeed,IA.
સેનાના સૂત્રોએ કહ્યું કે, પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વિસ્ફોટની તસવીરો મોર્ટાર ફાયરિંગની હતી, ક્લસ્ટર બોમ્બના વિસ્ફોટ નહોતા કર્યો.