Home /News /national-international /Free Booster Dose: 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને મફતમાં બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત

Free Booster Dose: 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને મફતમાં બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત

આઝાદીના અમૃત ઉત્સવમાં દરેકને મફતમાં કોરોનાનો બૂસ્ટર ડોઝ મળશે.

Corona booster doses free of cost: આઝાદીના અમૃત અવસર પર આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, 15 જુલાઇ 2022થી આગામી 75 દિવસ સુધી 18 વર્ષના નાગરિકોને મફતમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

દેશના તમામ નાગરિકોને કોરોનાવાયરસનો બૂસ્ટર ડોઝ હવે ફ્રીમાં મળશે. જોકે આ વેક્સિનેશન ડ્રાઇવ માત્ર 75 દિવસો સુધી ચાલશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, ભારત આઝાદીની 75મી વર્ષગાંઠની ઉઝવણી કરી રહ્યું છે. આથી આઝાદીના અમૃત અવસર પર આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, 15 જુલાઇ 2022થી આગામી 75 દિવસ સુધી 18 વર્ષના નાગરિકોને મફતમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

તમામ સરકારી કેન્દ્રો પર ઉપલબ્ધ

અનુરાગ ઠાકુરે કહ્યું કે, વડાપ્રધાને વારંવાર રસીકરણ પર ભાર મૂક્યો છે. આજે ફરી એકવાર એવું લાગે છે કે બુસ્ટર ડોઝની જરૂર છે. તેમણે કહ્યું કે સરકાર વૈજ્ઞાનિક રીતે નિર્ણયો લે છે, નિર્ણય પોતાની રીતે નથી લીધો. આ નિર્ણય કોઈપણ રાજકીય લાભ કે નુકસાન વિના લેવામાં આવ્યો હતો. તેને બજેટની વસ્તુ તરીકે જોવાને બદલે મોટી વસ્તીના લાભ માટે જોવી જોઈએ. જેઓ 18 વર્ષથી વધુ ઉંમરના છે જેઓ સરકારી હોસ્પિટલમાં બૂસ્ટર ડોઝ મેળવશે તેમને વિનામૂલ્યે આપવામાં આવશે. અનુરાગ ઠાકુરે કહ્યું, દેશવાસીઓને વિનંતી છે કે તેઓ કોરોનાનો બૂસ્ટર ડોઝ લઇ લે. કોરોના બૂસ્ટર ડોઝ દેશના તમામ સરકારી કેન્દ્રો પર ઉપલબ્ધ થશે.

લગભગ બે અબજ ડોઝ આપવામાં આવ્યા છે

આ અગાઉ સરકારે કહ્યું હતું કે વૃદ્ધો, આરોગ્ય કર્મચારીઓ અને 60 વર્ષથી વધુ ઉંમરના ફ્રન્ટલાઈન વર્કરોને કોરોના રસીના બૂસ્ટર ડોઝ મફત આપવામાં આવશે. આ જાહેરાત બાદ સરકારે તમામ નાગરિકો માટે બૂસ્ટર ડોઝ લંબાવ્યો છે. માહિતી અનુસાર, દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 199.12 કરોડ કોરોના રસીના ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર હવે 3.68 ટકા છે અને સાપ્તાહિક હકારાત્મકતા દર 4.26 ટકા છે.

આ પણ વાંચો- ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

ખબરો અનુસાર, અત્યાર સુધીમાં 18 થી 59 વર્ષના 77 કરોડ પાત્ર આબાદીમાંથી એક ટકાથી પણ ઓછા લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. જોકે 60 વર્ષથી વધુની ઉંમરના લગભગ 16 કરોડ લોકોને અને સ્વાસ્થ્ય કર્મચારીઓમાંથી લગભગ 26 ટકા લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો- રાજકોટમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ત્રણ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

કેન્દ્ર સરકારે ગત મહિને તમામ લોકો માટે કોવિડ ટીમોની બીજો બૂસ્ટર ડોઝ વચ્ચેના અંતરાળને 9 મહિનાથી ઘટાડીને 6 મહિના કરી દેવાયો છે. રસીકરણ પર રાષ્ટ્રીય ટેક્નિકલ પરામર્શના સમૂહની ભલામણ પર આવું કરવામાં આવ્યું છે.
First published:

Tags: Ccoronavirus, Corona Vaccination in India, Corona vaccine news, Coronavirus case, Coronavirus cases in india

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો