Home /News /national-international /સેનાએ બદલી કરી અગ્નિવીરની ભરતી પ્રક્રિયા, હવે આપવી પડશે પ્રવેશ પરીક્ષા, જાણો નવા નિયમો

સેનાએ બદલી કરી અગ્નિવીરની ભરતી પ્રક્રિયા, હવે આપવી પડશે પ્રવેશ પરીક્ષા, જાણો નવા નિયમો

અગ્નિવીરની ભરતી પ્રક્રિયા

Agniveer Scheme: સૂત્રએ જણાવ્યું કે, ભરતી માટેની પ્રથમ ઓનલાઈન પરીક્ષા એપ્રિલમાં દેશભરમાં લગભગ 200 જગ્યાઓ પર લેવામાં આવી શકે છે અને આ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સૂત્રએ જણાવ્યું હતું કે, આ ફેરફારથી ભરતી રેલી દરમિયાન જોવા મળતી વિશાળ ભીડમાં ઘટાડો થશે અને ભરતીનું સંચાલન અને આયોજન કરવું સરળ બનશે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ભારતીય સેનાએ 'અગ્નવીર' (Agniveer Scheme) ભરતી પ્રક્રિયામાં ફેરફારોની જાહેરાત કરી છે, જે અંતર્ગત સેનામાં જોડાવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ હવે પહેલા ઓનલાઈન કોમન એન્ટ્રન્સ એક્ઝામિનેશન (CEE)માં હાજરી આપવી પડશે. આ પછી, ઉમેદવારોએ શારીરિક તંદુરસ્તી પરીક્ષણ અને તબીબી તપાસમાંથી પસાર થવું પડશે.

આ પણ વાંચો: ઓટો ડ્રાઈવરની દીકરી નેવીમાં બની અગ્નિવીર, પિતા 12 વર્ષથી કેન્સર સામે લડી રહ્યા છે

સેના દ્વારા વિવિધ અખબારોમાં કાર્યવાહીમાં ફેરફાર અંગે જાહેરાતો આપવામાં આવી છે. જો કે, સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે, આ સંબંધમાં એક જાહેરનામું ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં જાહેર થવાની ધારણા છે. સૂત્રોએ એ જણાવ્યું હતું કે, ભરતી માટેની પ્રથમ ઓનલાઈન પરીક્ષા એપ્રિલમાં દેશભરમાં લગભગ 200 જગ્યાઓ પર લેવામાં આવી શકે છે અને તેના માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

નિયમો બદલાયા

સૂત્રએ જણાવ્યું હતું કે, આ ફેરફારથી ભરતી રેલી દરમિયાન જોવા મળતી વિશાળ ભીડમાં ઘટાડો થશે અને ભરતીનું આયોજન અને સંચાલન કરવું સરળ બનશે.

તેમણે કહ્યું કે, “અગ્નવીર ભરતી પ્રક્રિયા માટે, ઉમેદવારોએ સૌપ્રથમ શારીરિક તંદુરસ્તી કસોટીમાંથી પસાર થવું પડતું હતું, ત્યારબાદ તબીબી તપાસ અને CEE માટે હાજર રહેવું, એ અંતિમ તબક્કો હતો. પરંતુ, હવે ઓનલાઈન પરીક્ષા પ્રથમ તબક્કો છે.

આ પણ વાંચો: શું વોટ્સએપના માધ્યમથી અગ્નિવીર ભરતી અંતર્ગત અરજી થઇ શકે છે? PIB Fact

જણાવી દઈએ કે, જાન્યુઆરીમાં જ મહારાષ્ટ્રના નાસિક નજીક સ્થિત આર્ટિલરી ટ્રેનિંગ સેન્ટરમાં 2600 અગ્નિવીરોની પ્રથમ બેચની તાલીમ શરૂ થઈ ગઈ છે. આ અગ્નિવીરોને ભારતીય સેનામાં ગનર્સ, ટેક્નિકલ આસિસ્ટન્ટ, રેડિયો ઓપરેટર અને ડ્રાઈવર તરીકે સેવા આપવાની તક મળશે.

આ અગ્નિવીરોની તાલીમ 31 અઠવાડિયાની હશે, જેમાં મૂળભૂત તાલીમ 10 અઠવાડિયા અને અદ્યતન તાલીમ 21 અઠવાડિયાની રહેશે.
First published:

Tags: Agniveer scheme, Army Jobs, Defence, Recruitment

विज्ञापन