અગ્નિપથ યોજના : 4 વર્ષ બાદ અગ્નિવીરો માટે શું? જાણો કેવાં-કેવાં મળશે વિકલ્પ
સેનાએ કહ્યું કે, તેમને તેમની ભાવિ નોકરીઓ માટે માત્ર કેન્દ્ર સરકારના પોલીસ દળો અને રાજ્ય સરકારના પોલીસ દળોમાં પ્રાધાન્ય મળવા સહીત અન્ય ઘણી સુવિધાઓ પણ આપવામાં આવશે
Agnipath Military Recruitment Scheme - આ યોજનાનો વિરોધ કરી રહેલા લોકો તર્ક આપી રહ્યા છે કે આનાથી બેરોજગારી વધારે વધશે અને તેમની કારકિર્દી અનિશ્ચિત થઇ જશે
દેશભરમાં અગ્નિપથ સ્કીમ (Agnipath Scheme)ને લઈને થયેલા વિરોધ પ્રદર્શનો (Agnipath Scheme Protest)બાદ સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે જ્યારે અગ્નિવીર (Agniveer) ચાર વર્ષ બાદ ભારતીય સેનામાં પોતાની સેવા પૂરી કરશે તો તેની સામે શું વિકલ્પો હશે. સેનાએ કહ્યું કે, તેમને તેમની ભાવિ નોકરીઓ માટે માત્ર કેન્દ્ર સરકારના પોલીસ દળો અને રાજ્ય સરકારના પોલીસ દળોમાં પ્રાધાન્ય મળવા સહીત અન્ય ઘણી સુવિધાઓ પણ આપવામાં આવશે, જેનાથી તેમનું ભવિષ્ય સારું બનશે. તેમણે કહ્યું કે અનુશાસન એ ભારતીય સેનાનો પાયો છે. ચાર વર્ષમાં અગ્નિવીર જે શિસ્ત શીખશે, તેના આધારે તેને ઘણા સારા વિકલ્પો મળશે.
12માનું પ્રમાણપત્ર
4 વર્ષ પછી જ્યારે કોઈ યુવક ભારતીય સેના છોડશે, ત્યારે તેને 12માનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જ્યાં ઉચ્ચ શિક્ષણ મંત્રાલયે પણ કહ્યું છે કે તેઓ 12મું કરાવશે. જે બાદ 12મું પાસ કરનારાઓ માટે પણ કામ ચાલુ છે. થોડા જ દિવસોમાં અમે જણાવી દઈશું કે તેમના માટે કયા પ્રકારના વિકલ્પ છે. જો કોઈ વ્યક્તિ આગળ અભ્યાસ ચાલુ રાખવા ઈચ્છે છે, તો 12માંના પ્રમાણપત્ર સાથે કોઈપણ કોલેજમાં એડમિશન લઈ શકે છે.
6 મહિના પછી નોકરીની તાલીમ
સેનાએ જણાવ્યું, અમે દરરોજ જિમ જેવી ટ્રેનિંગ કરીએ છીએ. 6 મહિના પછી જ્યારે ઔપચારિક તાલીમ પૂરી થશે ત્યારે પણ અમે નોકરી પરની તાલીમ આપવાનું ચાલુ રાખીશું. તેમને ઉચ્ચ ટેકનોલોજી સાથે કામ કરવાની તક મળશે. જ્યારે તે સેનામાંથી બહાર આવશે ત્યારે તે એક શિસ્તબદ્ધ વ્યક્તિ તરીકે બહાર આવશે.
પેરામિલિટ્રી ફોર્સમાં દળમાં 10 ટકા અનામત
સેનામાં 4 વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ કેન્દ્ર સરકારના પેરામિલિટ્રી ફોર્સમાં 10 ટકા અનામત આપવામાં આવશે. આ ઉપરાંત અસમ રાઈફલમાં પણ અગ્નિવીરોને 10 ટકા રિઝર્વેશન મળશે.
કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં અગ્નિવીરોને 3 વર્ષની ઉપલી વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે. પ્રથમ બેચ માટે તે પાંચ વર્ષ માટે રહેશે, કારણ કે પ્રથમ બેચમાં ભરતી માટે 3 વર્ષની છૂટછાટ છે.
કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ સિવિલમાં છૂટ
4 વર્ષ પછી અગ્નિવીર માટે કોસ્ટ ગાર્ડ, સંરક્ષણ મંત્રાલયમાં સિવિલિયન પોસ્ટ અને તમામ સંરક્ષણ PSU માટે 10 ટકા આરક્ષણ ઉપલબ્ધ થશે, આ ઉપરાંત વયમાં 2 વર્ષની છૂટછાટ પણ આપવામાં આવશે.
અન્ય PSUsમાં પણ છૂટ
આવાસ અને પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ કાર્યરત PSUsમાં અગ્નિવીરોને લેવાનું પણ કામ ચાલી રહ્યું છે.
બેંકમાંથી રાહત દરે લોન
ચાર વર્ષ બાદ સેના છોડ્યા પછી જો અગ્નિવીર પોતાનો વ્યવસાય કરવા માંગે છે, તો બેંક તેને રાહત દરે લોન આપશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર