Home /News /national-international /સાયરસ મિસ્ત્રીના મૃત્યુ બાદ 2.40 લાખ કરોડની કંપનીનો ઉત્તરાધિકારી કોણ? માત્ર 2 મહિનામાં પરિવાર વેરવિખેર!
સાયરસ મિસ્ત્રીના મૃત્યુ બાદ 2.40 લાખ કરોડની કંપનીનો ઉત્તરાધિકારી કોણ? માત્ર 2 મહિનામાં પરિવાર વેરવિખેર!
સાયરસ મિસ્ત્રીનું 4 સપ્ટેમ્બરે પાલઘર નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. (ફાઇલ ફોટો)
Cyrus Mistry Death: મહારાષ્ટ્રના પાલઘરમાં રવિવારે એક માર્ગ અકસ્માતમાં મિસ્ત્રીનું મૃત્યુ થયું હતું. અમદાવાદથી મુંબઈ જતી વખતે તે કાર અકસ્માતનો શિકાર બન્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લામાં મિસ્ત્રીની કાર ડિવાઈડર સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો.
બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીના આકસ્મિક મૃત્યુથી શાપૂરજી પલોનજી ગ્રુપને બેવડો આંચકો લાગ્યો છે. મિસ્ત્રીના પિતા અને 'ફેન્ટમ ઑફ બોમ્બે હાઉસ' તરીકે ઓળખાતા પલોનજી શાપૂરજી મિસ્ત્રીનું પણ આ વર્ષે 28 જૂને નિધન થયું હતું. તેઓ 93 વર્ષના હતા. હવે સાયરસ મિસ્ત્રીના અકાળે અવસાનથી દરેકનું ધ્યાન 157 વર્ષ જૂના બિઝનેસ સમૂહ તરફ ગયું છે. જેની કુલ સંપત્તિ 2.40 લાખ કરોડ રૂપિયા છે. રોકાણકારોને ચિંતા છે કે જૂથનો ઉત્તરાધિકારી કોણ બનશે? કારણ કે તેઓને ખાતરી નથી કે મિસ્ત્રીના બે પુત્રો ફિરોઝ અને જહાં કાર્યભાળ સંભાળવા તૈયાર છે કે કેમ.
બિઝનેસ સ્ટાન્ડર્ડ મુજબ, કે.આર. ચોક્સી ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના મેનેજિંગ ડિરેક્ટર દેવેન ચોક્સીનું કહેવું છે કે શાપૂરજી પલોનજી ગ્રૂપની કંપનીઓ વ્યવસાયિક રીતે ચલાવાય છે. રોકાણકારોએ આગામી સલાહકારની શોધ કરવી જોઈએ કારણ કે સાયરસ મિસ્ત્રીને બે પુત્રો છે અને તેઓ આ પદ સંભાળવા તૈયાર છે કે નહીં તેની ખાતરી નથી. ઉત્તરાધિકારી વિશે અત્યારે કંઈ સ્પષ્ટ નથી.
સાયરસ મિસ્ત્રીનો પરિવાર
સાયરસ મિસ્ત્રીએ 1992માં રોહિકા છાગલા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રો જહાં મિસ્ત્રી અને ફિરોઝ મિસ્ત્રી છે. રોહિકા છાગલા પોતે કોર્પોરેટ આઇકોન રહી ચુકી છે. એટલું જ નહીં તેઓ કેટલીક પ્રાઈવેટ અને પબ્લિક લિમિટેડ કંપનીઓમાં ડિરેક્ટરનું પદ પણ સંભાળી ચૂક્યા છે. છાગલાના પિતા જાણીતા વરિષ્ઠ વકીલ ઈકબાલ છાગલા છે. તેમની માતાનું નામ રોશન છાગલા છે.
સોમવારે સાયરસ મિસ્ત્રીના મૃત્યુના બીજા દિવસે શાપૂરજી પલોનજી ગ્રૂપની કંપનીઓના શેર શેરબજારમાં મિશ્ર વેપાર જોવા મળ્યો હતો. યુરેકા ફોર્બ્સના શેર, જ્યાં શાપૂરજી પલોનજી એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડનો જૂન ક્વાર્ટરના અંતે લગભગ 9% હિસ્સો હતો, તે BSE પર 1% ઘટ્યો હતો, જ્યારે બેન્ચમાર્ક સેન્સેક્સ ઇન્ડેક્સ 0.75% ઉપર હતો. આ દરમિયાન સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જી અને ફોર્બ્સ એન્ડ કંપનીના શેર પણ 0.61% અને 5% તૂટ્યા હતા.
કંપનીમાં કોનો કેટલો હિસ્સો છે
શાપૂરજી પલોનજી એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ જૂન, 2022ના અંતે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન આરઇમાં 25% હિસ્સો ધરાવે છે, જ્યારે સાયરસ પલોનજી મિસ્ત્રી અને પેલોન શાપૂર મિસ્ત્રી અલગ-અલગ 0.38% હિસ્સો ધરાવે છે. ફોર્બ્સ એન્ડ કંપની વિશે વાત કરીએ તો શાપૂરજી પલોનજી એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ પાસે જૂન 2022ના અંતે 72.56% હિસ્સો હતો.
માર્કેટ નિરીક્ષક અંબરીશ બાલિગા કહે છે કે, મિસ્ત્રીના મૃત્યુની ચોક્કસ અસર કંપની પર પડશે. મિસ્ત્રીએ જૂથને દેવાની જાળમાંથી બહાર કાઢ્યું. રોકાણના દૃષ્ટિકોણથી નિષ્ણાંતોનું કહેવું છે કે રોકાણકારોએ કંપનીમાં વિશ્વાસ જાળવી રાખવો જોઈએ અને ઝડપી નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. આ સાથે તેઓ ચેતવણી પણ આપે છે કે રોકાણકારોએ અનિશ્ચિતતા વચ્ચે કંપનીના શેરની ખરીદી કરવાનું ટાળવું જોઈએ.
સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના પાલઘરમાં રવિવારે એક માર્ગ અકસ્માતમાં મિસ્ત્રીનું મૃત્યુ થયું હતું. અમદાવાદથી મુંબઈ જતી વખતે તે કાર અકસ્માતનો શિકાર બન્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લામાં મિસ્ત્રીની કાર ડિવાઈડર સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. જન્મથી આઇરિશ નાગરિક, મિસ્ત્રી પલોનજી શાપૂરજી મિસ્ત્રીના સૌથી નાના પુત્ર હતા. મુંબઈથી તેમના પ્રારંભિક અભ્યાસ પછી તેમણે ઈમ્પિરિયલ કોલેજ, લંડનમાંથી સિવિલ એન્જિનિયરિંગ અને લંડન બિઝનેસ સ્કૂલમાંથી MBA કર્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર