નાગપુરથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો એરલાઇન્સની એક પ્લેનમાં મોટી ખામી સર્જાતાં તેને રનવે ઉપર જ રોકી દેવામાં આવ્યું છે. આ પ્લેનમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પણ સવાર હતા જેઓ દિલ્હી જઈ રહ્યા હતા. મળતા માહિતી મુજબ, પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. ઈન્ડિગોની ફ્લાઇટ સંખ્યા 6E 636માં આ ખામી આવી છે.
પ્લેન ટેકઓફ કરવાનું જ હતું
મળતી જાણકારી મુજબ, પ્લેન ટેકઓફ કરવાની તૈયારીમાં જ હતું અને રનવે પર પહોંચી ગયું હતું. બાદમાં પાયલટોને ટેકનીકલ ખામીની જાણ થઈ. ત્યારબાદ પ્લેનને ટેક્સી વેમાં પાછું લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો. આ દરમિયાન પેસેન્જરોની સાથે કેન્દ્રીય મંત્રી પણ પ્લેનમાં સવાર હતા. મળતી માહિતી મુજબ સમયસર ખામીની જાણ થતાં જ મોટી દુર્ઘટના ટળી ગઈ છે.
IndiGo flight 6E 636 from Nagpur to Delhi returned to taxiway from runway, after the aircraft detected serious error & pilot decided to abort the take-off. Passengers were de-boarded. Union Transport Minister Nitin Gadkari was also on-board the flight pic.twitter.com/54D1bs8WJL