ફરી ધ્રૂજી ધરતી! મેઘાલય અને હરિયાણા બાદ હવે લદ્દાખમાં આવ્યો ભૂકંપ, કારગીલથી 200km દૂર કેન્દ્રબિન્દુ
ફરી ધ્રૂજી ધરતી! મેઘાલય અને હરિયાણા બાદ હવે લદ્દાખમાં આવ્યો ભૂકંપ, કારગીલથી 200km દૂર કેન્દ્રબિન્દુ
નોંધનીય છે કે, કચ્છ યુનિવર્સિટીના સંશોધકો અને ગાંધીનગરમાં આવેલી ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ લાઇન પર સંશોધન કરવામાં આવ્યું હતું. આ ફોલ્ટ લાઈન જમીનના પેટાળમાં લખપતથી લઈને ભચાઉ સુધી 150 કિમી જેટલી લાંબી છે. ગત મહિને અરેબિયન જર્નલ ઓફ જિયો સાયન્સમાં આ અંગેનો અભ્યાસ લેખ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ ફોલ્ટ લાઇનમાં ક્યારે ભૂકંપના આંચકા આવ્યા તે જાણવાની કોશિશ કરાઇ હતી. જમાં આ લાઇનમાં 5600 વર્ષથી છેલ્લે 1000 વર્ષ વચ્ચે ચાર મોટા ભૂકંપ આવ્યા હોવાનું તપાસ બાદ બહાર આવ્યું હતું. જે 2001ના ભૂકંપથી પણ મોટા હતાં.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી પ્રમાણે લદ્દાખમાં આ ભૂકંપનું કેન્દ્ર કારગિલથી 200 કિલોમીટર દૂર ઉત્તર પ્રશ્વિમમાં સ્થિત હતું.
નવી દિલ્હીઃ દેશમાં વિભિન્ન ભાગોમાં સતત ભૂકંપ આવી રહ્યા છે. શુક્રવારે દેશમાં ત્રણ ભૂંકપ (Earthquake) આવ્યા હતા. હરિયાણા (Haryana) અને મેઘાલય (Meghalaya) બાદ ત્રીજો ભૂકંપ લદ્દાખમાં (Ladakh) આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (National Center for Seismology) પ્રમાણે લદ્દાખમાં (ladakh earthquake) આ ભૂકંપનું કેન્દ્ર કારગિલથી (Kargil) 200 કિલોમીટર દૂર ઉત્તર પ્રશ્વિમમાં સ્થિત હતું. શુક્રવારે રાત્રે 8.15 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટરસ્કેલ ઉપર 4.5 નોંધાઈ હતી. જોકે, ભૂકંપના કારણે કોઈજાન હાની કે અન્ય નુકસાનની કોઈ જાણકારી મળી નથી. આ પહેલા સાંજે મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા મિઝોરમમાં ભૂકંપ બાદ શુક્રવારે મેઘાલયમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા હતા. શુક્રવારે મેઘાલયના તુરાથી પશ્વિમમાં 79 કિલોમિટર દૂર આ ભૂંકપની કેન્દ્રબિન્દુ હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.3 માપવામાં આવી હતી. જોકે, ભૂકંપના કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. શુક્રવારે ભૂકંપના આંચકા હરિયાણા અને દિલ્હીના બહારના વિસ્તારમાં અનુભવાયા હતા.
જાણકારી અનુસાર ભૂકંપની કેન્દ્ર રોહતક હતું. બપોરે 3.32 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 2.8 માપવામાં આવી હતી. જે જમીનની 10 કિલોમિટર અંદર ઉંડું હતું.
ઉલ્લેખનીય છે કે મંગળવારે 3.7 તીર્વતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ સતત ત્રીજો દિવસે રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે મંગળવારે અનુભવાયેલા આંચકાથી રાજ્યમાં ક્યાં જાનમાલનું નુકસાન થયું નથી. તેમણે જણાવ્યું કે રાજધાની આઈજોલમાં પણ ભૂકંપ અનુભવાયો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર