Home /News /national-international /મુંબઈ અટેકના હીરો સાથે વાયદો તોડ્યો! 10 વર્ષ બાદ પણ નથી મળી 100 વાર જમીન

મુંબઈ અટેકના હીરો સાથે વાયદો તોડ્યો! 10 વર્ષ બાદ પણ નથી મળી 100 વાર જમીન

કમાન્ડો સુબેદાર ફિરેચંદ નાગર (ફાઇલ ફોટો)

નિવૃત્ત કમાન્ડો ફિરેચંદ નાગર મુંબઈ અટેક ઉપરાંત કારગિલ સહિતનાં ડઝનબંધ ઓપરેશનનો હિસ્સો રહ્યા છે

નાસિર હુસૈન, ફરીદાબાદ

સેનાના નિવૃત્ત એનએસજી કમાન્ડો ફિરેચંદ નાગર જસાના, ફરદીબાદના રહેવાસી છે. નાગરે 26/11 મુંબઈ હુમલાની સાથોસાથ કારગીલ, માલદીવમાં તખ્તાપલટનો પ્રયાસને નિષ્ફળ કરવા સહિત ડઝનબંધ ઓપરેશનમાં ભાગ લીધો છે. નાગર સેના મેડલથી પણ સન્માનિત થઈ ચૂક્યા છે.

નાગરની આ બહુદરીના સન્માનમાં તેમના ગામ જસાનાની પંચાયતે એક સન્માન સમારોહમાં તેમને ગામમાં 100 વાર જમીન આપવાની જાહેરાત કરી હતી. તેને લઈને પ્રસ્તાવ પણ બનીને તૈયાર થઈ ગયો હતો. આ વાતને હવે 10 વર્ષ પસાર થઈ ચૂક્યા છે, પરંતુ કમાન્ડો નાગરને 100 વાર જમીન તો દૂર 10 વાર જમીનનો ટુકડો પણ નથી મળ્યો.

Retired NSG Commando Firechand Nagar, કમાન્ડો સુબેદાર ફિરેચંદ નાગર
મુંબઈ હુમલાને નિષ્ફળ બનાવનારી ટીમની સાથે કમાન્ડો ફિરેચંદ નાગર (ફાઇલ ફોટો)


નાગરે ન્યૂઝ18 હિન્દી સાથે વાત કરતાં જણાવ્યું કે, હું સેના અને એનએસજીમાં હતો ત્યારે જેટલી લડાઈ લડી, તે આ 100 વાર જમીન માટે નહીં, પરંતુ પોતાના દેશની જમીનને દુશ્મનોથી બચાવવા માટે લડી છે. હવે વાત માત્ર પંચાયતમાં થયેલી જાહેરાતની નથી, વાત અપમાનની છે.

આ પણ વાંચો, 26/11 : ‘કુબેર બોટ’ના ટંડેલના પત્ની રાણીબેન 10 વર્ષે'ય પતિના મૃત્યુના પ્રમાણપત્રની રાહ જુએ છે !

નાગર વધુમાં કહે છે કે, એક સૈનિકને વાયદો કર્યા બાદ તેને લટકાવી દેવામાં આવ્યો છે. જમીન સાથે જોડાયેલા પ્રસ્તાવ અને તેના સંબંધમાં ફરીદાબાદ પ્રશાસન સાથે જોડાયેલા અધિકારીઓના પત્ર એક ઓફિસથી બીજી ઓફિસમાં ફરી રહ્યો છે કે પછી ક્યાંક કોઈ ખૂણામાં ધૂળ ખાઈ રહ્યો છે. જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડ દ્વારા પણ જમીનના સંબંધમાં અધિકારીઓ સાથે પત્ર વ્યવહાર થઈ ચૂક્યો છે. પરંતુ કોઈ સુનાવણી નથી થઈ.

નાગર કહે છે કે, હવે તો જમીનના મામલા સાથે જોડાયેલા લોકોએ સંબંધ કાપવાની શરૂઆત કરી દીધી છે. કોઈ આ વાતને લઈને વાત નથી કરવા માગતું. હવે હું આ લડાઈને એટલા માટે લડવા માંગું છું કે હું તો જીવતો પરત આવ્યો અને આ મામલાને જોઈ શકું છું.

જોકે, નાગરના અવાજમાં થોડી ઉદાસી પણ છલકાય છે, જ્યારે તેઓ કહે છે કે, પરંતુ શું થતું જો યુદ્ધથી હું જીવતો પરત ન આવતો અને તેમના પરિવારવાળા એવા જ કોઈ હક માટે ગમે ત્યાં આંટાફેરા મારતા.
First published:

Tags: 26/11 mumbai attack, Mumbai Terror Attack, મુંબઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો