Home /News /national-international /કાશ્મીર મુદ્દે નહેરુની ભૂલોની 75મી વર્ષગાંઠ: કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ છંછેડ્યો વિવાદનો મધપૂડો

કાશ્મીર મુદ્દે નહેરુની ભૂલોની 75મી વર્ષગાંઠ: કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ છંછેડ્યો વિવાદનો મધપૂડો

કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ

Kiran Rijiju On Nehru: કેન્દ્રિય મંત્રી કિરણ રિજિજુએ એક લેખમાં કહ્યું હતું કે આજનો દિવસ એટલે મહત્વનો છે કે જવાહરલાલ નેહરૂની ગંભીર ભૂલોના 75 વર્ષ આજે પૂરા થાય છે.

  • Trending Desk
  • Last Updated :
  • New Delhi, India
27 ઓક્ટોબરનું મહત્વ બે રીતે જોવાય છે. પ્રથમ તેને જમ્મુ-કાશ્મીરના ભારત પ્રવેશની 75મી વર્ષગાંઠ તરીકે જોવામાં આવે છે. ઐતિહાસિક રીતે આ વાત સાચી છે. બીજું એ કે, 27 ઑક્ટોબર જવાહરલાલ નેહરુની મોટી ભૂલોની પણ 75મી વર્ષગાંઠ છે. આ ભૂલોએ ભારતને સાત દાયકા સુધી પરેશાન કર્યું હતું.

1947માં ભારતના ભાગલા થઈ રહ્યા હતા, ત્યારે ભાગલાનો સિદ્ધાંત માત્ર બ્રિટિશ ભારતને જ લાગુ પડતો હતો. રજવાડાંઓ બે નવાં સામ્રાજ્યો ભારત અને પાકિસ્તાનમાંથી કોઈ પણ એકની પસંદગી કરવા માટે સ્વતંત્ર હતાં. રજવાડાઓમાં નાગરિકો સાથે કોઈ પણ પ્રકારની સલાહ લેવાની જોગવાઈ નહોતી. રાજ્યાભિષેકને લગતી તમામ બાબતોનો નિર્ણય માત્ર રજવાડાઓના શાસક અને સંબંધિત સામ્રાજ્યના શાસકો વચ્ચે જ થવાનો હતો.

તે સમયે સંયુક્ત, ભૌગોલિક રીતે સુસંગત રાજ્યનો જન્મ કરવા માટે અડગ ધૈર્ય, નિશ્ચય અને દૂરંદેશીપણાની જરૂર હતી. તદનુસાર, ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલને આ કાર્ય માટે પસંદ કરવામાં આવ્યા હતા. કુલ 560 જેટલા રજવાડાં હતાં અને 15 ઓગસ્ટ, 1947 પહેલા તમામને ભારત સાથે જોડવામાં આવ્યા હતા.

બે રજવાડા હૈદરાબાદ અને જૂનાગઢે સમસ્યાઓ ઊભી કરી હતી. પરંતુ સરદાર પટેલે પોતાની સમજાવટ, કુનેહ અને જરૂર પડ્યે બળપ્રયોગ કરવાની તૈયારીનો ઉપયોગ કરીને એ બંનેને હંફાવી દીધા હતા.

છેલ્લા સાત દાયકાથી ઐતિહાસિક જુઠ્ઠાણું ચલાવવામાં આવી રહ્યું છે કે, કાશ્મીર પણ સમસ્યા સર્જનાર રજવાડાઓમાંનું એક હતું. રાજ્યના તત્કાલીન શાસક મહારાજા હરિસિંહ ભારતમાં જોડાવા માટે ઉતાવળા થઈ રહ્યા હતા. દસ્તાવેજો હવે દર્શાવે છે તે મુજબ, નહેરુએ પોતાના અંગત એજન્ડા માટે આ સમસ્યાઓ સર્જી હતી, મહારાજાએ નહીં.

24 જુલાઈ, 1952ના રોજ લોકસભામાં આપેલા એક ભાષણમાં નહેરુએ પોતે જ તથ્યોનો સ્વીકાર કર્યો હતો. ભારતમાં જોડાવા ઇચ્છતાં અન્ય તમામ રજવાડાઓની જેમ મહારાજા હરિસિંહે પણ જુલાઈ, 1947માં જ ભારતીય શાસકોનો સંપર્ક સાધ્યો હતો. ભારતની વાસ્તવિક સ્વતંત્રતાના મહિના પહેલા આવું થયું હતું. નહેરુના પોતાના જ શબ્દોમાં કહીએ તો, "જુલાઈની આસપાસ કે જુલાઈના મધ્યમાં અનૌપચારિક રીતે આપણી સમક્ષ પ્રવેશનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. નહેરુ આગળ જણાવે છે કે, ત્યાંના લોકપ્રિય સંગઠન, નેશનલ કોન્ફરન્સ અને તેના નેતાઓ સાથે અમારો સંપર્ક હતો અને મહારાજાની સરકાર સાથે પણ અમારો સંપર્ક હતો.

કાશ્મીર બાબતે નહેરુની પ્રથમ ભૂલ

તે જ ભાષણમાં એક ફેક્ટ પણ છે. નહેરુ કહે છે કે, અમે બંનેને સલાહ આપી હતી કે, કાશ્મીર ખાસ કેસ છે અને ત્યાં ઉતાવળ કરવાનો પ્રયાસ કરવો યોગ્ય રહેશે નહીં.

પરંતુ એવું તો નહેરુ શું ઇચ્છતા હતા? આ જવાબ આપવા માટે નહેરુથી વધુ સારું બીજું કોણ હોઈ શકે? 1952ના એ જ ભાષણમાં તેઓ આગળ જણાવે છે કે, જો મહારાજા અને તેમની સરકાર તે સમયે ભારતમાં જોડાવા માંગતા હોય, તો પણ અમારે વધુને જરુંર પડી હોત, એટલે કે, પોપ્યુલર એપ્રુવલની જરૂર પડી હોત.

ભારતીય સ્વતંત્રતા અધિનિયમ મુજબ રજવાડાઓના લોકોની પોપ્યુલર એપ્રુવલ લેવાની કોઈ જરૂર નહોતી. મહત્ત્વની વાત તો એ હતી કે શાસકની ભારતીય સંઘમાં જોડાવાની તૈયારી હતી. અન્ય રજવાડાઓએ પણ એવું જ કર્યું હતું.

કાશ્મીર પ્રાચીનકાળથી જ ભારતીય સભ્યતાની ચેતનાનું કેન્દ્ર રહ્યું છે. ભાગલા સમયે કાશ્મીરનો શાસક કોઈ પણ જાતની શરતો વિના બાકીના ભારત સાથે જોડાવા માંગતા હતા. જોડાણને નકારી કાઢનાર વ્યક્તિ નેહરુ હતા. શેના માટે? પોપ્યુલર એપ્રુવલ નહેરુને જોઈતો હતો? ખાસ કેસ હતો એટલે?

નહેરુની ભૂલો માત્ર જુલાઈ 1947ના તેમના વિશ્વાસઘાત પર જ અટકી ન હતી. ભાગલા પછી જે રક્તપાત અને હિંસા ફાટી નીકળી હતી તે છતાં નહેરુ કાશ્મીરના જોડાણ પહેલાં પોતાનો વ્યક્તિગત એજન્ડા પૂરો કરવા માટે મક્કમ રહ્યા હતા.

નહેરુએ કાશ્મીરમાં જે વેક્યૂમ સર્જ્યો હતો, તેણે પાકિસ્તાનને કાશ્મીરમાં દખલગીરી કરવાની છૂટ આપી હતી અને આખરે તેના દળોએ સ્થાનિક આદિવાસીઓના વેશમાં 20 ઓક્ટોબર, 1947ના રોજ કાશ્મીરના પ્રદેશ પર આક્રમણ કર્યું હતું. તે વખતે પણ નહેરુએ કંઈ કર્યું નહીં. પાકિસ્તાની સેના કાશ્મીરમાં ઝડપથી આગળ વધી રહી હતી. મહારાજા હરિસિંહે ફરીથી નેહરુને ભારતીય સંઘમાં જોડાવા વિનંતી કરી. પરંતુ નહેરુ હજી પણ તેમના પર્સનલ એજન્ડાને પૂર્ણ કરવા માટે વાટાઘાટો કરી રહ્યા હતા.

21 ઓક્ટોબર, 1947ના રોજ પાકિસ્તાની આક્રમણ શરૂ થયાના એક દિવસ પછી નહેરુએ જમ્મુ-કાશ્મીરના વડા પ્રધાન એમ.સી. મહાજનને એક પત્ર દ્વારા સલાહ આપી હતી કે, આ તબક્કે ભારતીય સંઘ સાથે સંલગ્નતાની કોઈ પણ જાહેરાત કરવી કદાચ અનિચ્છનીય રહેશે.

પરંતુ નહેરુ એવું તો શું ઇચ્છતા હતા કે, આક્રમણ થયું તો પણ કશું કર્યું નહીં? છેવટે એમ.સી.મહાજનને લખેલા પત્રમાં નહેરુએ પોતાની ઇચ્છા લેખિતમાં જાહેર કરી હતી. "મેં તમને કામચલાઉ સરકારની રચના જેવાં કેટલાંક પગલાં લેવાની તાકીદનું સૂચન કર્યું હતું. શેખ અબ્દુલ્લા, જે દેખીતી રીતે જ કાશ્મીરના સૌથી લોકપ્રિય વ્યક્તિ છે, તેમને આવી સરકાર બનાવવાનું કહેવામાં આવી શકે છે."

કાશ્મીરને ભારત સાથે જોડવા કરતાં નેહરુ માટે તેમના મિત્ર શેખ અબ્દુલ્લાને સત્તા પર બેસાડવાનું વધારે મહત્ત્વનું હતું. આ માંગણી નહેરુએ જુલાઈ 1947માં પણ મૂકી હતી, તે સમયે મહારાજા હરિસિંહે ભારત સાથે જોડાવા માટે નહેરુનો પ્રથમ વાર સંપર્ક સાધ્યો હતો. જો નેહરુએ પોતાનો અંગત એજન્ડા પડતો મૂક્યો હોત અને પહેલાં માત્ર ભારત વિશે જ વિચાર્યું હોત તો આ વાટાઘાટો તે વખતે જ થઈ શકી હોત અને આ પ્રકરણ હંમેશ માટે બંધ થઈ ગયું હોત.

પરંતુ નહેરુએ મોડે સુધી પગલાં ન લીધા  હોવાથી પાકિસ્તાની દળોએ ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ પર કબજો કરવાનું ચાલુ રાખ્યું હતું. તેઓએ રસ્તામાં આવેલા પ્રદેશોને લૂંટી લીધા અને તબાહ કરી નાંખ્યા અને છેવટે 25-26 ઑક્ટોબર, 1947ની આસપાસ શ્રીનગરની હદમાં આવી ગયા. આ તબક્કે પણ મહારાજાએ જોડાણના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, ત્યારે નહેરુ હજી પણ ફફડાટ ફેલાવી રહ્યા હતા.

1952માં લોકસભામાં આપેલા ભાષણમાં નહેરુએ આ દિવસની નોંધ લીધી છે અને ટાંકતા કહે છે કે, "મને યાદ છે કે એ 27મી ઑક્ટોબરનો દિવસ હોવો જોઈએ. લગભગ સાંજે આખો દિવસ બેસીને અમે એવા તારણ પર આવ્યા હતા કે બધાં જોખમો હોવા છતાં અમે અપીલને "ના" ન કહી શકીએ."

ઑક્ટોબર 26, 1947ના અંત ભાગમાં પાકિસ્તાની દળોએ શ્રીનગરના દરવાજા ખટખટાવ્યા હતા, નહેરુ ત્યારે પણ તેમના પર્સનલ એજન્ડા ચલાવી રહ્યા હતા. છેવટે 27 ઓક્ટોબર, 1947ના રોજ જોડાણને સ્વીકારવામાં આવ્યું અને ભારતીય દળો કાશ્મીરમાં ઉતર્યા અને પાકિસ્તાની આક્રમણકારોને ભગાડવાનું શરૂ કર્યું હતું.

આજે આખો કાશ્મીરનો ઇતિહાસ જુદો હોત. જોડાણનો મામલો જુલાઈ 1947માં જ સમાપ્ત થઈ શક્યો હોત. જોડાણનો મુદ્દો ઉકેલાઈ ગયો હોત, કોઈ પાકિસ્તાની આક્રમણ થયું ન હોત, પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર ન હોત, સંયુક્ત રાષ્ટ્રનો કોઈ ઉલ્લેખ ન હોત, પછીના દાયકાઓમાં પાકિસ્તાનને કાશ્મીર સામેના યુદ્ધો લડવાનું કોઈ સ્થાન ન હોત, જેહાદી આતંકવાદ ન હોત અને 1990માં કાશ્મીરી હિન્દુઓને મારવામાં આવ્યા ન હોત. 21 ઓક્ટોબર, 1947ના રોજ જો નહેરુએ સમયસર કાર્યવાહી કરી હોત તો પણ POJK ન હોત. પરંતુ નહેરુની ભૂલો ઓક્ટોબર 1947માં પણ બંધ થઈ નહોતી.

કાશ્મીર અંગેની નહેરુની બીજી ભૂલ

બીજી ભૂલ એ હતી કે, નહેરુએ જોડાણને કામચલાઉ જાહેર કર્યું હતું. મહારાજા હરિસિંહે બીજા દરેક રજવાડાઓની જેમ જ જોડાણના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કાશ્મીરને બાદ કરતાં બીજાં બધાં રજવાડાંઓ સ્પષ્ટપણે સંઘમાં જોડાઈ ગયાં હતાં. પણ મહારાજા નહીં, નહેરુએ જોડાણને કામચલાઉ જાહેર કર્યું હતું.

26 ઓક્ટોબરના રોજ નહેરુએ એમ.સી. મહાજનને બીજો એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે: ભારત સરકાર જાહેર કરેલી નીતિને આધિન આ પ્રવેશને કામચલાઉ ધોરણે સ્વીકારશે. આવી બાબતોને લોકોની ઇચ્છા અનુસાર અંતિમ સ્વરૂપ આપવું જોઈએ."

મહારાજાએ નહીં પણ નેહરુ દ્વારા કામચલાઉ જોડાણની જાહેરાત થઈ હતી, આ નિર્ણયે ત્યારબાદ ઘટનાઓની હારમાળા રચી હતી, પરિણામે કાશ્મીર કોઈક રીતે જુદું જ છે, તેના જોડાણ બાબતે ચર્ચા થઈ શકે અથવા તો ભારત સાથે કાયમી એકીકરણ સિવાયની અન્ય કોઈ શક્યતા પણ વિકલ્પ છે તેવો માહોલ ઊભો થયો હતો.

જુલાઈ 1947માં નહીં તો 27મી ઑક્ટોબર, 1947ના રોજ નહેરુને કાશ્મીરના જોડાણના પ્રશ્નને કાયમી ધોરણે બંધ કરવાની વધુ એક તક મળી હતી. પરંતુ નહેરુની ભૂલોએ સાત દાયકાની અસમંજસ, ભાગલાવાદી માનસિકતા અને રક્તપાતને જન્મ આપ્યો હતો.

કાશ્મીર અંગે નહેરુની ત્રીજી ભૂલ 

નહેરુની આ ભૂલ 1 જાન્યુઆરી, 1948ના રોજ કલમ 35 હેઠળ સંયુક્ત રાષ્ટ્રનો સંપર્ક સાધવાની હતી, જે કલમ 51ને બદલે વિવાદિત જમીનોને લગતી હતી, કલમ 51  ભારતીય પ્રદેશ પર પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાને ઉજાગર કરવા માટેનો સાચો લેખ બની રહેત. મહારાજાએ તો ભારત સાથે જોડાણ કરવાનું નક્કી કર્યું હતું. આમ છતાં નહેરુએ જ કાશ્મીરને ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદ તરીકે સ્વીકારીને પાકિસ્તાનને તક આપી હતી. ત્યારથી સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો ભારતને સતત ત્રાસ આપતા રહ્યા છે.

કાશ્મીર અંગે નહેરુની ચોથી ભૂલ 

કાશ્મીર પર નેહરુવાદી ચોથી ભૂલ એ હતી કે ભારત દ્વારા કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ફરજિયાત જનમત સંગ્રહ અટકાવવામાં આવી રહ્યો છે, તેવી માન્યતાને અમલમાં મૂકવામાં આવી હતી. 13 ઓગસ્ટ, 1948ના યુનાઇટેડ નેશન્સ કમિશન ફોર ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન (યુએનસીઆઇપી)ના ઠરાવમાં ક્રમિક ક્રમમાં ત્રણ શરતો હતી. પ્રથમ યુદ્ધવિરામ. બીજું, પાકિસ્તાન દ્વારા સૈનિકોની પીછેહઠ. 1 જાન્યુઆરી, 1949ના રોજ યુદ્ધવિરામ અમલમાં આવ્યો હતો, પરંતુ પાકિસ્તાને કબજા હેઠળના પ્રદેશોમાંથી તેના સૈનિકોને પાછા ખેંચવાનો ઇનકાર કર્યો હતો.

તેથી 23 ડિસેમ્બર, 1948ના રોજ યુએનસીઆઈપીને સ્પષ્ટીકરણ માંગતા ભારતીય પત્ર સાથે સંમતિ દર્શાવી હતી કે ભાગ 1 અને ભાગ 2 પૂર્ણ ન થાય તો ભાગ 3નું બંધન નથી. યુએનસીઆઈપી દ્વારા 5 જાન્યુઆરી, 1949ના રોજ ઠરાવમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. તેથી, યુએનસીઆઈપીએ પોતે જ સ્વીકાર્યું હતું કે તેના ઠરાવ મુજબ જનમત સંગ્રહની કોઈપણ વાત પાકિસ્તાન દ્વારા યુએનસીઆઈપી ઠરાવના ભાગ-2ને પરિપૂર્ણ ન કરવાને કારણે નિરર્થક હતી. તેમ છતાં જનમત સંગ્રહની તલવાર ભારત પર લટકતી હતી. કેમ? કારણ કે નહેરુએ પોતે જ એ દરવાજો ખોલ્યો હતો!

કાશ્મીર અંગે નહેરુની પાંચમી ભૂલ

કાશ્મીર અંગેની પાંચમી નહેરુની ભૂલ એ હતી કે તે કલમ 370 (બંધારણના વચગાળાના મુસદ્દામાં કલમ 306એ)ની રચના અને તેને ચાલુ રાખવાની હતી.

સંયુક્ત પ્રાન્તોના મુસ્લિમ પ્રતિનિધિ મૌલાના હસરત મોહાનીએ બંધારણ સભાની ચર્ચાઓમાં મહત્વની વાત પૂછી હતી. 1949ની 17મી ઑક્ટોબરે મૌલાના મોહાનીએ ખાસ કરીને પૂછ્યું હતું કે, તમે આ શાસક પ્રત્યે આવો ભેદભાવ શા માટે કરો છો?

જોકે, નેહરુ કે તેમના ખાસ વ્યક્તિ એન ગોપાલસ્વામી આયંગર પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો. નહેરુએ પોતાનો માર્ગ પસંદ કર્યો હતો અને કલમ 370 અસ્તિત્વમાં આવી હતી, આમ અલગાવવાદી માનસિકતાને સંસ્થાકીય સ્વરૂપ આપ્યું અને ભારતના ગળામાં ફંદાની જેમ લટકતી હતી.

અફરતફરીના સાત દાયકા વીતી ગયા છે. ભારતે નહેરુના પરિવાર, મિત્રતા અને વ્યક્તિગત એજન્ડાને રાષ્ટ્રીય હિતથી ઉપર રાખવા માટે ભારે કિંમત ચૂકવી છે. વિશ્વને ભારતને ખેંચવા માટે તક મળી. પાકિસ્તાને પોતાના કબજા હેઠળના વિસ્તારનો કેટલોક ભાગ ચીનને સોંપી દીધો હતો.

જેહાદી આતંકવાદની શરૂઆત 1980ના દાયકામાં થઈ હતી.કાશ્મીરી હિંદુઓને તેમના પૂર્વજોની જમીનમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને તેમના જ દેશમાં શરણાર્થીઓ બનાવવામાં આવ્યા હતા. આતંકવાદે હજારો ભારતીય પુરુષો, મહિલાઓ અને બાળકોને મારી નાખ્યા હતા. ભારતના સૈનિકોએ માતૃભૂમિની સેવામાં પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

એક માણસની ભૂલોને કારણે સાત દાયકાની તકો ચુકાઈ ગઈ છે. જોકે સાત દાયકા બાદ 5 ઓગસ્ટ, 2019ના રોજ ઇતિહાસે વધુ એક વળાંક લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નવા ભારતનો એકમાત્ર માર્ગદર્શક સિદ્ધાંત રહ્યો છે અને તેથી આખરે પીએમ મોદીએ ભારતને મુશ્કેલીમાં મૂકી દેનારી ભૂલો દૂર કરી દીધી હતી. કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી, ભારતીય બંધારણ જમ્મુ-કાશ્મીરના સમગ્ર પૂર્વ વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યું હતું, લદ્દાખના લોકોને અલગ કેન્દ્રશાસિત પ્રદેશની રચના કરીને ન્યાય આપવામાં આવ્યો હતો.
First published:

Tags: Jammu Kashmir, Jawaharlal Nehru