Home /News /national-international /MP: મુસાફરો ભરેલી બસ નહેરમાં ખાબકી, અત્યાર સુધીમાં 42 લોકોની લાશો બહાર કઢાઈ

MP: મુસાફરો ભરેલી બસ નહેરમાં ખાબકી, અત્યાર સુધીમાં 42 લોકોની લાશો બહાર કઢાઈ

મુસાફરો ભરેલી બસ અનિયંત્રિત થતાં કેનાલમાં ખાબકી, 7 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા

મુસાફરો ભરેલી બસ અનિયંત્રિત થતાં કેનાલમાં ખાબકી, 7 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા

સીધી. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના સીધી (Sidhi)ની નજીક એક ભીષણ દુર્ઘટના (Bus accident) બની છે. સીધીથી સતના જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ અનિયંત્રિત થઈને બાણસાગર નહેરમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 42 મુસાફરોનાં મોત થયા છે. 7 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે.

બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહે સરકાર તરફથી વળતરની જાહેરાત કરી છે. દરેક મૃતકના પરિવારને 5 લાખ રૂપિયા આપવામાં આવશે.

સીધી બસ દુર્ઘટના બાદ મધ્ય પ્રદેશમાં આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ યોજાનારા ગૃહપ્રવેશ કાર્યક્રમને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે  મધ્ય પ્રદેશને ભેટ મળવાની હતી. મંગળવારે (16 ફેબ્રુઆરી) વસંત પંચમીના પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે એક મોટો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો, મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ભીષણ દુર્ઘટના, 5 લોકોનાં મોત, અનેક ઘાયલ

દુર્ઘટના બાદ બાણસાગર ડેમથી છોડવામાં આવતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે જેનાથી બસને પાણીના તેજ વહેણમાંથી તણાઇ જતાં રોકી શકાય. ક્રેનની મદદથી પહેલા બસને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો, દિલ્હીની સરહદો પર કિસાન આંદોલન નબળું પડી રહ્યું છે કે ખેડૂતોએ બનાવી કોઈ નવી રણનીતિ?

જબલાનાથ પરિહાર ટ્રાવેલ્સની આ બસ હતી. બસના માલિક કમલેશ્વર સિંહ છે. બસ સીધીથી સતના જઈ રહી હતી. 80 કિમીની સફર બાદ આ બસ દુર્ઘટનાનો શિકાર બની. બસની ફિટનેસ 02-05-2021 સુધીની છે અને બસની પરમિટ 12-05-2025 સુધીની છે. બસ સીધી બાદ ચુરહટ અને રામપુર નિકેન કસ્બથી પસાર થઈ અને ત્યારબાદ નહેરમાં ખાબકી ગઈ. નહેરમાંથી 7 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે.

મધ્ય પ્રદેશના પરિવહન મંત્રી ગોવિંદ રાજપૂતે જણાવ્યું કે બસની પરમિટ રદ કરીને ટ્રાન્સપોર્ટ કમિશ્નરને આ દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસમાં જે પણ દોષી પુરવાર થશે તેને છોડવામાં નહીં આવે. ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ કમિશ્નરને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.
First published:

Tags: Bus accident, Madhya pradesh, Passengers, Rescue operation, Road accident, કેનાલ