Home /News /national-international /મહારાષ્ટ્ર : ગઢચિરોલીમાં પોલીસે 26 નક્સલવાદીઓને ઠાર કર્યા, ભીમા કોરેગાંવનો આરોપી પણ માર્યો ગયો હોવાના સમાચાર

મહારાષ્ટ્ર : ગઢચિરોલીમાં પોલીસે 26 નક્સલવાદીઓને ઠાર કર્યા, ભીમા કોરેગાંવનો આરોપી પણ માર્યો ગયો હોવાના સમાચાર

આ અથડામણમાં પોલીસે નક્સલીઓના ઘણા કેમ્પ ધ્વસ્ત કરી દીધા છે. (પ્રતિકાત્મક તસવીર ANI )

Maoists killed in encounter- આ ઓપરેશનમાં 4 પોલીસકર્મી પર ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે હેલિકોપ્ટરથી નાગપુર મોકલવામાં આવ્યા

ગઢચિરોલી : મહારાષ્ટ્ર પોલીસે (Maharashtra police) શનિવારે ગઢચિરોલીમાં (Gadchiroli) 26 નક્સલીઓને (26 Maoists killed in encounter)ઠાર કર્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra)પોલીસના C-60 દળે આ મોટા ઓપરેશનને અંજામ આપ્યો છે. ગઢચિરોલી જિલ્લામાં સવારે 7 વાગ્યાથી જ ઓપરેશન ચાલું થયું હતું. આ ઓપરેશનમાં 4 પોલીસકર્મી પર ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે હેલિકોપ્ટરથી નાગપુર મોકલવામાં આવ્યા છે. ગઢચિરોલીના એસપી અંકિત ગોયલે આ જાણકારી આપી છે.

સૂત્રોના મતે આ એન્કાઉન્ટરમાં કુખ્યાત અને ખુંખાર નક્સલી મિલિંદ તેલતુંબડે પણ (Milind Teltumbde) માર્યો ગયો છે. તે ભીમા કોરેગાંવ હિંસા કેસમાં આરોપી હતો. તે એલ્ગાર પરિષદ-કોરેગાંવ ભીમા જાતિ દંગાના કેસમાં પૂણે પોલીસ દ્વારા વોન્ટેડ હતો. તેલતુંબડે ભાકપા (માઓવાદી)ની કેન્દ્રીય સમિતિનો સદસ્ય હતો.

આ પણ વાંચો - મણિપુરમાં મોટો ઉગ્રવાદી હુમલો, આસામ રાઇફલ કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવાર સહિત 7 શહીદ

આ અથડામણમાં પોલીસે નક્સલીઓના ઘણા કેમ્પ ધ્વસ્ત કરી દીધા છે. ગઢચિરોલી જિલ્લાના કોરચી તાલુકાના ગ્યારહબત્તી, કોટગુલ વિસ્તારના જંગલમાં નક્લસીઓ દ્વારા શિવિર લગાવવાની જાણકારી પોલીસને મળી હતી. આ પછી પોલીસની સી-60 નામની ટીમે નક્સલીઓ સામે અભિયાન ઝડપી કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ટીમ અભિયાન માટે નીકળી પડી હતી. પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તો નક્સલીઓને જાણ થઇ હતી અને તેમણે પોલીસ પર ગોળીબારી શરુ કરી હતી. જે પછી પોલીસે વળતો પ્રહાર કરતા ગોળીબાર કર્યો હતો. ઘણા કલાકો ચાલેલી અથડામણ પછી 26 નક્સલી માર્યા ગયા છે.

આ પણ વાંચો - વલસાડ : ટ્રેનમાં યુવતીનો આપઘાત કેસ : 'અર્ધનગ્ન અવસ્થામાં ઉભી હતી યુવતી, અમે કપડાં શોધીને તેને આપ્યા'

થોડાક દિવસો પહેલા અહીં પોલીસે 2 લાખના ઇનામી નક્સલી મંગારુ માંડવીની ધરપકડ કરી હતી. નક્સલી મંગારુ પર હત્યા અને પોલીસ પર હુમલો કરવાના ઘણા કેસ નોંધાયેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે મરનારમાં ઘણા મોટા ઇનામી નક્સલી છે. બીજી તરફ છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પણ છેલ્લા એક સપ્તાહમાં બે અલગ-અલગ અથડામણમાં 4 નક્સલીઓને ઠાર કર્યા છે. જેમાં 3 મહિલા માઓવાદી છે. આ ચારેય નક્સલીઓ પર છત્તીસગઢ સરકારે 5-5 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરેલી હતી. મારી ગયેલી મહિલા નક્સલી હાર્ડકોર માઓવાદી હતી. આ મહિલાએ ઘણી મોટી ઘટનાઓને અંજામ આપ્યો હતો.
First published:

Tags: Gadchiroli, Maharashtra police, Milind Teltumbde, એન્કાઉન્ટર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો