સેંસર બોર્ડેએ બનાવેલી કમિટિએ ફિલ્મ પદ્માવતીને નકારી છે. ફિલ્મ પદ્માવતીની રિલીઝને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સેંસર બોર્ડે એક કમિટિ બનાવી હતી. જેમાં રાજપૂત સમાજ અને રાજસ્થાનના રાજઘરોના લોકો હતો. આ કમિટિએ ફિલ્મ પદ્માવતીને જોઈને રિજેક્ટ કરી દિધી છે.
CBFCએ ફિલ્મને સર્ટિફિકેશન આપતા પહેલા એક એક્સપર્ટ પેનલને આ ફિલ્મ બતાવવામાં આવી હતી. સુત્રો અનુસાર એક્સપર્ટ પેનલએ પદ્માવતી ફિલ્મમાં ઘણી વસ્તુઓને લઈને વિરોધ કર્યો છે. ઉલ્લેખનિય છે કે ફિલ્મ 18 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. પરંતુ ભારે વિરોધ વચ્ચે આ ફિલ્મ રિલીઝ થઈ શકી ન હતી.
તો આ ફિલ્મ રિલીઝ થશે તો પણ ફિલ્મમાંથી 26 સિન કટ કરવામાં આવશે.
દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂરની આ ફિલ્મ શૂટિંગ સમયથી જ વિવાદમાં ચાલી રહી છે. ગયા વર્ષે આ ફિલ્મના સેટ પર નિર્દેશક સંજય લીલી ભંસાલી સાથે પણ મારપીટ થઈ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર