Home /News /madhya-gujarat /વડોદરામાં બીજી શોભાયાત્રા પર અસામાજિક તત્વોનો પથ્થરમારો, ત્રણથી ચાર ઘાયલ; બે આરોપીની ધરપકડ

વડોદરામાં બીજી શોભાયાત્રા પર અસામાજિક તત્વોનો પથ્થરમારો, ત્રણથી ચાર ઘાયલ; બે આરોપીની ધરપકડ

વડોદરામાં બીજી શોભાયાત્રામાં પણ પથ્થરમારાની ઘટના બની છે.

વડોદરા શહેરમાં વધુ એક રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બની છે. ત્યારે ટોળાને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે.

વડોદરાઃ શહેરમાં વધુ એક શોભાયાત્રા પર મસ્જિદમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો છે. ત્યારે કુંભારવાડા વિસ્તારમાં શોભાયાત્રા પહોંચી ત્યારે અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે ટોળાને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાને પગલે SRP 2 ટુકડી, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી સહિત 500 જેટલા તાલીમાર્થી પોલીસ જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા છે. 14થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ફતેહપુરા સહિત આસપાસના વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે.

આ ઘટનામાં અંદાજે ત્રણથી ચાર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, પથ્થરામારાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ખૂબ જ તંગ જોવા મળી રહ્યું છે. હાલ આ મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

વડોદરા શહેરના અન્ય એક વિસ્તાર યાકુતપુરા વિસ્તારમાં માહોલ તંગ છે. ત્યારે મોટી સંખ્યામાં પોલીસ કાફલા સહિત કમિશનર પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે બનતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.


સવારે પણ શોભાયાત્રા પર પથ્થરમારો


શહેરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હોવાને કારણે પરિસ્થિતિ તંગ બની હતી. રામનવમી નિમિતે શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ દરમિયાન આ યાત્રા ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે પહોંચી ત્યારે જૂથ અથડામણ થયુ હતુ. આમાં પથ્થરમારો પણ થયો હતો. જેમા રામજીની મૂર્તિ પર પથ્થર વાગતા તે ખંડિત બની હતી. જોકે, પોલીસનો મોટો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો. જેના કારણે પરિસ્થિતિ કાબુમાં આવી ગઇ હતી.



આ પણ વાંચોઃ વડોદરામાં રામનવમીની શોભયાત્રા પર પથ્થરમારો

વાહનોમાં પણ તોડફોડ


આ જૂથ અથડામણમાં કેટલાક વાહનોમાં તોડફોડ પણ કરાવામાં આવી છે. કારેલીબાગ વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે. જે બાદ પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા ઉમટ્યા છે. કારેલીબાગના ભૂતડીઝાપા વિસ્તારમાં પથ્થરમારો થતા પોલીસ મથક પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પાંજરીગળ મહોલ્લા નજીક પથ્થરમારાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ટોળાએ વાહનોની સાથે દુકાનોમાં તોડફોડ કરીને માહોલમાં ભય ઊભો કર્યો હતો.


ઇન્દોરમાં પણ મોટી દુર્ઘટના


રામનવમીના દિવસે ઈન્દોરમાં પણ મોટી દુર્ઘટના ઘટી છે. ઈન્દોરના જૂની થાના ક્ષેત્રમાં આવેલા બેલેશ્વર મંદિરમાં પૂજા દરમિયાન આ દુર્ઘટના થઈ છે. બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં કુવા પર બનેલી દીવાલ ધરાશાયી થઈ છે. તેને લઈને ત્યાં હાજર લોકો કૂવામાં પડી ગયા હતા. રામનવમીના દિવસે મંદિરમાં મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા. લોકો પૂજા અર્ચના અને આરતી કરી રહ્યા હતા. આ દરમિયાન મંદિરમાં એક વાવ આવેલી છે. અહીં 10 વર્ષ પહેલા છત નાખવામાં આવી હતી. પૂજા દરમિયાન 20-25 લોકો વાવની છત પર ઊભા હતા. તે જ સમયે આ છત ધરાશાયી થઈ અને 20-25 લોકો અંદર પડ્યા હતા. 25થી વધારે લોકો મંદિર ઘસી પડતા અંદર આવેલી વાવમાં પડ્યા છે. પોલીસ એસડીઆઈઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગી ગઈ છે. વરિષ્ઠ પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવ કાર્ય સતત ચાલી રહ્યું છે. આ દુર્ઘટનામાં અનેક મોત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
First published:

Tags: Vadodara, Vadodara Top News