Home /News /madhya-gujarat /દાહોદ : છબરડો કે કૌભાંડ?, '10 વર્ષ પહેલા પિતાનું અવસાન, તેમને રસીનો બીજ ડોઝ આપ્યાનો મેસેજ આવ્યો'

દાહોદ : છબરડો કે કૌભાંડ?, '10 વર્ષ પહેલા પિતાનું અવસાન, તેમને રસીનો બીજ ડોઝ આપ્યાનો મેસેજ આવ્યો'

દાહોદ જિલ્લામાં રસીકરણમાં છબરડો

લીમડીના 72 વર્ષીય મધુબેન શર્માના મૃત્યુના દોઢ મહિના પછી તેમના પુત્રના મોબાઈલ ઉપર રસીનો બીજો ડોઝ લીધાનો મેસેજ આવ્યો

    સાબીર ભાભોર, દાહોદ : જિલ્લા સહિત રાજ્યભરમાં રસી મુકાવવાને લઈ લોકો આગળ આવતા, રસીના ડોઝ એક બાજુ ઓછા પડી રહ્યા છે, ત્યારે જિલ્લામાં આરોગ્ય વિભાગના રસી મામલે છ્બરડા સામે આવી રહ્યા છે. મૃત વ્યક્તિના પરિવારજનોને રસીકરણ થયાનો મેસેજ મળી રહ્યા છે, તો અનેક લોકોને રસીનો ડોઝ ન લીધો હોવા છતા રસીકરણ થઈ ગયાનો મેસેજ આવી રહ્યો છે.

    એક તરફ દાહોદ જિલ્લામાં 18 થી 44ની વય જુથના લોકો માટે રસીકરણ શરૂ નથી થયું, અનેક લોકો રસી માટે રાહ જોઈ રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ મૃતકોને રસીકરણ કરવામાં વ્યસ્ત દેખાઈ રહ્યું છે.

    દાહોદ શહેરમાં રહેતા નરેશ ભાઈ દેસાઇના પિતા નટવરલાલ દેસાઇનું 2011માં 93 વર્ષે અવસાન થયું હતું, જે સમયે કોરોનાનું કોઈ નામ-નિશાન નહોતું અત્યારે તેમના મૃત્યુને 10 વર્ષ થયા ત્યારે ગતરોજ તેમના પુત્રના મોબાઈલ ઉપર તેમણે વેક્સિનેસનનો બીજો ડોઝ મુકાયાનો મેસેજ આવતા સ્તબ્ધ થઈ ગયા હતા.

    આ પણ વાંચો - સુરત : મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ યુવકોને ભારે પડ્યું, જુઓ મહિલાની હિમ્મતનો Live Video

    બીજા કિસ્સામાં લીમડીના 72 વર્ષીય મધુબેન શર્માએ રસીનો પ્રથમ ડોઝ 2 માર્ચે લીધો હતો અને 15 એપ્રિલના રોજ તેઓનું નિધન થયું હતું, ત્યારે મૃત્યુના દોઢ મહિના પછી તેમના પુત્રના મોબાઈલ ઉપર રસીનો બીજો ડોઝ લીધાનો મેસેજ આવ્યો છે.

    આ પણ વાંચો - નિર્દયતાથી હત્યાનો Live Video: પશુપાલકો વચ્ચે લોહીયાળ જંગ, અધમરો થયો, તો પણ લાકડીઓ વરસાવતા રહ્યા

    આવી જ રીતે લીમડીના એક મહિલાએ બીજો ડોઝ ન લીધો હોવા છતા બીજો ડોઝ આપ્યાનો મેસેજ આવતા અચંબામાં પડી ગયા છે, આવી રીતે આડેધડ રસીકરણના મેસેજથી અનેક શંકાઓ ઊભી થઈ રહી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, આરોગ્ય વિભાગની આ બેદરકારી છે કે, પછી રસીકરણમાં પણ કોઈ કૌભાંડ થઈ રહ્યું છે?
    Published by:Kiran Mehta
    First published:

    Tags: Dahod news