Home /News /madhya-gujarat /'છોટાઉદેપુરમાં રામસિંહને ટિકિટ ન આપો': ભાજપમાં આંતરિક વિખવાદ

'છોટાઉદેપુરમાં રામસિંહને ટિકિટ ન આપો': ભાજપમાં આંતરિક વિખવાદ

પ્રતિકાત્મક તસવીર

ભાજપના નેતાઓએ પત્ર લખી સાંસદ રામસિંહ રાઠવાની નબળી કામગીરીનો ઉલ્લેખ કરી ટિકીટ ન આપવા રજૂઆત કરી છે

ન્યૂઝ18 ગુજરાતી: લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે છોટાઉદેપુર બેઠક ઉપર ટિકિટને લઈ આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરમાં ભાજપના બે પૂર્વ ધારાસભ્યો , ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય સહિત 10 જેટલા મહત્વના હોદ્દેદારોએ ચાલુ સાંસદ રામસિંહ રાઠવા સામે અસંતોષ વ્યક્ત કરતાં ટિકિટ નહીં આપવા રજૂઆત કરી છે.

આ અંગે મુખ્યમંત્રી અને રાજ્યના પ્રભારીને લખાયલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, જિલ્લા પંચાયત સદસ્ય ગીતાબેન રાઠવા સહિતના ભાજપના નેતાઓએ પત્ર લખી સાંસદ રામસિંહ રાઠવાની નબળી કામગીરીનો ઉલ્લેખ કરી ટિકીટ ન આપવા રજૂઆત કરી છે.

પત્રમાં લખ્યું છે કે, રામસિંહ રાઠવા છેલ્લી ત્રણ ટર્મથી છોટાઉદેપુરના સાંસદ છે. એમની નબળી કામગીરીને લીધે છોટાઉદેપુર લોકસભા વિસ્તારના કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે અસંતોષ છે. અમે અમારા વિસ્તારમાં વિસ્તારક તરીકે જઈએ છે ત્યારે લોકો અમને એમના વિશે ઘણી ફરિયાદો કરે છે. ગુજરાતમાં જો તમામ 26 બેઠકો જીતવી હોય તો રામસિંહ રાઠવાને આ વખતે ઉમેદવાર તરીકે રિપીટ ન કરશો નહીંતર છોટાઉદેપુર બેઠક ગુમાવવાનો વારો આવશે. એમની સિવાય અન્ય ઉમેદવારો અમને માન્ય છે. જો રામસિંહ રાઠવા સિવાય બીજાને ઉમેદવાર બનાવાશે તો અમે એમને જીતાડવાની તમને ખાતરી આપીએ છીએ.

આ પણ વાંચો: ઓફર આવે તો હું ભાજપમાં જોડાવ, નરેન્દ્રભાઇનું નેતૃત્વ સારૂં છે: પરેશ ગજેરા

આ અંગે ડૉ. આચાર્ય ગણી મહારાજે જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે અમે તમામ લોકોએ પત્ર પર સહીઓ કરી મુખ્યમંત્રીને લોકસભા છોટાઉદેપુરની પરિસ્થિતિ અંગે રજૂઆત કરી હતી. જ્યારે મુખ્યમંત્રીએ ખાત્રી આપી છે કે અમે તમારી રજૂઆત ધ્યાન પર લીધી છે અને બહુ સારો ઉકેલ લાવીશું.
First published:

Tags: BJP leaders, Chhota udaipur, Lok sabha election 2019, Protest, ભાજપ, સાંસદ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો