છોટા ઉદેપુરઃ ગત મોડી સાંજે છોટાઉદેપુરથી મધ્યપ્રદેશ જઈ પરત ફરી રહેલી એસટીબસ ઉપર તીરમારો કરવામા આવ્યો હતો. જેમા ચાલુ બસે કંડકટરને છાતીમા તીર વાગતા ગંભીર રીતે ઘવાયો હતો.
છોટાઉદેપુરથી રાજયની સરહદ ને અડીને આવેલ મધ્યપ્રદેશના કઠ્ઠીવાડા ચાલતી ગુજરાતની એસટીબસ રાબેતા મુજબ ગઈકાલે સાંજે 6:10 કલાકે છોટાઉદેપુર થી કઠ્ઠીવાડા જવા રવાના થઈ હતી અને સાંજના 7 વાગે પરત છોટાઉદેપુર ફરી રહી હતી. તે દરમિયાન મધ્યપ્રદેશની હદમા આવેલ જંગલ વિસ્તારમા અચાનક બસ ઉપર તીરમારો કરવામા આવ્યો હતો.
જેમા સદનસીબે ડ્રાઈવર અને બસમા સવાર છ મુસાફરો બચી ગયા હતા. પરંતુ બારીના ખુલ્લા કાચમાથી આવેલ એક તીર કંડક્ટર ગોવિંદભાઈની છાતીમા ઘુસી જતા ગોવિંદ ભાઈ ગંભીર રીતે ઘવાયા હતા. તીર વાગ્યાની જાણ થતા જ એસટીબસના ચાલકે 108 ને જાણ કરી બોલાવી કંડકટરને છોટાઉદેપુર સરકારી દવાખાને ખસેડાયો હતો. જ્યાથી વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયો હતો. બનાવ ને લઈ બસના ચાલકે છોટાઉદેપુર પોલીસ મથકમા તીર મારો કરનાર અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: દેશ વિદેશ