અમદાવાદ : અમદાવાદ શહેરમાં (Ahmedabad) જાણે કે કાયદો અને વ્યવસ્થાની (Law and Order) સ્થિતિ કથળી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. પશ્ચિમ અને પૂર્વમાં વહેચાયેલા શહેરના પશ્ચિમ છેડાને તો પૂરતું સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન મળી રહ્યું છે પરંતુ પૂર્વ અમદાવાદ જાણે કે ગુનેગારોના (Criminals) સકંજામાં આવી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાના બનાવો આવી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં (East Ahmedabad) હત્યાનો સિલસિલો યથાયવત છે. શહેરના અમરાવાડી (Amraiwadi) વિસ્તારમાં ગેરકાયદેસાર બાંધકામના વિવાદ ઝગડા મુદ્દે પાડોશી દ્વારા તિક્ષણ હથિયાર વડે મારમારી કરી 65 વર્ષીય આધેડની (65 years old Murdered) હત્યા કરવામાં આવી. શહેરમાં જાણે ગુનેગારો બેફામ બન્યા છે તે પ્રકાર નો ઘાટ સર્જાયો છે અને તેમાં પણ પૂર્વ વિસ્તારમાં જાણે ગુનેગાર માટે હોટસ્પોટ બન્યું છે.
બનાવની વિગતો એવી છે કે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ હાટકેશ્વરમાં વધુ એક હત્યા થઈ છે. 65 વર્ષીય આધેડની હત્યા થઈ છે. બાંધકામ બાબતે 4 શખ્સો રાજારામ મદ્રાસીને હટકેશ્વરમાં આવેલ તેના ઘર પાસેથી બાઇક પર મોદીનગર લઈ જઈ તિક્ષણ હથિયાર વડે માર મારીને મોદીનગર પાસે હત્યા કરી હતી.
પોલીસે 2 આરોપી હરીશ નાયકર અને માધવ નાયકરને CCTV આધારે હસ્તગત કર્યા છે, જ્યારે અન્ય 2 આરોપી ને શોધવા તપાસ ચાલી રહી છે.અમરાઈવાડી મા રહેતા રાજારામ મદ્રાસી હાટકેશ્વરમાં રહે છે અને વર્ષોથી નિવૃત જીવન ગુજારે છે, પણ શનિવારની સાંજ તેની આખરી સાંજ બની ગઈ. ફરિયાદી રાજારામ મદ્રાસીએ 15 વર્ષ અગાઉ ચીનેયા નાયકર,માધવન નાયકર ,હરીશ નાયકર ,ચંદુ નાયકર સામે અમરાઈવડીના મોદીનાગર મા આવેલ તેમના 4 મકાનની બાજુ આવેલ જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કોર્ટમાં કેસ કર્યો છે,જેના મુદ્દે અવર નવાર બોલાચાલી થતી હતી.
અને આજ જમીન વિવાદને લઈને શનિવાર સાંજે જ્યારે રાજા મદ્રાસી એક્ટિવા લઈને ગેસનો બાટલો લેવા જતા હતા ત્યારે તેમના એક્ટિવા સાથે બાઇક અથડાવીને આ 4 આરોપીઓ બાઇક પર લઈ ગયા હતા અને મોદીનાગર પાસે હત્યા કરી મૃતદેહ ત્યાંજ ફેંકી દીધો હતો.
પોલીસ પેટ્રોલિંગની વાતો વચ્ચે ગુનેગારોને પોલીસનો કોઈ ડર નથી રહ્યો અને તેનાજ કારણે હત્યા કરતા પણ અચકાતા નથી, ત્યારે ગુનેગારો મા પોલીસનો ભય ઉભો થાય તે જરૂરી છે, હાલ આ મામલે વધુ કાર્યવાહી કરવા માં આવી રહી છે..