Home /News /madhya-gujarat /CM રૂપાણીની મોટી જાહેરાત : કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર 8થી4 દુકાનો ખૂલશે, પાનમાવાની દુકાનોને પણ છૂટ

CM રૂપાણીની મોટી જાહેરાત : કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર 8થી4 દુકાનો ખૂલશે, પાનમાવાની દુકાનોને પણ છૂટ

લૉકડાઉન 4માં ગુજરાત સરકારે આપી મોટી છૂટછાટ, જાણો રાજ્યના ક્યા ક્યા વિસ્તારોમાં વેપાર ધંધા ખોલી શકાશે?

લૉકડાઉન 4માં ગુજરાત સરકારે આપી મોટી છૂટછાટ, જાણો રાજ્યના ક્યા ક્યા વિસ્તારોમાં વેપાર ધંધા ખોલી શકાશે?

    ગાંધીનગર : કેન્દ્ર સરકારે લૉકડાઉન 4.0 (Lockdown 4.0)માં મોટી છૂટછાટ આપવાની જાહેરાત સાથે રાજ્યોને પોતાની રીતે લૉકડાઉનનો અમલ કરાવવાની સત્તા આપી હતી. આ સત્તાના અનુસંધાનમાં ગુજરાત સરકારે (Government Of Gujarat) દ્વારા મોટી છૂટછાટ આપવામાં આવી છે. ગાંધીનગરથી રાજ્યની જનતાને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ લૉકડાઉનમાં છૂટછાટ આપી છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે સરકારને તમામ લોકોએ ખૂબ સહકાર આપ્યો, તમામ લોકોએ પોતાની જાતની પરવાહ કર્યા વગર દિવસ રાત આ યુદ્ધમાં પોતાનું કર્તવ્ય બજાવ્યું. હું આજના દિન સૌને અભિનંદન આપું છું. ધન્યવાદ આપું છું. કોરોના સામેની આપણી લડાઈ હજુ લાંબી છે. આપણે વાયરસને માત આપવાનો છે. એના માટે અનેક પ્રયત્નો કરવાના છે. આ સાથે 55 દિવસનું લૉકડાઉન ગરીબ, શ્રમિક, કિસાન, મધ્યમ વર્ગના લોકો તમામ પ્રવૃતિઓ બંધ થાય તો એમને પણ ગણી બધી તકલીફ પડે. આપણે અર્થતંત્ર શરૂ રાખી અને કોરોના અટકાવવાનો છે.

    રાજ્યને કન્ટેઇનમેન્ટ અને નોન-કન્ટેઇનમેન્ટ ઝોનમાં વહેચવામાં આવ્યું

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્યને કન્ટેઇનમેન્ટ અને નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ બાબતની પરવાનગી આપવામાં નહીં આવે જ્યારે નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં વેપાર ધંધા શરૂ થઈ જશે. નોન કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં સવારે 8.00 વાગ્યાથી સાંજે 4.00 વાગ્યા સુધી દુકાનો ખૂલશે.

    પશ્ચિમ અમદાવાદમાં વેપાર- ધંધા પણ ખૂલશે

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કર્યુ કે સમગ્ર અમદાવાદમાં લૉકડાઉન છે ત્યારે પશ્ચિમ અમદાવાદમાં વેપાર ધંધા ખોલવાની છૂટ છે. સવારે 8-4 દરમિયાન દુકાનો ઓડ-ઇવન નંબર પ્રમાણે ખૂલશે.

    જાણો ક્યાં શૂ ખૂલશે?

    1. અમૂલ પાર્લરો પર માસ્ક મળશે

    2) અમદાવાદને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. પૂર્વમાં કોઈ છૂટ નથી.

    3) આખા ગુજરાતમાં એસ.ટી. શરૂ થશે પરંતુ અમદાવાદમાં પ્રવેશ નહીં/ ઓટો રીક્ષાને પણ છૂટ

    4) લોકો જેની રાહ જોતા હતા તેને છૂટ મળી : પાન-માવા, સલૂન અને બ્યૂટીપાર્લર. આ માટે નિયમો જાહેર

    5) સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઇલ સાથે ઉદ્યોગોને છૂટ આપવામાં આવી.



    આ પણ વાંચો :  CM રૂપાણીની જાહેરાત : પાનમાવા વેચવાની છૂટ, ઓડ-ઇવન મુજબ દુકાનો ખૂલશે

    હેર સલૂન અને બ્યૂટી પાર્લરને પણ મંજૂરી

    નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં હેરપાર્લન, બ્યૂટી પાર્લર અને સલૂનોને પરવાનગી આપવામાં આવી છે. સવારે 8.00 વાગ્યાથી 4.00 વાગ્યા સુધી આ વિસ્તારોમાં દુકાનો ખુલ્લી રહેશે અને વેપાર ધંધાને છૂટછાટ આપવામાં આવી છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સીંગનું ધ્યાન રાખવાનું રહેશે.

    મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી ગાઇડલાઇન્સ જાહેર કરી હતી. રાજ્યમાં ગ્રીન ઝોન અને ઓરેંજ ઝોન તેમજ રેડઝોનની વર્તમાન સ્થિતિના આધારે કન્ટેઇનમેન્ટ અને નોન કન્ટેઇનમેન્ટ ઝોનની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે 19મી મેના રોજ મંગળવારથી રાજ્યમાં વેપાર ધંધા કરવા માટે મોટી છૂટછાટ મળશે.

    રાજ્યમાં સાંજે 7.00 વાગ્યાથી સવારે 7.00 વાગ્યા સુધી બધું જ બંધ રહેશે

    દરમિયાન સરકારે કરેલી મોટી જાહેરાત મુજબ રાજ્યમાં રાત્રે 7.00 વાગ્યાથી સવારે 7.00 વાગ્યા સુધી બધું જ બંધ રહેશે. રાજ્યમાં આ સમય દરમિયાન તમામ વેપાર-ધંધા તેમજ આવનજાવન પર પ્રતિબંધ રહેશે.



    First published:

    विज्ञापन