અમદાવાદઃ અમદાવાદ ખમાસા ચાર રસ્તા ઉપર શુક્રવારની રાત્રે બીઆરટીએસમાં કાર ચાલક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં રોન્ગ સાઇટથી આવતા ટક્કરમાં એક્ટિવા ચાલક બે સંગીર ઇજા થતા એક કોમના ટોળા રોષે ભરાયા હતા જેમાં કાર ચાલકને માર્યો હતો.અકસ્માત બાદ ટોળા એકત્ર થયાનો મેસેજ મળતા પીસીઆર ટીમ સ્થળ ઉપર પહોચી હતી.આ સમયે રોષે ભરાયેલા ટોળાએ પોલીસે ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો.
પીસીઆર વાન ઉપર હુમલો કર્યો હતો.જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી તેની તપાસમાં દરમ્યાન બાઇક ઉપર જતા શખ્સો સહિત 1000 લોકોના ટોળા સામે રાયોટિંગ,પોલીસ ફરજામાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોઘ્યો હતો.તેમજ ટ્રાફિક પોલીસે ત્રણ ગુનો નોધ્યો હતો.જેમાં ગાયકવાડ પોલીસ અલગ અલગ ટીમ બનાવીને અત્યાર 8 જેટલા અસમાજીક તત્વો રફિક,શાહરૂખ શેખ,ઉજેર યુનુસ ,અલ્તાફ મીરજા,મહમદ સૈયદ,ઇમરાન રીછડીવાલા,આશિક શેખ સહિત કુલ 8 આરોપીને ગાયક વાડ પોલીસે ઝડપી લઇ અન્ય અસમાજીક ત્તત્વોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.