વિભુ પટેલ, અમદાવાદઃ ચોમાસાની સિઝનમાં શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને પહોચ્યા છે. કારણ કે ગુજરાત બહારથી આવતા શાકભાજીની આવક ઘટી ગય છે અને માર્કેટમાં માંગ વધુ હોવાના કારણે શાકભાજી 70 થી 80 રૂપિયે કિલો મળી રહ્યા છે. રોજે રોજ ભાવ વધવાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.
ભારે વરસાદના કારણે શાકભાજીની ખેતીને નુકસાન પહોચ્યું છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. જેના કારણે શાકભાજી માર્કેટમાં આવવું જોઈએ એટલું શાકભાજી આવી રહ્યું નથી. આવક કરતા માર્કેટમાં માંગ વધુ હોવાના કારણે ભાવ વધી રહ્યા છે. જો કે સામાન્ય લોકોને શાકભાજી લેવું હોય તો પણ વિચાર કરવો પડે છે.કારણ કે હોલસેલમાં 50 થી 60ના કિલો શાકભાજી મળી રહ્યા છે. જેના કારણે રિટેલ માર્કેટમાં તો શાકભાજી 70થી 80 રૂપિયે કિલો મળી રહ્યા છે. ગરીબોની કસ્તુરી એવી ડુંગળી પણ 50 થી 60 રૂપિયે કિલો છે.
ગૃહિણી શોભાબેને ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે પહેલા કરતા ભાવ ઘણા વધી ગયા છે. બધા શાકભાજીના ભાવ ડબલ થય ગયા છે. માર્કેટમાં લેવા આવે ત્યારે વિચારવું પડે છે. ક્યું શાકભાજી લેવુ અને શુ ખાયે શુ ન ખાયે. તો ગૃહિણી સંગીતાબેને કહ્યું હતું સામાન્ય લોકોને પસોયા તેવા ભાવ નથી. ભાવ વધવાના કારણે સામાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે. જેમ તેમ કરીને બજેટ મેનેજ કરવુ પડે છે.
ન્યુઝ 18 ગુજરાતી સાથે નરેશભાઈ વેપારીએ વાત કરતા જણાવ્યું હતું કે શાકભાજીના ભાવ વધી રહ્યા છે. માલ આવતો નથી. વરસાદના કારણે માર્કેટમાં શાકભાજીની આવક ઓછી છે. જેના કારણે ગ્રાહકોને તકલીફ પડે છે. માર્કેટમાં વસ્તુ ન આવે એટલે ભાવ વધી જાય. હજુ એક મહિનો મુશ્કેલી રહેશે. ભાવ વધવાના કારણે વેપારીઓને પણ મુશ્કેલી પડી રહી છે. કારણ કે ભાવ વધારે હોવાના કારણે ગ્રાહકો ઓછા આવે છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર