રાજ્યમાં આગામી 21મી ફેબ્રુઆરીએ મહાનગર પાલિકાની ચૂંટણી (Mahanagar Palika Election) યોજાવાની છે. જેને લઈને કોંગ્રેસ (Gujarat congress) દ્વારા આજે શપથ પત્ર (Sapath Patra) તરીકે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો (Manifesto) જાહેર કરવામાં આવ્યો છે. (ઇનપુટ : પ્રણવ પટેલ)
ગુજરાઇટ અભિયાન
કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ, અમિત ચાવડાએ કૉંગ્રેસનું શપથ પત્ર રજૂ કરતા જ ભાજપ પર અનેક પ્રહારો ક્રયા છે. તેમણે જણાવ્યું કે, કોર્પોરેશનમાં વર્ષોથી ભાજપનું શાસન છે તે છતાં લોકો પ્રાથમિક સુવિધાઓ માટે તલસી રહ્યાં છે. ઊંચો ટેક્સ ભર્યા છતાં પણ લોકો ગટર, પાણી, રસ્તા જેવી પ્રાથમિક જરુરિયાત માટેની ફરિયાદો છતાં પણ નિરાશા મળે છે. અમને ભાજપના નેતાઓની જેમ ખોટા વચનો, વાયદાઓ કે ભાષણ કરતા નથી આવડતું, પરંતુ સાચા અર્થમાં લોકોની સમસ્યાનું નિવારણ કઇ રીતે થાય તે માટે આજે અમે તમારી પાસે વાયદા નહીં શપથ લઇને આવ્યા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનાં શાષનમાં જે કંઇપણ ખોટું થઇ રહ્યું છે તેને રાઇટ કરવું એટલે ગુજરાઇટ. દરેક ગુજરાતીઓના હક અધિકારોની વાત કરવી એટલે ગુજરાઇટ અને ગુજરાતમાં કોર્પોરેશનમાં કૉંગ્રેસની સત્તા આવશે એટલે કૉંગ્રેસ કરશે ગુજરાઇટ.
"હું કોંગ્રેસના જવાબદાર કાર્યકર અને વચનના પાક્કા ગુજરાતી તરીકે આજે શપથ લઉં છું કે, કોર્પોરેશનમાં સત્તામાં આવતાં જ આ પત્રકમાં લખેલા એક એક શબ્દનું પાલન કરીશ. સત્તામાં આવતાં જ કોંગ્રેસ કરશે ગુજરાઈટ"
'આ અમારા વચન નહીં શપથ છે'
1. તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવાઓ સુવિધાઓ સ્કીમસ માટે ગુજરાઇટ કાર્ડ આપવામાં આવશે.
2. સત્તામાં આવ્યાના 24 કલાકમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ ની પ્રથા નાબૂદી ની શરૂઆત કરીશું.
3. સત્તામાં આવ્યાના 24 કલાકમાં કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરીશું
4. એકસીડન્ટ અને ફાયર ઈમરજન્સી માટે હેલિકોપ્ટર દ્વારા પવનપુત્ર એર ઇમર્જન્સી સેવા શરૂ કરીશું.
5. શહેરના જાહેર માર્ગોઉપર એર પ્યુરીફાયર લગાવીશું.
6. અંગ્રેજી માધ્યમમાં મફત શિક્ષણ આપીશું..
7. સત્તામાં આવ્યાના એક સપ્તાહમાં શહેરના તૂટેલા રસ્તાઓ નું પુનઃ નિર્માણ શરૂ કરીશું.
8. કોરોના કાળમાં આર્થિક નુકશાની ભોગવી રહેલા ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત આપીશું.
9. ઘરવેરા માં 50 ટકા સુધીનો ઘટાડો કરીશું.
10. સમગ્ર શહેરમાં વરસાદના પાણીના નિકાલ માટે એક્સપર્ટની મદદ લઇ વિશ્વસ્તરીય સર્વિસ કોરિડોર બનાવીશું.
11. તમામ શહેરોમાં નાગરિકોને ફ્રી વાહનપાર્કીંગ આપીશું.
12. તમામ શહેરોમાં ફ્રી વાઈફાઈ ઝોન શરૂ કરવામાં આવશે.
પ્રગતિ, સંમતિ , સદભાવ..
ગુજરાતીઓનો છે પ્રાઈડ..
જનતાના હક અને અધિકારની લડતમાં કોંગ્રેસ છે જન - જન ની સાથે..
નોંધનીય છે કે, કોંગ્રેસે શપથપત્રમાં કહ્યું છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો શું કરશે. શપથપત્રમાં કહેવામાં આવ્યું છે કે, સત્તામાં આવતાં જ આ પત્રમાં લખવામાં આવેલા એક એક શબ્દનું પાલન કરવામાં આવશે. કોંગ્રેસપ્રમુખઅમિતચાવડા , વિપક્ષનેતાપરેશધાનાણી , કોંગ્રેસકાર્યકારીપ્રમુખહાર્દિકપટેલ , કોંગ્રેસનેતાદિપકબાબરિયા , ડોમનિષદોશીહાજર રહ્યાહતા.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર