અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે કોરોના (corona) અંગે રાજ્ય સરકારને વેધક સવાલો કર્યા હતા. જેનો વિસૃત રિપોર્ટ રાજ્ય સરકારે (Gujarat Government) ગુજરાત હાઈકોર્ટ (Gujarat high court) સમક્ષ રજૂ કર્યો છે. રિપોર્ટમાં સરકારે હાઇકોર્ટમાં જણાવ્યું છે કે એક તબક્કે રાજ્યમાં રોજના ચારથી પાંચ હજાર ટેસ્ટ (corona test) થતાં હતાં પરંતુ હાલમાં સરકારી તંત્ર રોજના ૪૦થી ૫૦ હજાર જેટલા કોરોનાના ટેસ્ટ કરી રહ્યું છે. છેલ્લા પંદર દિવસોમાં સરકાર પ્રતિ એક લાખની વસ્તીએ ૪૫૦ ટેસ્ટ્સ કરી રહી છે. જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનાં પ્રતિ લાખ ૧૪૦ ટેસ્ટ્સ કરવાની ભલામણ કરતાં પણ વધુ છે. અને ૧૩મી ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં કુલ ૧૧,૫૯,૮૨૨ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ૨૮મી જુલાઇથી ૧૩ ઓગસ્ટ સુધીના પ્રતિદિનના કોરોના ટેસ્ટના ડેટા રજૂ કર્યા છે અને એમાં જણાવ્યું છે કે એક તબક્કે રાજ્યમાં પ્રતિદિન ૨૨૨૪૮ ટેસ્ટ થતાં હતાં જે સંખ્યા વધીને હાલ ૫૦૮૧૭ સુધી પહોંચી ગઇ છે.
ગત સુનાવણી બાદ હાઇકોર્ટે કરેલા આદેશોમાં રાજ્યના નવ જિલ્લાઓમાં કોરોના ટેસ્ટસની સુવિધા ઉપલબ્ધ ન હોવા અંગે સરકારને પ્રશ્ન કર્યો હતો. જેનો જવાબ આપતાં સરકાર તરફથી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે,‘કોવિડ લેબોરેટરી દરેક જિલ્લામાં ઊભી કરવાનો જ્યાં સુધી પ્રશ્ન છે એ અંગે આઇસીએમઆરની ગાઇડલાઇન ખૂબ જ સ્પષ્ટ છે. લેબ માટેના ધારાધોરણો, પ્રોટોકોલ વગેરે પુરાં કરનારને જ કોરોનાના ટેસ્ટ માટેની મંજૂરી આપવામાં આવે છે. અલબત્ત, હાલના સંજોગોમાં RT-PCR ટેસ્ટ અથવા તો તેના સમકક્ષ કોરોના માટેના ટેસ્ટ દરેક જિલ્લામાં ઉબલબ્ધ કરાવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા એક એવી પદ્ધતિ વિકસાવવામાં આવી છે જેના લીધે કોઇએ પણ લાંબા અંતર કાપીને કોરોનાના ટેસ્ટ કરાવવા માટે આવવું કે જવું ન પડે.
જે તે વ્યક્તિના સેમ્પલ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ વગેરે જે જેતે જિલ્લાના મેડિકલ કોલેજ સાથે સંકળાયેલી હોય ત્યાંથી પણ કલેક્ટ કરી શકાય છે. આ સેમ્પલને નજીકની લેબમાં ટેસ્ટ માટે મોકલી રિપોર્ટ કરવામાં આવે છે. તે સિવાય રાજ્ય સરકારે Q Covid-19 એન્ટિજન ટેસ્ટની વ્યવસ્થા પણ દરેક જિલ્લામાં ઊભી કરી છે. જેથી કોઇ પણ જિલ્લાની વ્યક્તિએ કોરોનાના ટેસ્ટ માટે દૂર ન જવું પડે..
આવતીકાલે કોરોના સુઓમોટો આ કેસમાં વધુ સુનાવણી હાઈકોર્ટમાં હાથ ધરાશે.
સરકારે કોર્ટમાં રજુ કરેલા રિપોર્ટ ના મુદ્દા ઉપર ઊડતી નજર કરીએ રિપોર્ટ આ પ્રમાણે સબમિટ કરવામાં આવ્યો છે..
ઇન્જેક્શન અને દવાઓની અછત તેમજ મજબૂત મેડિકલ માળખું ઉભુ કરવા બાબતે સરકારે લીધેલા પગલાંની કોર્ટ ને કરાઈ જાણ
સુરતમાં કોરોના નું સંક્રમણ ફેલાતો અટકાવવા માટે સરકારની સ્ટ્રેટેજી
સુરતમાં જગ્યાએ જગ્યાએ ધનવંતરી રથ કાર્યરત કરવા
ટેસ્ટિંગની માત્રા વધારવી
104 હેલ્પલાઇન પર આવતા તમામ કોલ્સ ને તાત્કાલિક એટેન્ડ કરી દર્દીને પ્રાથમિક તબક્કામાં જ સારવાર મળે એની વ્યવસ્થા કરવી
કોરોનાના વધારે દર્દીઓ મળે ત્યાં માઈક્રો કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી નો ઉપયોગ
સુરક્ષાકવચ સમિતિઓ કાર્યરત કરવી
Pulse oximeter નો વિપુલ માત્રામાં ઉપયોગ કરવો
ઝોન વાઇઝ one room ઉભા કરી અસરકારક રીતે હોમ isolation અને ફોલોઅપ સ્ટ્રેટેજી
રત્નકલાકારો તેમજ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવવી
પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કરી સારવાર કરવી
કોમ્યુનિટી covid isolation સેન્ટર ઉભા કરવા
ટ્રેક ટેસ્ટ ટ્રીટ આઇસોલેશન અને કવોરંટાઇન સ્ટ્રેટેજીનો ઉપયોગ
સુરતમાં બે સરકારી અને 44 ખાનગી હોસ્પિટલોમાં કોરોના ની સારવાર અધિકૃત કરાઈ
સુરતમાં હાલ 1871 દર્દીઓ લઈ રહ્યા છે કોરોના ની સારવાર