Home /News /madhya-gujarat /કોંગ્રેસના આકરા પ્રહારઃ વ્યાજબી ભાવના અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં ભાજપ સરકારના આશિર્વાદ

કોંગ્રેસના આકરા પ્રહારઃ વ્યાજબી ભાવના અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં ભાજપ સરકારના આશિર્વાદ

રાજીવ ગાંધી ભવન

Gujarat Pradesh Congress Committee:સરકારી અનાજ સગેવગે કરવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં (Statewide scam) ફક્ત સુરત શહેરમાંથી (surat city) 62,000 જેટલી ફેક યુઝર આઈડી મારફત વ્યાજબી ભાવના 100 કરોડ રૂપિયાનું અનાજ લોકડાઉન (lockdown) - કોરોના કાળમાં (coronavirus time) ચાઉં થઈ ગયું છે.

વધુ જુઓ ...
અમદાવાદઃ સરકારી અનાજ (Government cereals) - ઘઉં, ચોખા, ખાંડ સગેવગે કરવાના રાજ્ય વ્યાપી કૌભાંડ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના (Gujarat Pradesh Congress Committee) મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીના (dr manish doshi) આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારના આર્શિવાદથી કૌભાંડ (scam) થાય છે . સરકારી અનાજ સગેવગે કરવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં (Statewide scam) ફક્ત સુરત શહેરમાંથી (surat city) 62,000 જેટલી ફેક યુઝર આઈડી મારફત વ્યાજબી ભાવના 100 કરોડ રૂપિયાનું અનાજ લોકડાઉન (lockdown) - કોરોના કાળમાં (coronavirus time) ચાઉં થઈ ગયું છે.

આ ઉપરાત સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, જામનગર સહિત અનેક જિલ્લા - શહેરમાંથી ગરીબોના હક્કનું અનાજ બારોબાર કાળાબજારીયાઓ ચાઉં કરી ગયા છે.  ભાજપ સરકારના આર્શિવાદથી કાળાબજારીયા - સંગ્રહખોરો દ્વારા સુનિયોજિત કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું છે..

દિયોદર જી.આઈ.ડી.સી.માં 8.64 લાખ, સુરેન્દ્રનગરમાં 24.70 લાખ ના અનાજના જથ્થા અંગે જિલ્લા કલેક્ટર અને પુરવઠા અધિકારીઓ મૌન કેમ છે . ગરીબોના હક્કના અનાજને છીનવીને અનાજ માફિયા - કાળાબજારીયા - સંગ્રહખોરો પર ભાજપ સરકાર પી.બી.એમ. હેઠળ કેમ પગલા ભરતી નથી? જે સ્પષ્ટ દર્શાવે છે કે કાળાબજારીયા - સંગ્રહખોરો - અનાજ માફિયાઓ ભાજપ શાસનમાં ભાગીદાર છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'અહીં તો દારુ પીવું એ સામાન્ય બાબત છે, તારે સહન કરવું પડશે', અસહ્ય ત્રાસથી પરિણીતાએ કરી ફરિયાદ

ગુજરાતમાં 0થી 16 ગુણાકવાળા 16,19,226 પરિવારો અને 17થી 20 ગુણાકવાળા 15,22,005 પરિવારો એટલે કે ગુજરાતમાં અન્ન નાગરિક પુરવાઠા પ્રમાણે 31,41,231 પરિવારો ગરીબી રેખા નીચે એટલે કે 1,88 લાખ કરતા વધુ ગરીબો ગુજરાતમાં, સરકારમાં અન્ય વિભાગ મુજબ 40 લાખથી વધુ ગરીબ પરિવારો છે .

આ પણ વાંચોઃ-પત્ની બાથરૂમમાં ન્હાવા ગઈ અને એન્જીનિયર પતિએ એવું કર્યું કે પહોંચી ગઈ સીધી હોસ્પિટલ

વધુમાં મનિષ દોશીએ જણાવ્યુ હતુ કે મધ્યાહન ભોજન હેઠળ મળવાપાત્ર ભોજનના હક્કથી બાવન લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને કોરોના કાળમાં વંચિત રાખવાનું કામ ભાજપ સરકારે કર્યું છે . આંગણવાડી - બાલકેન્દ્રોના લાખો બાળકો કોરોના કાળમાં પોષણયુક્ત આહારથી વંચિત રહ્યાં છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ દારૂડિયાનો live video, દારૂના નશામાં ધૂત યુવક ગટરમાં પડ્યો, બહાર આવવું ન્હોતું પછી...

કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકારમાં વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ અને યુ.પી.એ. ચેરપર્સન સોનિયા ગાંધીએ દેશના ગરીબ અને સામાન્ય પરિવારોને જીવન જીવવા માટે અન્ન સુરક્ષા કાયદો આપ્યો જે અન્વયે ગુજરાતમાં 54 ટકા પરિવારોને એટલે કે 3.50 કરોડ નાગરિકોને સીધો ફાયદો કર્યો હતો.

ગુજરાતમાં અન્ન સુરક્ષા કાયદા હેઠળ નાગરિકોને મળવા પાત્ર અનાજનો જથ્થો મોટા પાયે સગેવગે કરવાનું કામ ભાજપ શાસનમાં અનાજ માફિયાઓ કરી રહ્યાં છે. ગરીબોને અન્નનો અધિકાર આપવામાં આવે છે તે દુકાનદારો અને માફીયાઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓને કારણે અન્ન સુરક્ષા અધિકારથી વંચિત રહે છે.
Published by:Ankit Patel
First published:

Tags: Bjp government, Gujarati News News, ગુજરાત કોંગ્રેસ