Home /News /madhya-gujarat /Coronavirus : DyCM નીતિન પટેલની જાહેરાત, રાજ્યમાં કોરોનાનાં 18 પોઝિટિવ કેસ, દર્દીઓના નામ જાહેર થશે

Coronavirus : DyCM નીતિન પટેલની જાહેરાત, રાજ્યમાં કોરોનાનાં 18 પોઝિટિવ કેસ, દર્દીઓના નામ જાહેર થશે

કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરાશે જેથી તેમના સંપર્કમાં આવેલા લોકો પણ ટેસ્ટ માટે આગળ આવે, રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણી પંચને વિનંતી કરાશે

કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરાશે જેથી તેમના સંપર્કમાં આવેલા લોકો પણ ટેસ્ટ માટે આગળ આવે, રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણી પંચને વિનંતી કરાશે

    અમદાવાદ : રાજ્યમાં (Gujarat) કોરોના વાયરસના (coronavirus)એ ભરડો લઈ લીધો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસનાં જે પોઝિટિવ કેસ હતા તે વધીને પોઝિટિવ કેસનો (Positive case)ની સંખ્યા 18 થઈ છે. 22મી માર્ચે બપોરે 1.00 વાગ્યા સુધીમાં રાજ્યમાં 18 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી નીતિન પટેલ (Nitin Patel)એ જાહેરાત કરી હતી કે રાજ્યમાં 22મી માર્ચે 5 નવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે. તમામ દર્દીઓ આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે. આ 13 કેસમાંથી 7 કેસ અમદાવાદ (Ahmedabad) શહેરમાં નોંધાયા છે. 3 કેસ વડોદરામાં (Vadodara)માં નોંધાયા છે. પાટનગર ગાંધીનગર (Gandhinagar)માં 3 કેસ નોંધાયા છે. સુરતમાં (Surat) કોરોનાના ત્રણ અને રાજકોટમાં (Rajkot)માં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. નીતિન પટેલે પત્રકારોને માહિતી આપી અને જનતા કર્ફ્યૂ અને કોરોનાના પોઝિટિવ કેસ તેમજ આગામી રણનીતિની માહિતી આપી હતી.

    આ પણ વાંચો : Coronavirus : CM રૂપાણીની જાહેરાત, 'ચારેય મહાનગરોમાં જરૂરી તમામ ચીજો મળશે, Shutdown નથી'

    નીતિન પટેલની પ્રેસ વાર્તાલાપના મુખ્ય અંશો

    • કુલ 273 જેટલા સેમ્પલનું ટેસ્ટિંગ થયુ એમાંથી 18 પોઝિટિવ. અમદાવાદમાં 650 દર્દીઓ સરકારી કોરોન્ટાઇનમા છે.

    • રાજ્યમાં 6092 દર્દીઓ ક્વૉરન્ટીનમાં ધકેલી દેવાય છે  જે પોતાના ઘરોમાં અને સરકારી કવૉરન્ટીમાં સારવાર અને દેખરેખ હેઠળ છે

    • ક્વૉરન્ટીનમાં રહેલા નાગરિકે એ પ્રોટોકોલનો ભંગ કરશે તો સરકાર પકડીને સીધા હોસ્પિટલ ભેગા કરાશે.

    • 18 દર્દીઓનાં નામ જાહેર કરીશુ જેથી નાગરિકોને ખબર પડે કે જે સંપર્કમાં આવ્યા હોય તેઓ ટેસ્ટ માટે આવે.

    • ભારતના ચૂંટણી પંચ રાજ્યસભા ચૂંટણી મુલતવી રાખે તેવી માંગણી કરીશુ. વિધાનસભા સત્ર મોકૂફ રાખવા કાલે ચર્ચા કરીને નિર્ણય કરીશું

    • રાજ્યમાં કોરોનાના 18 કેસ પોઝિટિવ, 18માંથી 7 અમદાવાદનાં દર્દી

    • સેમ્પલના રિપોર્ટ આવતા પોઝિટિવ ટેસ્ટની માહિતી માલુમ પડી

    • કચ્છમાં પણ પહોંચ્યો કોરોના, ગાંધીનગરમાં અચાનક 3 પોઝિટિવ કેસ

    • હવે જે નવા શંકાસ્પદ દર્દી આવશે તેમને ઘરે જવાના નહી દેવાય.

    • ગાંધીનગરમાં 223 વ્યક્તિ ક્વૉરન્ટીનમાં અને સુરતમાં 590 દર્દીઓ ક્વૉરન્ટીનમાં

    • ક્વૉરન્ટીનમાં રહેલા દર્દીઓએ અધિકારીઓ સ્વસ્થ જાહેર ન કરે ત્યાં સુધી બહાર ન નીકળું

    • નવા શંકાસ્પદોને હોમ ક્વૉરન્ટીન નહીં મળે. અમદાવાદમાં 381 દર્દીઓ સરકારી ક્વૉરન્ટીનમાં

    • આજે આવનાર ફ્લાઇટમાં તમામ મુસાફરોને સરકારી ક્વૉરન્ટીનમાં રાખીશું


    First published: