મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નગરોમાં જનસુખાકારીની સુવિધાના કામોને વેગ આપવાના જનહિત ભાવથી સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 4 નગરો માટે રૂ. 15 કરોડની ફાળવણી કરી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં વર્ષ 2020-2021 માટે સડક યોજના અન્વયે રૂ. 5 કરોડ ફાળવ્યા છે. આ રકમ પૈકી રૂ. 1 કરોડ કોબા-ઇન્દીરાબ્રીજ રસ્તેથી ભાટ ગામ સુધીના રોડના મજબૂતીકરણ માટે ફાળવાશે. એટલું જ નહિ, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના સમાવિષ્ટ ઔડા વિસ્તારની નગર રચના યોજનાના 13 જેટલા વિસ્તારોમાં રસ્તાઓ બનાવવા રૂ. 4 કરોડની મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નગરોમાં જનસુખાકારીની સુવિધાના કામોને વેગ આપવાના જનહિત ભાવથી સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 4 નગરો માટે રૂ. 15 કરોડની ફાળવણી કરી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં વર્ષ 2020-2021 માટે સડક યોજના અન્વયે રૂ. 5 કરોડ ફાળવ્યા છે. આ રકમ પૈકી રૂ. 1 કરોડ કોબા-ઇન્દીરાબ્રીજ રસ્તેથી ભાટ ગામ સુધીના રોડના મજબૂતીકરણ માટે ફાળવાશે. એટલું જ નહિ, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના સમાવિષ્ટ ઔડા વિસ્તારની નગર રચના યોજનાના 13 જેટલા વિસ્તારોમાં રસ્તાઓ બનાવવા રૂ. 4 કરોડની મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસાણા નગરપાલિકાને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારી ઘટક અન્વયે સી.સી.રોડ, પેવર બ્લોક તેમજ પીવાના પાણીની પાઇપલાઇન નાંખવાના 94 કામો માટે રૂ. 5 કરોડ 44 લાખની રકમ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મંજૂર કરી છે.
મુખ્યમંત્રીએ આ ઉપરાંત ઉત્તર ગુજરાતની વડનગર નગરપાલિકાને પણ રૂ. 3 કરોડ 46 લાખ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફાળવ્યા છે. આ રકમનો ઉપયોગ વડનગર શહેરથી 3-4 કિલોમીટર દૂર આવેલા પરા વિસ્તારો, દરબારગઢ વિસ્તાર અને વડનગરના અન્ય વિસ્તારોના નગરજનોને દૈનિક ધોરણે પાણી પુરૂં પાડવા તથા પરા વિસ્તારને જોડતી PVC લાઇન્સના સ્થાને D1 લાઇન નાંખીને પાણીનો વ્યય તેમજ લીકેજની સમસ્યા અટકાવવા માટે કરાશે.
આ પણ વાંચો : ટીમ ઇન્ડિયાની જીત પર PM મોદીએ આપ્યા અભિનંદન, BCCI આપશે 5 કરોડ રૂપિયા બોનસ
તેમણે અમદાવાદ જિલ્લાની ધોળકા નગરપાલિકાને પણ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તહેત 1 કરોડ 11 લાખ રૂપિયા આ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી ઘટકમાં સી.સી.રોડ, પીવાના પાણીની લાઇન તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેઇન, વટર લાઇન જેવા 10 કામો માટે ફાળવવામાં આવ્યા છે. ધોળકા નગરના સાડા છસો પરિવારોને આ વિકાસકામોનો લાભ પ્રાપ્ત થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર ગુજરાતના શહેરો-નગરોને પ્રાણવાન તેમજ આધુનિક સુવિધા સાથે માળખાકીય પાયાની સવલતોથી સજ્જ કરવા સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી છેલ્લા ચાર વર્ષમાં એટલે કે 2016-17થી ડિસેમ્બર 2020 સુધીમાં રૂ. 15,783.73 કરોડ ફાળવેલા છે.