Home /News /madhya-gujarat /અમદાવાદઃ કોરોનાના મોતના માહોલ વચ્ચે રેમડેસિવીરની કાળા બજારી કરતા વધુ ત્રણ 'મોતના સોદાગર' ઝડપાયા

અમદાવાદઃ કોરોનાના મોતના માહોલ વચ્ચે રેમડેસિવીરની કાળા બજારી કરતા વધુ ત્રણ 'મોતના સોદાગર' ઝડપાયા

પકડાયેલા આરોપીઓની તસવીર

આનંદ મેડિસિનના ગોડાઉનમાં રાખવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચએ ચિરાગ શાહ સંદીપ મહેતા અને જયેશ ભાવસાર નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે

અમદાવાદઃ કોરોના મહામારીમાં (corona pandemic) અનેક પરિવારોના સભ્યો છીનવાઇ રહ્યા છે. બીજી તરફ પરિવારના સભ્યોના જીવ બચાવવા લોકો કોઈ પણ કિંમતે રેમડેસિવીર ઇન્જેકશન (Remdesivir Injectio) ખરીદવા તૈયાર થઈ જાય છે.ત્યારે કાળા બજારિયા ઓ તેનો લાભ લેતા અચકાતા નથી. અમદાવાદમાં (Ahmedabad) પણ અનેક વખત ઇન્જેક્શનની કાળા બજારી કરતા આરોપીઓને પકડયા છે. તેવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad crime branch) પ્રથમ વખત ફાર્માશ્યુટીકલ ડિસ્ટ્રિબ્યુટર્સને ત્યાં તપાસ કરતા ખરીદ વેંચાણના વ્યવહાર વગરના 34 ઇન્જેક્શન કબ્જે કરાયા.

કોરોનાની બીજી લહેર એટલી ખતરનાક છે જેમાં અનેક રાજ્યોમાં હાહાકાર મચ્યો છે અને અનેક પરિવારોએ પોતાના સભ્યો માટે ઇન્જેક્શન અને ઓક્સિજન સિલીન્ડર નહિ મળતા જીવ ગુમાવ્યા હોવાનું પણ આપે સાંભળ્યું હશે. એવામાં મહામારી સમયે પણ માનવતા રાખવાને બદલે કાળાબજારી કરતા શખ્સો બેફામ રીતે લોકોને લૂંટી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 34 જેટલા રેમડેસીવીર ઇન્જેક્શન સાથે પ્રેમ દરવાજા નજીકથી એક મેડિસીન ફાર્માશ્યુટીકલ ડિસ્ટ્રિબ્યુટર્સમાંથી 3 શખ્સોની ધરપકડ કરી.

પોલીસને મળેલી હકીકત આધારે આનંદ મેડિસિનના ગોડાઉનમાં રાખવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચએ ચિરાગ શાહ સંદીપ મહેતા અને જયેશ ભાવસાર નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ-ગોધરાઃ હાથમાં લગ્નની મહેંદી સજે એ પહેલા જ યુવતીની હત્યા, ગુરુવારે લખાયા હતા લગ્ન, ખુશી મામતમાં ફેરવાઈ

આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ આડા સંબંધોનો કરુણ અંજામ! માતા સાથે સંબંધ રાખનાર છગન દેવા વરુની ધારિયા વડે હત્યા

આ ત્રણેય આરોપીઓ આનંદ મેડિસિનના ગોડાઉનમાં ઇન્જેક્શન રાખી તેનું કાળા બજારી કરી જરૂરતમંદ પાસેથી ઊંચા ભાવ પર વેચતા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ચિરાગ શાહ અને સંદીપ મહેતા આનંદ મેડિસિન ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રીબ્યુટરના પાર્ટનર છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ ગંભીર બેદરકારી! હોસ્પિટલે કોરોના દર્દીનો મૃતદેહ પરિવારને આપ્યો, ઘરે લઈ જઈ કરાઈ અંતિમ વિધિ

આ પણ વાંચોઃ-નશાની હાલતમાં કપલ સેક્સ માણવામાં હતું તલ્લીન, પતિની એક 'ભુલ'થી પત્નીનું થયું મોત

જ્યારે જયેશ ભાવસાર કર્મચારી તરીકે કામ કરતો હતો. એટલું જ નહીં પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા અગાઉ પણ રેમડેસીવીર ઇન્જેક્શન વેચાણ પોતે કર્યા હોવાનું બિલ રજુ કર્યું હતું. પરંતુ ક્રાઈમ બ્રાન્ચે ઇન્જેક્શનના ખરીદ-વેચાણના સ્ટોકના સ્ટેટમેન્ટ તપાસતા તેમાં વિસંગતતા જોવા મળી જેના આધારે આ ત્રણેયની ધરપકડ કરતા કાળાબજારીનું પર્દાફાશ થયો.
" isDesktop="true" id="1094858" >



અગાઉ પણ આ જ પ્રકારે ઇન્જેક્શન ની કાળાબજારી ના કિસ્સા અમદાવાદ ,રાજકોટ ,  સુરત માં પણ સામે આવ્યા છે. ત્યારે હાલમાં પોલીસે પકડેલા આ ત્રણેય આરોપીઓ અત્યાર સુધીમાં કેટલા ઇન્જેક્શન કોને કોને વેચ્યા છે અને કેટલા સમયથી ઈન્જેક્શનની કાળાબજારી કરતા હતા? તે બાબતે વધુ પૂછપરછ શરૂ કરી છે .જો કે પૂછપરછ ના અંતે સામે આવશે કે ચિરાગ અને સંદીપ એ અગાઉ કેટલા ઇન્જેક્શન નો ગેરકાયદેસર વહીવટ કર્યો છે.
First published:

Tags: Coronavirus, Remdesivir, અમદાવાદ, ક્રાઇમ બ્રાંન્ચ, ગુજરાત

विज्ञापन