અમદાવાદ : દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરમાં લુંટારૂ અને તસ્કરોની જાણે કે સીઝન આવી હોય તેમ એક પછી એક બનાવને અંજામ આપી રહ્યા છે. શહેરમાં વસ્ત્રાપુરમાં રસ્તો પૂછવાના બહાને યુવાનને માર મારી લૂંટી લેવાના બનાવ બાદ ઓઢવમાંથી રૂપિયા પાંચ લાખ ભરેલી બેગ છીનવી બે લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. જોકે, ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા બિલેશ્વર એસ્ટેટમાં ફેકટરી ધરાવતા રાકેશ તિવારી આજે સાંજના સમયે આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને મોટર સાયકલ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન વિરાટનગર પાસે બાઈક પર આવેલા બે શકશોએ રૂપિયા ભરેલી બેગ છીનવીને ફરાર થઈ ગયા હતા. જોકે, સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ દ્વારા આસપાસના પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતની જાણ કરી હતી.
જેમાં ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. નરોડા પોલીસે ચીલ ઝડપ કરીને જઈ રહેલા એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે. જ્યારે બીજો આરોપી ભાગવામાં સફળ રહ્યો છે. જેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે. હાલમાં પોલીસે પકડાયેલ આરોપીની પૂછપરછ શરૂ કરી છે. પકડાયેલ આરોપી ઉત્કર્ષ ડાંગી હોવાનુ જાણવા મળ્યુ છે.
" isDesktop="true" id="1044251" >
જ્યારે શુક્રવારે બપોરના સમયે શહેરના વસ્ત્રાપુરમાં સુરત જવાની બસ ક્યાંથી મળશે તેમ કહી બસ સ્ટેન્ડ સુધી મૂકી જવાનું કહીને ચાર આરોપીઓએ એક યુવાનને લૂંટી લીધો હતો. જેમાં પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડયા છે.