Home /News /madhya-gujarat /અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનો વિરોધ,બંને જૂથના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનો વિરોધ,બંને જૂથના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

અમદાવાદઃઅમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનો વિરોધ કરાયો હતો. યુવા આઝાદ સંગઠન અને AAPના કાર્યકરો આમને-સામને આવ્યા હતા. સુત્રોચ્ચાર કરી કેજરીવાલનો વિરોધ કરાયો હતો. કેજરીવાલ આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે સાંજે 7-30કલાકે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોચવાના છે તે પહેલા જ કેજરીવાલનો વિરોધ કરવા સંગઠનો પહોચ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો આમને-સામને આવતા ઘર્ષણ સર્જાયુ હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી છે.

અમદાવાદઃઅમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનો વિરોધ કરાયો હતો. યુવા આઝાદ સંગઠન અને AAPના કાર્યકરો આમને-સામને આવ્યા હતા. સુત્રોચ્ચાર કરી કેજરીવાલનો વિરોધ કરાયો હતો. કેજરીવાલ આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે સાંજે 7-30કલાકે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોચવાના છે તે પહેલા જ કેજરીવાલનો વિરોધ કરવા સંગઠનો પહોચ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો આમને-સામને આવતા ઘર્ષણ સર્જાયુ હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    અમદાવાદઃઅમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનો વિરોધ કરાયો હતો. યુવા આઝાદ સંગઠન અને AAPના કાર્યકરો આમને-સામને આવ્યા હતા. સુત્રોચ્ચાર કરી કેજરીવાલનો વિરોધ કરાયો હતો. કેજરીવાલ આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે સાંજે 7-30કલાકે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોચવાના છે તે પહેલા જ કેજરીવાલનો વિરોધ કરવા સંગઠનો પહોચ્યા છે. ત્યારે  મોટી સંખ્યામાં કાર્યકરો આમને-સામને આવતા ઘર્ષણ સર્જાયુ હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી છે.

    AAP VIRODH

    નોધનીય છે કે, તાજેતરમાં ઉરી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પીઓકેમાં સર્જીકલ સ્ટ્રાઇક્સ કરાઇ હતી. જેને લઇને કેજરીવાલે પુરાવા માંગતા આ મામલે કેજરીવાલ સામે દેશભરમાં વિરોધનો સુર ઉઠ્યો છે. જેને લઇને આજે અમદાવાદ એરપોર્ટ પર યુવા આઝાદ સંગઠન દ્વારા કેજરીવાલનો વિરોધ કરાયો હતો.

    નોધનીય છે કે,વિધાનસભાની ચૂંટણીના ઢોલ દુર સંભળાઇ રહ્યા છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ખાસ એવા અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. અહીં તેઓ એક સમયે ભાજપના ગઢ ગણાતા પાટીદારો સાથે મુલાકાત કરવાના છે.

    કેજરીવાલ ગુજરાતમાં પહોચે તે પહેલા દિલ્હીથી તેમણે ટ્વીટ કર્યું હતું. અને પ્રવાસ પહેલા  આપ ગુજરાત પ્રભારી ગુલાબસિંઘ યાદવ સામે સામે બિન જામીન પાત્ર વોરન્ટ ઈસ્યુ કરાયું હોવાનું જણાવ્યું હતું. દિલ્હી પોલીસે ગુલાબસિંહ યાદવ સામે વોરન્ટ ઈસ્યુ કર્યું હોવાનું કહેવાયું છે.

    કેજરીવાલનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ





    # એરપોર્ટ પર સંજે 7-30કલાકે આગમન બાદ અત્યારે મહેસાણા જવા રવાના થશે

    #મહેસાણા ખાતે રાત્રિ રોકાણ કરશે

    #15મી ઓક્ટોબરે સવારે 9-00 કલાકે શહીદ પાટીદારોના પરિવારને મળશે

    #સવારે 10-15 કાબલી ગામે જશે, જ્યાં પાટીદાર પરિવાર સાથે મુલાકાત કરશે

    # સવારે 11-15 ઊંઝા ખાતે મા ઉમિયાના દર્શન કરશે

    # ઊંઝાથી બપોરે 1-00 કલાકે અમદાવાદજવા  રવાના થશે

    #અમદાવાદ ખાતે બપોરે 3-00 કલાકે  શ્રેયાંગ પરિવાર સાથે મુલાકાત

    #અમદાવાદથી બરોડા જવા રવાના થશે, બરોડા રાત્રિ રોકાણ

    #16મીએ સવારે સુરત જવા રવાના થશે, સાંજે યોગી ચોકમાં મહાસભા

    #17મીએ દિલ્હી જવા રવાના થશે



    First published:

    Tags: અમદાવાદ એરપોર્ટ, અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી, ગુજરાત