World Food Safety Day: આજે છે 'વર્લ્ડ ફૂડ સેફટી ડે' જાણો તેનો ઇતિહાસ થીમ અને મહત્વ
World Food Safety Day: આજે છે 'વર્લ્ડ ફૂડ સેફટી ડે' જાણો તેનો ઇતિહાસ થીમ અને મહત્વ
આજે છે 'વર્લ્ડ ફૂડ સેફટી ડે' જાણો તેનો ઇતિહાસ થીમ અને મહત્વ
દર વર્ષે આજે (7 June World Food Safety Day) 'વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે' ઉજવવાનો હેતુ લોકોને પૌષ્ટિક ખાદ્ય પદાર્થો વિશે જાગૃત કરવાનો અને માનવ શરીર માટે પૌષ્ટિક ખોરાકનું મહત્વ જણાવવાનો છે. ચાલો જાણીએ આ દિવસનો ઈતિહાસ, મહત્વ અને થીમ.
World Food Safety Day 2022: આજે (7 જૂન) વિશ્વભરમાં દર વર્ષે 'વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે' એટલે કે 'વિશ્વ ખાદ્ય સૂરક્ષા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં ખાદ્ય સુરક્ષા વિશે જાગૃતિ ફેલાવવાનો અને બગડેલા અથવા બિનઆરોગ્યપ્રદ ખોરાકને જમવારથી થતા નુકસાન અને સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે માહિતી ઉપલબ્ધ કરાવવાનો છે. એટલું જ નહીં, દરેક વ્યક્તિને પૂરતા પ્રમાણમાં સુરક્ષિત અને પૌષ્ટિક ખોરાક મળે તે પણ સુનિશ્ચિત કરવું પડશે. વાસ્તવમાં, દર વર્ષે ફાસ્ટ ફૂડ (Fast Food) નો ચલણ ઝડપથી વધી રહ્યો છે અને લોકો ઘણી બીમારીઓથી પીડાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, તે મહત્વપૂર્ણ છે કે લોકો તેમના સારા સ્વાસ્થ્ય માટે યોગ્ય માહિતી સાથે તેમના ખોરાકની પસંદગી કરી શકે.
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનો ઇતિહાસ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, વિશ્વમાં દર 10માંથી 1 વ્યક્તિ બગડેલા ખોરાકના ઉપયોગને કારણે બીમાર પડે છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. આ તરફ લોકોનું ધ્યાન દોરવા માટે, ડિસેમ્બર 2018 માં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ખાદ્ય અને કૃષિ સંગઠન સાથે મળીને આ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન આ ક્ષેત્રમાં કામ કરતી અન્ય સંસ્થાઓ સાથે મળીને 'વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે' ઉજવવાનું કામ કરે છે.
આજની લાઈફસ્ટાઈલમાં લોકો પોતાના ખાવા-પીવા પ્રત્યે ખૂબ જ બેદરકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં, ફૂડ સેફટી એ સુનિશ્ચિત કરે છે કે ખોરાકનો ઉપયોગ કરવામાં આવે તે પહેલાં પાકના ઉત્પાદન, સંગ્રહ અને વિતરણના દરેક પગલાને શક્ય તેટલું સુરક્ષિત અને વધુને વધુમાં સેફ રાખવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, વિશ્વભરના વિકસિત અને વિકાસશીલ દેશોમાં દર વર્ષે લગભગ ત્રણ મિલિયન લોકો ખોરાક અને તેનાથી થતાં રોગોથી મૃત્યુ પામે છે.
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનો ઉદ્દેશ
દર વર્ષે 7મી જૂને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી કરવાનો હેતુ લોકોને પૌષ્ટિક ખાદ્યપદાર્થો વિશે જાગૃત કરવાનો અને માનવ શરીર માટે પૌષ્ટિક ખોરાકના મહત્વ વિશે માહિતગાર કરવાનો છે. આ રીતે, એવું કહી શકાય કે આ દિવસનો હેતુ ખાદ્ય પદાર્થોના બગાડના જોખમોને રોકવા, તેના કારણો શોધીને તેનું સંચાલન કરવાનો છે.
આ વર્ષના વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેની થીમ 'સેફર ફૂડ, બેટર હેલ્થ' છે જેનો અર્થ છે સુરક્ષિત ખોરાક, બહેતર સ્વાસ્થ્ય. તમને જણાવી દઈએ કે દુનિયામાં દર 10માંથી 1 વ્યક્તિ ખરાબ ભોજનને કારણે અનેક બીમારીઓથી પ્રભાવિત થાય છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર