Home /News /lifestyle /થાઈરોઈડ મેનેજમેન્ટઃ હાઈપોથાઈરોડીઝમથી આ કારણે વધે છે વજન, આ રીતે કરો નિયંત્રિત, જાણો કયા ખાદ્યપદાર્થો કરશે મદદ

થાઈરોઈડ મેનેજમેન્ટઃ હાઈપોથાઈરોડીઝમથી આ કારણે વધે છે વજન, આ રીતે કરો નિયંત્રિત, જાણો કયા ખાદ્યપદાર્થો કરશે મદદ

તમારા દૈનિક આહારમાં આયોડિન, સેલેનિયમ, ઝીંક, કેલ્શિયમ અને પ્રોટીન ધરાવતા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ

જ્યારે થાઇરોઇડ હોર્મોન્સમાં અસંતુલન હોય છે, ત્યારે આ સંતુલન ઘણી સમસ્યાઓ તરફ દોરી જાય છે, જેમ કે બદલાયેલ મેટાબોલિઝમ, વજન વધવાની ઝડપી પ્રક્રિયા, હાડકા નબળા પડવા અને વાળ ખરવા, હૃદય રોગ થવાનું વધુ જોખમ, હોર્મોનલ અસંતુલન, સેલિયાક રોગ અને ડાયાબિટીસ. આને સામાન્ય રીતે હાઇપોથાઇરોડિઝમ (hypothyroidism) તરીકે ઓળખવામાં આવે છે,

વધુ જુઓ ...
નવી દિલ્હી: થાઇરોઇડ (thyroid) શરીરમાં એક પતંગિયાના આકારની ગ્રંથિ છે, જે આપણી ગરદનના આગળના ભાગમાં સ્થિત છે. આ ગ્રંથિ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે જે આપણા મેટાબોલિઝમ, વૃદ્ધિ અને વિકાસની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

જ્યારે થાઇરોઇડ હોર્મોન્સમાં અસંતુલન હોય છે, ત્યારે આ સંતુલન ઘણી સમસ્યાઓ તરફ દોરી જાય છે, જેમ કે બદલાયેલ મેટાબોલિઝમ, વજન વધવાની ઝડપી પ્રક્રિયા, હાડકા નબળા પડવા અને વાળ ખરવા, હૃદય રોગ થવાનું વધુ જોખમ, હોર્મોનલ અસંતુલન, સેલિયાક રોગ અને ડાયાબિટીસ. આને સામાન્ય રીતે હાઇપોથાઇરોડિઝમ (hypothyroidism) તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં આપણું થાઇરોઇડ પૂરતા પ્રમાણમાં હોર્મોન્સ ઉત્પન્ન કરતું નથી, જેના કારણે ઝડપથી વજન વધે છે.

આ પણ વાંચો :  વન શોલ્ડર ડ્રેસમાં નોરા ફતેહીની જેમ આપો પોઝ, ફોટોઝ આવશે એકદમ મસ્ત

હાઇપોથાઇરોડિઝમ કોઈપણ વય જૂથને અસર કરી શકે છે, જેમાં શિશુઓ અને બાળકોનો સમાવેશ પણ થાય છે. જો તમારુ અન્ડરએક્ટિવ થાઇરોઇડ છે, તો તમે નીચેના લક્ષણો અનુભવી શકો છો -

  • થાક

  • ઠંડી

  • કબજિયાત

  • સુજેલો ચહેરો અને શુષ્ક ત્વચા

  • કોલેસ્ટ્રોલના સ્તરમાં વધારો,

  • સાંધામાં જડતા અથવા દુખાવો

  • હતાશા અથવા ક્ષતિગ્રસ્ત કે નબળી યાદશક્તિ


જ્યારે હાઈપોથાઈરોડીઝમથી પીડિત દર્દીઓને ડાયટમાં યોગ્ય ફેરફાર સાથે પણ વજન ઘટાડવું ઘણીવાર મુશ્કેલ લાગે છે પરંતુ આ તમારા વજન અને સ્વાસ્થ્ય પર અંતિમ નિર્ણય નથી, પરંતુ તમે હજુ પણ તે વધારાના ઈંચ ઘટાડવા માટે તમારા આહાર અને જીવનશૈલી પર કામ કરી શકો છો.

આ પણ વાંચો :  Health Special: સલામત અને સાઉન્ડ પ્રેગ્નેન્સી માટે જાણો શું છે ફેટલ મેડિસિન

તમારા ફુડ પોર્શનને નિયંત્રિત કરીને અને ફુડ ગ્રુપની વિવિધ શ્રેણી દ્વારા મુખ્ય પોષક તત્વોને સંતુલિત કરીને તમારા થાઇરોઇડને સ્વાસ્થ્ય રાખવા માટે જરૂરી પોષક તત્ત્વોનો કુદરતી સ્ત્રોતો દ્વારા સમાવેશ કરવાના પ્રયાસ સાથે ધ્યાનપૂર્વક ખાવાની ટેવ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી થોયરોઈડમાં લાભ થાય છે. આ માટે તમારે તમારા દૈનિક આહારમાં આયોડિન, સેલેનિયમ, ઝીંક, કેલ્શિયમ અને પ્રોટીન ધરાવતા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.

તમારા થાઇરોઇડ માટે જરૂરી આ મુખ્ય પોષક તત્વોથી તમને લાભ થાય તેવા પાંચ ખોરાક અમે તમને નીચે જણઆ રહ્યાં છીએ:

સીડ્સ અને નટ્સ


બ્રાઝિલ નટ્સ સેલેનિયમ અને ઝિંકનો ઉત્તમ સ્ત્રોત છે જે થાઇરોઇડની સારી કામગીરીમાં મદદ કરે છે. વધુમાં ચિયા અને કોળાના બીજ ઝીંકના સમૃદ્ધ સ્ત્રોત છે અને નાસ્તાનો ઉત્તમ વિકલ્પ છે. અતિશય ભોજન કરવાની ટેવ જે આવા દર્દીઓમાં સામાન્ય છે તેને તેલીબિયાં અને બદામ દ્વારા નિયંત્રિત કરી શકાય છે જે એક સક્ષમ વિકલ્પ પણ છે અને તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે.

કઠોળ અને દાણા


પ્રોટીનના આ સમૃદ્ધ સ્ત્રોતો તમારા મેંટાબોલિઝમને સુધારી શકે છે, સાથે જ ભોજન બાદ સંતોષની ભાવના પ્રદાન કરી શકે છે અને સાથે જ તમારા વધતા વજનને પણ અટકાવે છે.

ઈંડા


થાઈરોઈડના દર્દીઓ વજન ઘટાડવા ઈચ્છતા હોય છે તેઓ ઈંડાની જરદી અને સફેદ ભાગનું સેવન કરી શકે છે કારણ કે તે તેમના શરીરને ઝિંક, સેલેનિયમ અને પ્રોટીનથી સમૃદ્ધ બનાવશે, જે વજન ઘટાડવા અને મજબૂત હાડકા માટે ફાયદાકારક સાબિત થાય છે.

શાકભાજી


ટામેટાં અને કેપ્સિકમ જેવા શાકભાજીનું સેવન થાઈરોઈડના દર્દીઓને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે કારણ કે તેમાં વિટામિન સી, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.

પાણી અને કેફિન રહિત પીણાં


તમારા દૈનિક પાણીનું સેવન વધારવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને પેટનું ફૂલવું, શરીરમાંથી ટોક્સિન દૂર કરવા, તમારા હોર્મોન્સને નિયંત્રણમાં રાખવા અને તમારી વજન ઘટાડવાની પ્રક્રિયાને વેગ આપવા માટે તે મદદ કરી શકે છે.

સાવચેતી પણ છે જરૂરી:


હાઇપોથાઇરોડિઝમમાંથી રિકવરીનો માર્ગ સામાન્ય છે. જ્યાં સુધી દર્દી દવાના સૂચનોને અનુસરે છે, ત્યાં સુધી કોઈ જટિલતાઓ સામાન્ય રીતે જોવા મળતી નથી. જો કે, તેને સારવાર પૂરી કર્યા વિના છોડવાથી તમારા શરીર પર ભારે અસર થઈ શકે છે, જેમ કે એલિવેટેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે ત્યારબાદ હૃદય રોગ, વંધ્યત્વ અને ઓસ્ટીયોપોરોસિસ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. કેટલાક અભ્યાસોએ એ પણ સાબિત કર્યું છે કે કેવી રીતે થાઇરોઇડ ડાયાબિટીસ, સંધિવા અને એનિમિયા જેવા અન્ય ઓટોઈમ્યુન રોગોની શરૂઆત તરફ દોરી શકે છે. તેથી, પ્રારંભિક નિદાન અને સ્થિતિનું યોગ્ય સંચાલન તમને વધુ મુશ્કેલીઓ ટાળવામાં મદદ કરી શકે છે

વધુમાં, એ સલાહ આપવામાં આવે છે કે તંદુરસ્ત આહારની સાથે, દર્દીઓ યોગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ કરે છે જે તેમની અંતઃસ્ત્રાવી પ્રણાલીને ઉત્તેજીત કરે છે અને તેને ટેકો આપી મજબૂત બનાવે અને તેમના શરીરમાં ઓક્સિજનના પુરવઠાને વેગ આપે છે, જે તેમના થાઇરોઇડને ખૂબ જ મદદ કરશે. છેલ્લે, આલ્કોહોલનુ સેવન અને ધૂમ્રપાન ટાળવાથી દર્દીઓ તેમના થાઇરોઇડને સુધારવામાં સફળ થઈ શકે છે.

ઉપરોક્ત તમામ ખાદ્યપદાર્થોની ઓવરબોર્ડ જતા પહેલા તમારા ક્લિનિકલ ડાયેટિશિયન અને એન્ડોક્રિનોલોજિસ્ટ દ્વારા સમીક્ષા ચોક્કસથી કરી લેવી હિતાવહ છે.



તમારી થાઇરોઇડ દવાઓના એબ્સોર્પશનમાં દખલ કરતા ખોરાક પર ધ્યાન રાખવાની ખાસ સલાહ આપવામાં આવે છે અને તેથી સવારે તરત જ દવા લેવાનુ અન્ ખાવાનુ ટાળવું જોઈએ અને દિવસ દરમિયાન પછી પણ અંતર જાળવી રાખવું જોઈએ. સાથે જ તમે જેમ કે કોફી, સોયા, પપૈયા, ગ્રેપફ્રૂટ અને ફાઈબર અને કેલ્શિયમ ધરાવતા ખોરાક પણ લઈ શકો છો. પેક્ડ ફૂડના ફૂડ લેબલ વાંચો અને તેમાં આયોડાઇઝ્ડ મીઠું, ફણગાવેલી બાજરીનો સમાવેશ થતો હોય તેનુ ધ્યાન રાખો અને તમારા થાઇરોઇડનું સ્વાસ્થ્ય જાળવવા માટે બિન-આયોડાઇઝ્ડ મીઠાનો ઉપયોગ કરવાનું ટાળો. વજન ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતા ક્રોમિયમ પિકોલિનેટ ધરાવતા સપ્લીમેન્ટ્સ થાઇરોઇડ દવાના શોષણને અવરોધે છે. એવા ખોરાકને મર્યાદિત કરો જેમાં ગોઇટ્રોજેન્સ વધુ હોય જેમ કે કોબી, ફુલાવર, બ્રોકોલી, બાજરી, મગફળીનું તેલ, વગેરે. જો કે સંપૂર્ણપણે તેને ટાળવાની ભલામણ કરવામાં આવતી નથી કારણ કે તેમાં અન્ય એન્ટીઑકિસડન્ટ અથવા કેન્સર સામે લડવાના ગુણધર્મો અને આવશ્યક પોષક તત્વોનો સ્ત્રોત છે.

(આ માહિતી નિષ્ણાત ડોક્ટર તરફથી આપવામાં આવી છે. Ms. Edwina Raj, Head - Clinical Nutrition Dietetics, Aster CMI Hospital, Bangalore)
First published:

Tags: Health Tips, Health આરોગ્ય, Thyroid, Thyroid Symptoms

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો